નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, હોર્ડિંગ ઉતારી લેતા કાલે શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા
મંત્રીમંડળમાં કોન રહેશે ને કોને બાકાત કરવામાં આવશે તે અંગે સસ્પેન્શ યથાવત
મંત્રીમંડળના નવા સભ્યોના નામ જાહેર ન થયા હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ વિના જ શપથવિધિ કરી હતી
નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે યુવા નેતાઓના પ્રયાસો, વર્તમાન મંત્રીમંડળના સિનિયર મંત્રીઓના સભ્યપદ પર જોખમ
WatchGujarat. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવ્યા બાદ હવે રાજ્યના લોકો મંત્રીમંડળના નવા સભ્યોના નામને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના મંત્રીમંડળની સભ્યોની શપથવિધિ આવતી કાલે યોજાશે. જો કે, આજરોજ શપથવિધી યોજાશે તેવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે યુવા નેતાઓ પ્રયાસો કરી રહ્યાં છે. જ્યારે વર્તમાન મંત્રીમંડળના સભ્યો પોતાનું પદ બાચવવા માટેના પ્રયત્નોમાં લાગેલા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોનું સ્થાન યથાવત રહેશે ને કોનું પત્તુ કપાશે. આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓને હટાવવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર ગત રાત્રે રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને પોતાની સરકારી ગાડી જમા કરવા સુચના આપવામાં આવી છે. તેમજ તેમના આવાસો પણ ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ હતું. જે પરથી લાગી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓના પત્તા કપાઈ શકે છે.
આજે સાંજે જ મંત્રીઓના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવશે તેવું પોસ્ટર પણ સામે આવ્યું છે. જેમાં દર્શાવ્યા પ્રમાણે આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પરંતુ સસ્પેન્શ પરથી પરદો ઉઠવા માટે હજી આવતીકાલ સુધી રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં સાથે મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ ભૂપેન્દ્ર પટેલે 13મી સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળ વિના જ શપથવિધિ કરી હતી. ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે નવા મંત્રી મંડળની શપથવિધિ આગામી 16 સપ્ટેમ્બરના રોજ યોજાશે તેમજ નવા મંત્રીમંડળના નામો પર મહોર લાગશે.
નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, હોર્ડિંગ ઉતારી લેતા કાલે શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા
મંત્રીમંડળમાં કોન રહેશે ને કોને બાકાત કરવામાં આવશે તે અંગે સસ્પેન્શ યથાવત
મંત્રીમંડળના નવા સભ્યોના નામ જાહેર ન થયા હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ વિના જ શપથવિધિ કરી હતી
નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે યુવા નેતાઓના પ્રયાસો, વર્તમાન મંત્રીમંડળના સિનિયર મંત્રીઓના સભ્યપદ પર જોખમ
WatchGujarat. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવ્યા બાદ હવે રાજ્યના લોકો મંત્રીમંડળના નવા સભ્યોના નામને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના મંત્રીમંડળની સભ્યોની શપથવિધિ આવતી કાલે યોજાશે. જો કે, આજરોજ શપથવિધી યોજાશે તેવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે યુવા નેતાઓ પ્રયાસો કરી રહ્યાં છે. જ્યારે વર્તમાન મંત્રીમંડળના સભ્યો પોતાનું પદ બાચવવા માટેના પ્રયત્નોમાં લાગેલા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોનું સ્થાન યથાવત રહેશે ને કોનું પત્તુ કપાશે. આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓને હટાવવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર ગત રાત્રે રાજ્યના તમામ સિનિયર મંત્રીઓને પોતાની સરકારી ગાડી જમા કરવા સુચના આપવામાં આવી છે. તેમજ તેમના આવાસો પણ ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન મંત્રીઓમાં મોટા ભાગના લોકોને આરામ કરવા કહેવાયુ હતું. જે પરથી લાગી રહ્યું છે કે વર્તમાન મંત્રીઓમાંથી સિનિયર મંત્રીઓના પત્તા કપાઈ શકે છે.
આજે સાંજે જ મંત્રીઓના નામની જાહેરાત સાથે જ બપોરે 4 વાગ્યે શપથવિધિ પણ કરાવી નાખવામાં આવશે તેવું પોસ્ટર પણ સામે આવ્યું છે. જેમાં દર્શાવ્યા પ્રમાણે આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. પરંતુ સસ્પેન્શ પરથી પરદો ઉઠવા માટે હજી આવતીકાલ સુધી રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં સાથે મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. જે બાદ ભૂપેન્દ્ર પટેલે 13મી સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળ વિના જ શપથવિધિ કરી હતી. ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે નવા મંત્રી મંડળની શપથવિધિ આગામી 16 સપ્ટેમ્બરના રોજ યોજાશે તેમજ નવા મંત્રીમંડળના નામો પર મહોર લાગશે.