લાંબા સમયથી પાવાગઠ મંદિરના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે
રવિવારે અંદાજીત 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યાં
તંત્ર દ્વારા માચી જવાના ત્રણ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.
મંદિરની સાઇડમાં આવેલો બાથરૂમનો ભાગ એ ડિમોલીશન કરવાનો જ હતો નવા કન્સટ્ર્કશનના ભાગરૂપે, એ ભાગ ઉતાર્યો છે - રાજુભાઇ ભટ્ટ, (પાવાગઢ મંદિરના ટ્રસ્ટી)
મકસુદ મલીક, હાલોલ. 51 શક્તિપીઠમાનુ એક પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમયથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે સરકારની ગાઇડલાઇન મૂજબ હાલ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે રવિવારના રોજ 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા નજીક આવેલી ઓફીસનો એક તરફનો ભાગ અચાનક ધરાશાય થયો હતો. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલીક માચી જવાના રસ્તા પર ટ્રાફિક રોકી દેવામા આવ્યો છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી.
https://youtu.be/AE9z349xWr0
હાલોલ સ્થિત પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહીં છે. ત્યારે મંદિર પરિસર અને તેની આસપાસની જગ્યાઓમાં જુનુ બાંધકામ ઉતારવાની કામગીરી ચાલી રહીં છે. ત્યારે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા પાસે આવેલી ઓફીસનો પાછળનો એક તરફનો ભાગ એકાએક ધરાશાય થઇ ગયો હતો. ઘટના અંગે મંદિર પ્રસાશન અને સ્થાનિક તંત્રને જાણ થતા તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે હાલ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી અને સલામતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે.
આ મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટે વોચ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહીં છે. જેના ભાગરૂપે મંદિરનો આ ભાગ પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન માણસો દિવલ ઉતારી રહ્યાં હતા ત્યારે મશીનનો ઝર્ક લાગતા મંદિરની સાઇડમાં આવેલો બાથરૂમનો ભાગ એ ડિમોલીશન કરવાનો જ હતો નવા કન્સટ્ર્કશનના ભાગરૂપે, એ ભાગ ઉતાર્યો છે. મંદિરના દર્શન પણ રાબેતા મૂજબ ચાલી રહ્યાં છે. અને જે પદ્ધતીથી કામગીરી કરવામાં આવી રહીં છે એ ચાલી જ રહીં છે.
લાંબા સમયથી પાવાગઠ મંદિરના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે
રવિવારે અંદાજીત 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યાં
તંત્ર દ્વારા માચી જવાના ત્રણ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.
મંદિરની સાઇડમાં આવેલો બાથરૂમનો ભાગ એ ડિમોલીશન કરવાનો જ હતો નવા કન્સટ્ર્કશનના ભાગરૂપે, એ ભાગ ઉતાર્યો છે - રાજુભાઇ ભટ્ટ, (પાવાગઢ મંદિરના ટ્રસ્ટી)
મકસુદ મલીક, હાલોલ. 51 શક્તિપીઠમાનુ એક પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમયથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે સરકારની ગાઇડલાઇન મૂજબ હાલ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે રવિવારના રોજ 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા નજીક આવેલી ઓફીસનો એક તરફનો ભાગ અચાનક ધરાશાય થયો હતો. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલીક માચી જવાના રસ્તા પર ટ્રાફિક રોકી દેવામા આવ્યો છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી.
હાલોલ સ્થિત પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહીં છે. ત્યારે મંદિર પરિસર અને તેની આસપાસની જગ્યાઓમાં જુનુ બાંધકામ ઉતારવાની કામગીરી ચાલી રહીં છે. ત્યારે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા પાસે આવેલી ઓફીસનો પાછળનો એક તરફનો ભાગ એકાએક ધરાશાય થઇ ગયો હતો. ઘટના અંગે મંદિર પ્રસાશન અને સ્થાનિક તંત્રને જાણ થતા તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે હાલ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી અને સલામતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે.
આ મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટે વોચ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહીં છે. જેના ભાગરૂપે મંદિરનો આ ભાગ પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન માણસો દિવલ ઉતારી રહ્યાં હતા ત્યારે મશીનનો ઝર્ક લાગતા મંદિરની સાઇડમાં આવેલો બાથરૂમનો ભાગ એ ડિમોલીશન કરવાનો જ હતો નવા કન્સટ્ર્કશનના ભાગરૂપે, એ ભાગ ઉતાર્યો છે. મંદિરના દર્શન પણ રાબેતા મૂજબ ચાલી રહ્યાં છે. અને જે પદ્ધતીથી કામગીરી કરવામાં આવી રહીં છે એ ચાલી જ રહીં છે.