ભાજપના મોવડી મંડળ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી અચાનક હટાવીને ભુપેન્દ્ર પટેલને બેસાડ્યા હતા
મંત્રી બનવા માટે ભાજપમાં ભાંજગડ એ હદે વકરી કે ગતરોજ નિર્ધારિત કરવામાં આવેલી શપથવિધી મુલતલી રાખવામાં આવી
નવા મંત્રીમંડળમાં સામેલ થવા માટે ભાજપના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરવામાં આવી રહી છે
WatchGujarat. આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ની સરકારના નવા મંત્રી મંડળમાં ધારાસભ્યો શપથ લેશે. આ માટેની જાણ કરવા માટે ચુનિંદા ધારાસભ્યોને ફોન પર જાણકારી આપવામાં આવી હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઇ રહી છે. નવા ચહેરાઓ સાથે ભાજપ આ વખતે મંત્રીમંડળની રચના કરશે તેવું સુત્રોએ ઉમેર્યું હતું.
ભાજપના મોવડી મંડળ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી અચાનક હટાવીને ભુપેન્દ્ર પટેલને બેસાડ્યા હતા. આ સમગ્ર ઘટના ક્રમ નાટ્યાત્મક રીતે પાર પડ્યો હતો. જો કે, નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળનમાં કોણ રહેશે અને કોણ કપાશે તે અંગે અનેક અટકળોએ સ્થાન લીધું હતું. પરંતુ મંત્રી બનવા માટે ભાજપમાં ભાંજગડ એ હદે વકરી કે ગતરોજ નિર્ધારિત કરવામાં આવેલી શપથવિધી મુલતલી રાખવામાં આવી હતી. આજરોજ બપોરે શપથવિધી યોજાય તેવી માહિતી હાલ તબક્કે પ્રાપ્ત થઇ રહી છે.
નવા મંત્રીમંડળમાં સામેલ થવા માટે ભાજપના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરવામાં આવી રહી છે. હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવી સરકારમાં મંત્રી બનવા માટે જીતુ વાઘાણી, બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરી હાજર રહેવા જણાયું છે.
જો કે, નવા મુખ્યમંત્રી બનવાથી લઇને મંત્રીમંડળવી રચના સુધીનો ઘટના ક્રમ એટલો નાટ્યાત્મક રીતે પાર પડ્યો છે કે કોઇ પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આજરોજ નવા મંત્રી મંડળની રચના બાદ આ સસ્પેન્સ પરથી પરદો ઉઠી જશે.
- ભાજપના મોવડી મંડળ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી અચાનક હટાવીને ભુપેન્દ્ર પટેલને બેસાડ્યા હતા
- મંત્રી બનવા માટે ભાજપમાં ભાંજગડ એ હદે વકરી કે ગતરોજ નિર્ધારિત કરવામાં આવેલી શપથવિધી મુલતલી રાખવામાં આવી
- નવા મંત્રીમંડળમાં સામેલ થવા માટે ભાજપના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરવામાં આવી રહી છે
WatchGujarat. આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ની સરકારના નવા મંત્રી મંડળમાં ધારાસભ્યો શપથ લેશે. આ માટેની જાણ કરવા માટે ચુનિંદા ધારાસભ્યોને ફોન પર જાણકારી આપવામાં આવી હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઇ રહી છે. નવા ચહેરાઓ સાથે ભાજપ આ વખતે મંત્રીમંડળની રચના કરશે તેવું સુત્રોએ ઉમેર્યું હતું.
ભાજપના મોવડી મંડળ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી અચાનક હટાવીને ભુપેન્દ્ર પટેલને બેસાડ્યા હતા. આ સમગ્ર ઘટના ક્રમ નાટ્યાત્મક રીતે પાર પડ્યો હતો. જો કે, નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળનમાં કોણ રહેશે અને કોણ કપાશે તે અંગે અનેક અટકળોએ સ્થાન લીધું હતું. પરંતુ મંત્રી બનવા માટે ભાજપમાં ભાંજગડ એ હદે વકરી કે ગતરોજ નિર્ધારિત કરવામાં આવેલી શપથવિધી મુલતલી રાખવામાં આવી હતી. આજરોજ બપોરે શપથવિધી યોજાય તેવી માહિતી હાલ તબક્કે પ્રાપ્ત થઇ રહી છે.
નવા મંત્રીમંડળમાં સામેલ થવા માટે ભાજપના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરવામાં આવી રહી છે. હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવી સરકારમાં મંત્રી બનવા માટે જીતુ વાઘાણી, બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યોને ટેલીફોનિક જાણ કરી હાજર રહેવા જણાયું છે.
જો કે, નવા મુખ્યમંત્રી બનવાથી લઇને મંત્રીમંડળવી રચના સુધીનો ઘટના ક્રમ એટલો નાટ્યાત્મક રીતે પાર પડ્યો છે કે કોઇ પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આજરોજ નવા મંત્રી મંડળની રચના બાદ આ સસ્પેન્સ પરથી પરદો ઉઠી જશે.