ગાંધીનગર : દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઇ રહી છે અને ગાંધીજી દારૂના પ્રખર વિરોધી હતા. પણ આજે બાપુના ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવા માટે પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કરી દીધું છે. તેમને કેટલાક આર્થિક કારણો આપીને દારૂબંધી હટાવી લેવાની માંગ કરી છે ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કેટલાક લોકો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવાની માંગો કરી રહ્યાં છે પરંતુ તે અશક્ય છે.
દારૂ બંધીના કારણે આજે ગુજરાતમાં અનેક પરિવારે સુખથી જીવી રહ્યા છે: પ્રદિપસિંહ જાડેજા
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ દારૂબંધી હટાવવાને લઇને જણાવ્યું કે આજે દારૂબંધીને કારણે ગુજરાતમાં ઘણી શાંતિ છે અને અનેક પરિવારો આજે સુખથી જીવી રહ્યા છે. દારૂબંધીને કારણે જ અનેક મહિલાઓની જિંદગી સારી છે, બહેનો સલામત છે, ત્યારે પ્રદિપસિંહ જાડેજાએ સીધો જ શંકરસિંહ વાઘેલા સામે પ્રહાર કર્યો છે અને દારૂબંધી હટાવવાની વાતો કરનારાઓને જવાબ આપી દીધો છે.
શંકરસિંહ ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થયા
મહત્વનું છે કે ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલા છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય થયા છે અને દારૂબંધી હટાવવાના મુદ્દાથી ગુજરાત સરકાર સામે બાયો ચઢાવી છે. શંકરસિંહ વાધેલાએ દારૂબંધી હટાવવાનો મુદ્રો, રોજગારીનો મુદ્રો એમ આ બે મુદ્રા પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને કોઇને કોઇ કારણો સર સરકારને આડે હાથ લઇ રહ્યા છે.
ગાંધીનગર : દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઇ રહી છે અને ગાંધીજી દારૂના પ્રખર વિરોધી હતા. પણ આજે બાપુના ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવા માટે પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કરી દીધું છે. તેમને કેટલાક આર્થિક કારણો આપીને દારૂબંધી હટાવી લેવાની માંગ કરી છે ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કેટલાક લોકો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવાની માંગો કરી રહ્યાં છે પરંતુ તે અશક્ય છે.
દારૂ બંધીના કારણે આજે ગુજરાતમાં અનેક પરિવારે સુખથી જીવી રહ્યા છે: પ્રદિપસિંહ જાડેજા
ગુજરાતના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ દારૂબંધી હટાવવાને લઇને જણાવ્યું કે આજે દારૂબંધીને કારણે ગુજરાતમાં ઘણી શાંતિ છે અને અનેક પરિવારો આજે સુખથી જીવી રહ્યા છે. દારૂબંધીને કારણે જ અનેક મહિલાઓની જિંદગી સારી છે, બહેનો સલામત છે, ત્યારે પ્રદિપસિંહ જાડેજાએ સીધો જ શંકરસિંહ વાઘેલા સામે પ્રહાર કર્યો છે અને દારૂબંધી હટાવવાની વાતો કરનારાઓને જવાબ આપી દીધો છે.
શંકરસિંહ ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થયા
મહત્વનું છે કે ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલા છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય થયા છે અને દારૂબંધી હટાવવાના મુદ્દાથી ગુજરાત સરકાર સામે બાયો ચઢાવી છે. શંકરસિંહ વાધેલાએ દારૂબંધી હટાવવાનો મુદ્રો, રોજગારીનો મુદ્રો એમ આ બે મુદ્રા પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને કોઇને કોઇ કારણો સર સરકારને આડે હાથ લઇ રહ્યા છે.