આજે ડો.વિક્રમ સારાભાઈનો 102મો જન્મદિવસ છે, તેમનો જન્મ 1919 માં 12 મી ઑગસ્ટે અમદાવાદમાં થયો હતો
ભારતને અવકાશ વિજ્ઞાન અને પરમાણુ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી
ભારતને હજુ આઝાદી પણ મળવાની બાકી હતી ત્યારે તેમણે અવકાશ વિજ્ઞાનની દિશામાં કામગીરી આરંભી દીધી
તેમને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે
WatchGujarat. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ ડો.વિક્રમ સારાભાઈનો આજે 102મો જન્મ દિવસ છે. ત્યારે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો વિશે આજે અમે તમને જણાવીશું. તેમણો જન્મ 12મી ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. ડો.વિક્રમ સારાભાઈએ ભારતને સાયન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે આપણો દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે તેમણે અવકાસ વિજ્ઞાનની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી.
ડો.વિક્રમ સારાભાઈના અભ્યાસ વિશે કેટલીક માહિતી
આ અંગે મળતી માહિતી અનુસાર ડો.વિક્રમ સારાભાઈએ પોતાનો શરૂઆતી અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજમાં કર્યો હતો. જે બાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ ભણ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘Cosmic ray investigations in tropical latitudes’ વિષય પર તેમણે નોબેલ વિજેતા સર સી.વી.રમનના માર્ગદર્શન હેઠળ પીએચડી પણ પુર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૭માં કેમ્બ્રિજમાંથી ભણીને ભારત આવ્યા પછી વિક્રમ સારાભાઈએ સૌથી પહેલું કામ ભૌતિક વિજ્ઞાનના સંશોધન માટે ફિઝિકલ રિસર્સ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપનાનું કર્યું હતું. નોઁધનીય બાબત છે રે તેમના દ્વારા સ્થાપીત અમદાવાદની પીઆરએલ આજે ભારતની અતી મહત્ત્વની વિજ્ઞાન સંસ્થા છે. ઉપરાંત આ સંસ્થા ઈસરોના નેજા હેઠળ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરે છે.
તેમણે સ્થાપેલી કેટલીક મહત્વની સંસ્થાઓના નામ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-પીઆરએલ (અમદાવાદ)
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (અમદાવાદ)
કમ્યુનિટી સાયન્સ સેન્ટર (અમદાવાદ)
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (તિરૃવનંથપુરમ)
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)
દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (અમદાવાદ)
ફાસ્ટર બ્રીડર ટેસ્ટ રિએક્ટર (કલપ્પકમ)
વેરિએબલ એનર્જી સાયકલટ્રોન પ્રોજેક્ટ (કલકતા)
ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (હૈદરાબાદ)
યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (જાદુગોડા, બિહાર)
ઑપરેશનલ રિસર્ચ ગ્રૂપ (ઓરઆરજી) (દેશનું પ્રથમ માર્કેટ રિસર્ચ સંગઠન)
દેશના તેજીલા યુવાનોને શોધીને વિજ્ઞાન માટે કામે લગાડ્યા
ઉલ્લેખનીય છે કે ભારતમાં ભણીને કામ ન મળતા કેટલાંક સંશોધકો-યુવા વિજ્ઞાનીઓ પરદેશ ચાલ્યા ગયા હતા. આવા લોકોને વિક્રમ સારાભાઈ ભારત લાવ્યા હતા સાથે દેશમાંથી પણ તેજીલા યુવાનો શોધી તમામને વિજ્ઞાનક્ષેત્રે કામે લગાડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ યુવા વિજ્ઞાનીઓમાં ડો. અબ્દુલ કલામ, પ્રોફેસર ઈ.વી.ચિટનીસ, પ્રોફેસર પી.ડી. ભાવસાર, ડો. વસંત ગોવારીકર, પ્રોફેસર પી.આર.પીશારોટી, ડો.પ્રમોદ કાળે, ડો.એસ.સી.ગુપ્તા, એ.ઈ.મુથુન્યાગમ, આર.અર્વામુદન જેવા માહનુભાવોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત અવકાશ વિજ્ઞાનમાં આ વિજ્ઞાનીઓનો સિંહફાળો રહ્યો છે.
