કારમાં 12 જેટલાં લોકો એકાએક ધસી આવ્યા હતાં
સયાજી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલાં ઇજાગ્રસ્તનો પોલીસ પર ગંભીર આક્ષેપ
વડોદરા. ભરબપોરે દુમાડ ચોકડી પાસે બનેલી ફાયરિંગની ઘટનાના ઇજાગ્રસ્તે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "પોલીસ વિડીયો ઉતારતી રહી, અમારી સામે ગોળીયો ચાલી અને ફટકા માર્યા" અત્રે ઉલ્લેખનિય છે કે, ઇજાગ્રસ્ત દેવસિંહ ભરવાડ હુમલાખોરોને ઓળખતા નથી.
દુમાડ ચોકડી ખાતે ભરબપોરે થયેલી ફાયરિંગની ઘટનામાં 26 વર્ષિય વજુ ભરવાડ અને 26 વર્ષિય દેવસિંહ ભરવાડને હાથ તેમજ માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર લીધા બાદ ઇજાગ્રસ્તોએ “હુમલાખોરો નહીં પકડાય ત્યાં સુધી સિટી સ્કેન નહીં કરાવી”એ તેવું રટણ કર્યું હતું. હાલ આ લખાય છે ત્યાં સુધી આ મુદ્દે કોઈ નિવેડો આવ્યો હોવાનું જાણવા મળતું નથી.
બીજી તરફ ઇજાગ્રસ્ત દેવસિંહ ભરવાડે જણાવ્યું હતું કે, હું છકડો ચલાવું છું. કારમાં ધસી આવેલાં 12 જેટલાં શખ્સોએ અચાનક અમારા પર હુમલો કર્યો હતો. 6 રાઉન્ડ ફાયરિંગ કરવા ઉપરાંત એ લોકોએ અમાને માર માર્યો હતો. પાઈપના ફટકા માર્યા હતાં. હું હુમલાખોરોને ઓળખતો નથી.
https://youtu.be/a4sjfUomZMM
તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા પર ફાયરિંગ થયું ત્યારે ત્યાં પોલીસ કર્મીઓ ઉભા હતાં અને તેઓ વિડીયો ઉતારતા હતાં. અમે મદદ માટે બૂમો પાડી રહ્યા હતાં, અમારા પર ગોળીઓ ચાલી, માર મારવામાં આવ્યો ત્યારે પોલીસવાળાઓ વિડીયો ઉતારી રહ્યા હતાં.
એકંદરે, દુમાડ ચોકડી પાસે વાહનો ચેક કરવામાં બાહોશ પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે. ફાયરિંગ જેવી ગંભીર ઘટનામાં કાયદો – વ્યવસ્થાનું પાલન કરે તેવો કોઈ બાહોશ પોલીસ કર્મી ત્યાં ફરજ બજાવતો નથી. એમ કહેવું સ્હેજપણ ખોટું નથી.
[caption id="attachment_6103" align="aligncenter" width="1280"] ઇજાગ્રસ્તના પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રીત થયા[/caption]
વડોદરા. ભરબપોરે દુમાડ ચોકડી પાસે બનેલી ફાયરિંગની ઘટનાના ઇજાગ્રસ્તે પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "પોલીસ વિડીયો ઉતારતી રહી, અમારી સામે ગોળીયો ચાલી અને ફટકા માર્યા" અત્રે ઉલ્લેખનિય છે કે, ઇજાગ્રસ્ત દેવસિંહ ભરવાડ હુમલાખોરોને ઓળખતા નથી.
દુમાડ ચોકડી ખાતે ભરબપોરે થયેલી ફાયરિંગની ઘટનામાં 26 વર્ષિય વજુ ભરવાડ અને 26 વર્ષિય દેવસિંહ ભરવાડને હાથ તેમજ માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર લીધા બાદ ઇજાગ્રસ્તોએ “હુમલાખોરો નહીં પકડાય ત્યાં સુધી સિટી સ્કેન નહીં કરાવી”એ તેવું રટણ કર્યું હતું. હાલ આ લખાય છે ત્યાં સુધી આ મુદ્દે કોઈ નિવેડો આવ્યો હોવાનું જાણવા મળતું નથી.
બીજી તરફ ઇજાગ્રસ્ત દેવસિંહ ભરવાડે જણાવ્યું હતું કે, હું છકડો ચલાવું છું. કારમાં ધસી આવેલાં 12 જેટલાં શખ્સોએ અચાનક અમારા પર હુમલો કર્યો હતો. 6 રાઉન્ડ ફાયરિંગ કરવા ઉપરાંત એ લોકોએ અમાને માર માર્યો હતો. પાઈપના ફટકા માર્યા હતાં. હું હુમલાખોરોને ઓળખતો નથી.
તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા પર ફાયરિંગ થયું ત્યારે ત્યાં પોલીસ કર્મીઓ ઉભા હતાં અને તેઓ વિડીયો ઉતારતા હતાં. અમે મદદ માટે બૂમો પાડી રહ્યા હતાં, અમારા પર ગોળીઓ ચાલી, માર મારવામાં આવ્યો ત્યારે પોલીસવાળાઓ વિડીયો ઉતારી રહ્યા હતાં.
એકંદરે, દુમાડ ચોકડી પાસે વાહનો ચેક કરવામાં બાહોશ પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે. ફાયરિંગ જેવી ગંભીર ઘટનામાં કાયદો – વ્યવસ્થાનું પાલન કરે તેવો કોઈ બાહોશ પોલીસ કર્મી ત્યાં ફરજ બજાવતો નથી. એમ કહેવું સ્હેજપણ ખોટું નથી.
[caption id="attachment_6103" align="aligncenter" width="1280"] ઇજાગ્રસ્તના પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રીત થયા[/caption]