WatchGujarat. ઘરતી પર એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને આવા જ એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે જ્યાં જે પણ ગયા છે ત્યાંથી કોઈ પાછું આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ ગામ સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણી મુશ્કેલીઓથી ભરેલો છે. આ રહસ્યમય ગામને 'લાશોનું શહેર' પણ કહેવામાં આવે છે.
ખરેખર, આ ગામ રશિયાના ઉત્તર ઓસેશિયાના દર્ગાવ્સ માં છે. આ વિસ્તાર ખૂબ જ સુમસામ છે. ડરને કારણે કોઈ પણ આ જગ્યાએ થી આવતું જતું નથી. ઉંચા ઉંચા પહાડો વચ્ચે છુપાયેલા આ ગામમાં સફેદ પત્થરોથી બનેલા લગભગ 99 ક્રિપ્ટ આકાર ના (તહખાના નુમા) ઘરો છે, જેમાં સ્થાનિક લોકોએ તેમના પરિવારોના મૃતદેહને દફનાવી દીધા હતા. આમાંના કેટલાક મકાનો તો ચાર માળના પણ છે. આ ગામ વિશે લોકોમાં અનેક પ્રકારની માન્યતાઓ પણ જાણીતી છે.
કહેવામાં આવે છે કે આ કબરો 16 મી સદીમાં બનાવવામાં આવી હતી. તે એક વિશાળ કબ્રસ્તાન છે. કહેવામાં આવે છે કે દરેક ઇમારત એક પરિવારથી સંબંધિત છે, જેમાં ફક્ત તે જ પરિવારના સભ્યોબે દફનાવવામાં આવ્યા છે.
એટલું જ નહીં આ જગ્યાને લઈને સ્થાનિક લોકો વચ્ચે અલગ અલગ માન્યતાઓ છે. તેમનું માનવું છે કે આ ઝૂંપડા જેવી ઇમારતોમાં જનાર કોઈ પણ પાછું આવ્યું નથી. જો કે, ક્યારેક ક્યારેક પ્રવાસીઓ આ જગ્યાનું રહસ્ય જાણવા માટે આવતા જ રહે છે.
આ જગ્યા પર પહોંચવાનો રસ્તો પણ ખૂબ મુશ્કેલ છે. અહીં પહાડોની વચ્ચેના સાંકડા રસ્તાઓથી પસાર થવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. અહીંનું હવામાન પણ હંમેશાં ખરાબ રહે છે, જે પ્રવાસ માટે મોટો અવરોધ છે. પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ અહીં કબરો નજીક બોટ મળી આવી છે. સ્થાનિક લોકો વચ્ચે બોટ અંગેની માન્યતા છે કે આત્માને સ્વર્ગ સુધી પહોંચવા માટે નદી પાર કરવી પડે છે, તેથી લાશને બોટ પર રાખીને દફનાવવામાં આવતી હતી.
પુરાતત્ત્વવિદોએ અહીંના દરેક ભોંયરુંની સામે એક કૂવો પણ મળી આવ્યો છે, જેના વિશે કહેવામાં આવે છે કે લોકો તેમના સબંધીઓને અહીં દફનાવ્યા પછી કુવામાં સિક્કા ફેંકતા હતા. જો સિક્કો તળિયે પત્થરો સાથે ટકરાતો, તો તેનો અર્થ હતો કે આત્મા સ્વર્ગ સુધી પહોંચી ગઈ.
WatchGujarat. ઘરતી પર એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને આવા જ એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે જ્યાં જે પણ ગયા છે ત્યાંથી કોઈ પાછું આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ ગામ સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણી મુશ્કેલીઓથી ભરેલો છે. આ રહસ્યમય ગામને 'લાશોનું શહેર' પણ કહેવામાં આવે છે.
ખરેખર, આ ગામ રશિયાના ઉત્તર ઓસેશિયાના દર્ગાવ્સ માં છે. આ વિસ્તાર ખૂબ જ સુમસામ છે. ડરને કારણે કોઈ પણ આ જગ્યાએ થી આવતું જતું નથી. ઉંચા ઉંચા પહાડો વચ્ચે છુપાયેલા આ ગામમાં સફેદ પત્થરોથી બનેલા લગભગ 99 ક્રિપ્ટ આકાર ના (તહખાના નુમા) ઘરો છે, જેમાં સ્થાનિક લોકોએ તેમના પરિવારોના મૃતદેહને દફનાવી દીધા હતા. આમાંના કેટલાક મકાનો તો ચાર માળના પણ છે. આ ગામ વિશે લોકોમાં અનેક પ્રકારની માન્યતાઓ પણ જાણીતી છે.
કહેવામાં આવે છે કે આ કબરો 16 મી સદીમાં બનાવવામાં આવી હતી. તે એક વિશાળ કબ્રસ્તાન છે. કહેવામાં આવે છે કે દરેક ઇમારત એક પરિવારથી સંબંધિત છે, જેમાં ફક્ત તે જ પરિવારના સભ્યોબે દફનાવવામાં આવ્યા છે.
એટલું જ નહીં આ જગ્યાને લઈને સ્થાનિક લોકો વચ્ચે અલગ અલગ માન્યતાઓ છે. તેમનું માનવું છે કે આ ઝૂંપડા જેવી ઇમારતોમાં જનાર કોઈ પણ પાછું આવ્યું નથી. જો કે, ક્યારેક ક્યારેક પ્રવાસીઓ આ જગ્યાનું રહસ્ય જાણવા માટે આવતા જ રહે છે.
આ જગ્યા પર પહોંચવાનો રસ્તો પણ ખૂબ મુશ્કેલ છે. અહીં પહાડોની વચ્ચેના સાંકડા રસ્તાઓથી પસાર થવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. અહીંનું હવામાન પણ હંમેશાં ખરાબ રહે છે, જે પ્રવાસ માટે મોટો અવરોધ છે. પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ અહીં કબરો નજીક બોટ મળી આવી છે. સ્થાનિક લોકો વચ્ચે બોટ અંગેની માન્યતા છે કે આત્માને સ્વર્ગ સુધી પહોંચવા માટે નદી પાર કરવી પડે છે, તેથી લાશને બોટ પર રાખીને દફનાવવામાં આવતી હતી.
પુરાતત્ત્વવિદોએ અહીંના દરેક ભોંયરુંની સામે એક કૂવો પણ મળી આવ્યો છે, જેના વિશે કહેવામાં આવે છે કે લોકો તેમના સબંધીઓને અહીં દફનાવ્યા પછી કુવામાં સિક્કા ફેંકતા હતા. જો સિક્કો તળિયે પત્થરો સાથે ટકરાતો, તો તેનો અર્થ હતો કે આત્મા સ્વર્ગ સુધી પહોંચી ગઈ.