સ્વદેશી ક્રાયોજેનિક એન્જીનને ‘વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)’ અપાયું
મળતી વિગતો અનુસાર બહુ ઓછા દેશો પાસે પોતાના ક્રાયોજેનિક એન્જીન હોય છે. ત્યારે ભારતે અવકાશ રોકેટ માટે દાયકાઓની મહેનત કરીને સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન તૈયાર કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારતે આ એન્જીનને વિક્રમ સારાભાઈની યાદમાં ‘વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)’ નામ આપ્યું છે. જેકો આ એન્જિનનું ટેકનિકલ નામ તો ‘હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)’ છે. પરંતુ ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.
મહત્વનું છે કે ચંદ્ર પરના એક ક્રેટરને વિક્રમ સારાભાઈની યાદમાં ‘સારાભાઈ ક્રેટર’ નામ આપવામાં આવ્યુ છે. જેથી ગુજરાતના આ અવકાશ વિજ્ઞાની સહેદે તો અવકાશમાં નહોતા ગયા પણ અવકાશમાં તેમનું નામ પહોંચા ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 2019માં ચંદ્ર પર પહોંચેલા ભારતના મિશન ચંદ્રયાન-2ના લેન્ડર એટલે કે ચંદ્ર પર ઉતરનારા ઉપકરણને પણ વિક્રમ નામ અપાયું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 1966માં સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ અને મૃત્યુ પછી 1972માં પદ્મવિભૂષણનું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત તો છેક ૧૯૬૨માં થઈ ગઈ હતી, જ્યારે સ્પેસ પ્રોગ્રામ માટે ડૉ. વિક્રમ સારાભાઈએ ‘ધ ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્સ (ઈન્કોસ્પાર)’ની સ્થાપના કરી હતી. મહત્વનું છે કે ત્યારે ભારત ઉપગ્રહ લૉન્ચિંગ તો ઠીક, ઉપગ્રહ પણ બનાવી શકે એમ ન હતો. પરંતુ આ સમયે વિક્રમ સારભાઈએ તેની બ્લુપ્રિન્ટ ઘડી કાઢી હતી. જેના કારણે ‘યુનેસ્કો’ જેવી સંસ્થા પણ ભારતને મદદ કરવા તૈયાર હતી. આ ઉપરાંત ઘણા વિકસિત દેશો પોતાના અંગત સ્વાર્થના કારણે મદદ માટે આગળ આવ્યા હતા. મહત્વનું છે કે જે તેના પ્રતાપે જ ભારતમાં સેટેલાઈટ ટેલિવિઝન પ્રસારણ શક્ય બન્યું છે. તમને જણાવી દઈએ કે બે-અઢી દાયકા પહેલા ભારતની અવકાશ કાર્યક્રમોમાં કોઈ ગણતરી ન હતી. એક સમય એવો હતો જ્યારે અમેરિકા-રશિયા જેવા અવકાશ કાર્યક્રમોના ‘દાદા’ દેશો ભારતને સુવિધા-ટેકનોલોજી-સાધનસામગ્રી માટે ટટળાવતાં હતાં. પરંતુ ભારતે મદદ વગર બેસી રહેવાને બદલે ડો.વિક્રમ સારાભાઈ, ડો. અબ્દુલ કલામ વગેરે દુરદૃષ્ટા વિજ્ઞાનીઓની આગેવાનીમાં અવકાશ સુધી પહોંચાડતો પોતાનો રસ્તો તૈયાર કરી લીધો.
આ બાબતનું પરિણામ એ આવ્યું કે એક સમયે અવકાશમાં ભારતને લલ્લુ-પંજુ ગણતા બધા દેશો હવે ભારતના દરવાજે લાઈનો લગાવીને ઉભા છે. ઉલ્લેખનીય છે કે એક સમયે ભારત પર રાજ કરનારા બ્રિટને આજે ઉપગ્રહ લોન્ચિંગ માટે ભારત પાસે આવવું પડે છે. કારણ કે વિશ્વમાં માત્ર 9 દેશો પાસે જ સેટેલાઈટ લોન્ચિંગની સુવિધા છે. આ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આ મોટી સફળતાનો યશ ઈસરોના હજારો વિજ્ઞાનીઓ સાથે દિવંગત ડો. વિક્રમ સારાભાઈને જાય છે. આજે ભારત અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભર છે તો તેમના કારણે.
આજે ડો.વિક્રમ સારાભાઈનો 102મો જન્મદિવસ છે, તેમનો જન્મ 1919 માં 12 મી ઑગસ્ટે અમદાવાદમાં થયો હતો
ભારતને અવકાશ વિજ્ઞાન અને પરમાણુ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી
ભારતને હજુ આઝાદી પણ મળવાની બાકી હતી ત્યારે તેમણે અવકાશ વિજ્ઞાનની દિશામાં કામગીરી આરંભી દીધી
તેમને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે
WatchGujarat. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ ડો.વિક્રમ સારાભાઈનો આજે 102મો જન્મ દિવસ છે. ત્યારે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો વિશે આજે અમે તમને જણાવીશું. તેમણો જન્મ 12મી ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. ડો.વિક્રમ સારાભાઈએ ભારતને સાયન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે આપણો દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે તેમણે અવકાસ વિજ્ઞાનની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી.
ડો.વિક્રમ સારાભાઈના અભ્યાસ વિશે કેટલીક માહિતી
આ અંગે મળતી માહિતી અનુસાર ડો.વિક્રમ સારાભાઈએ પોતાનો શરૂઆતી અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજમાં કર્યો હતો. જે બાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પણ ભણ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘Cosmic ray investigations in tropical latitudes’ વિષય પર તેમણે નોબેલ વિજેતા સર સી.વી.રમનના માર્ગદર્શન હેઠળ પીએચડી પણ પુર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૭માં કેમ્બ્રિજમાંથી ભણીને ભારત આવ્યા પછી વિક્રમ સારાભાઈએ સૌથી પહેલું કામ ભૌતિક વિજ્ઞાનના સંશોધન માટે ફિઝિકલ રિસર્સ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપનાનું કર્યું હતું. નોઁધનીય બાબત છે રે તેમના દ્વારા સ્થાપીત અમદાવાદની પીઆરએલ આજે ભારતની અતી મહત્ત્વની વિજ્ઞાન સંસ્થા છે. ઉપરાંત આ સંસ્થા ઈસરોના નેજા હેઠળ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરે છે.
તેમણે સ્થાપેલી કેટલીક મહત્વની સંસ્થાઓના નામ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-પીઆરએલ (અમદાવાદ)
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (અમદાવાદ)
કમ્યુનિટી સાયન્સ સેન્ટર (અમદાવાદ)
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (તિરૃવનંથપુરમ)
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અમદાવાદ)
દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (અમદાવાદ)
ફાસ્ટર બ્રીડર ટેસ્ટ રિએક્ટર (કલપ્પકમ)
વેરિએબલ એનર્જી સાયકલટ્રોન પ્રોજેક્ટ (કલકતા)
ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (હૈદરાબાદ)
યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (જાદુગોડા, બિહાર)
ઑપરેશનલ રિસર્ચ ગ્રૂપ (ઓરઆરજી) (દેશનું પ્રથમ માર્કેટ રિસર્ચ સંગઠન)
દેશના તેજીલા યુવાનોને શોધીને વિજ્ઞાન માટે કામે લગાડ્યા
ઉલ્લેખનીય છે કે ભારતમાં ભણીને કામ ન મળતા કેટલાંક સંશોધકો-યુવા વિજ્ઞાનીઓ પરદેશ ચાલ્યા ગયા હતા. આવા લોકોને વિક્રમ સારાભાઈ ભારત લાવ્યા હતા સાથે દેશમાંથી પણ તેજીલા યુવાનો શોધી તમામને વિજ્ઞાનક્ષેત્રે કામે લગાડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ યુવા વિજ્ઞાનીઓમાં ડો. અબ્દુલ કલામ, પ્રોફેસર ઈ.વી.ચિટનીસ, પ્રોફેસર પી.ડી. ભાવસાર, ડો. વસંત ગોવારીકર, પ્રોફેસર પી.આર.પીશારોટી, ડો.પ્રમોદ કાળે, ડો.એસ.સી.ગુપ્તા, એ.ઈ.મુથુન્યાગમ, આર.અર્વામુદન જેવા માહનુભાવોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારત અવકાશ વિજ્ઞાનમાં આ વિજ્ઞાનીઓનો સિંહફાળો રહ્યો છે.
મળતી વિગતો અનુસાર બહુ ઓછા દેશો પાસે પોતાના ક્રાયોજેનિક એન્જીન હોય છે. ત્યારે ભારતે અવકાશ રોકેટ માટે દાયકાઓની મહેનત કરીને સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન તૈયાર કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારતે આ એન્જીનને વિક્રમ સારાભાઈની યાદમાં ‘વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)’ નામ આપ્યું છે. જેકો આ એન્જિનનું ટેકનિકલ નામ તો ‘હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)’ છે. પરંતુ ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.
મહત્વનું છે કે ચંદ્ર પરના એક ક્રેટરને વિક્રમ સારાભાઈની યાદમાં ‘સારાભાઈ ક્રેટર’ નામ આપવામાં આવ્યુ છે. જેથી ગુજરાતના આ અવકાશ વિજ્ઞાની સહેદે તો અવકાશમાં નહોતા ગયા પણ અવકાશમાં તેમનું નામ પહોંચા ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 2019માં ચંદ્ર પર પહોંચેલા ભારતના મિશન ચંદ્રયાન-2ના લેન્ડર એટલે કે ચંદ્ર પર ઉતરનારા ઉપકરણને પણ વિક્રમ નામ અપાયું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 1966માં સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ અને મૃત્યુ પછી 1972માં પદ્મવિભૂષણનું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત તો છેક ૧૯૬૨માં થઈ ગઈ હતી, જ્યારે સ્પેસ પ્રોગ્રામ માટે ડૉ. વિક્રમ સારાભાઈએ ‘ધ ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્સ (ઈન્કોસ્પાર)’ની સ્થાપના કરી હતી. મહત્વનું છે કે ત્યારે ભારત ઉપગ્રહ લૉન્ચિંગ તો ઠીક, ઉપગ્રહ પણ બનાવી શકે એમ ન હતો. પરંતુ આ સમયે વિક્રમ સારભાઈએ તેની બ્લુપ્રિન્ટ ઘડી કાઢી હતી. જેના કારણે ‘યુનેસ્કો’ જેવી સંસ્થા પણ ભારતને મદદ કરવા તૈયાર હતી. આ ઉપરાંત ઘણા વિકસિત દેશો પોતાના અંગત સ્વાર્થના કારણે મદદ માટે આગળ આવ્યા હતા. મહત્વનું છે કે જે તેના પ્રતાપે જ ભારતમાં સેટેલાઈટ ટેલિવિઝન પ્રસારણ શક્ય બન્યું છે. તમને જણાવી દઈએ કે બે-અઢી દાયકા પહેલા ભારતની અવકાશ કાર્યક્રમોમાં કોઈ ગણતરી ન હતી. એક સમય એવો હતો જ્યારે અમેરિકા-રશિયા જેવા અવકાશ કાર્યક્રમોના ‘દાદા’ દેશો ભારતને સુવિધા-ટેકનોલોજી-સાધનસામગ્રી માટે ટટળાવતાં હતાં. પરંતુ ભારતે મદદ વગર બેસી રહેવાને બદલે ડો.વિક્રમ સારાભાઈ, ડો. અબ્દુલ કલામ વગેરે દુરદૃષ્ટા વિજ્ઞાનીઓની આગેવાનીમાં અવકાશ સુધી પહોંચાડતો પોતાનો રસ્તો તૈયાર કરી લીધો.
આ બાબતનું પરિણામ એ આવ્યું કે એક સમયે અવકાશમાં ભારતને લલ્લુ-પંજુ ગણતા બધા દેશો હવે ભારતના દરવાજે લાઈનો લગાવીને ઉભા છે. ઉલ્લેખનીય છે કે એક સમયે ભારત પર રાજ કરનારા બ્રિટને આજે ઉપગ્રહ લોન્ચિંગ માટે ભારત પાસે આવવું પડે છે. કારણ કે વિશ્વમાં માત્ર 9 દેશો પાસે જ સેટેલાઈટ લોન્ચિંગની સુવિધા છે. આ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આ મોટી સફળતાનો યશ ઈસરોના હજારો વિજ્ઞાનીઓ સાથે દિવંગત ડો. વિક્રમ સારાભાઈને જાય છે. આજે ભારત અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભર છે તો તેમના કારણે.