એક તરફ કામગીરી શરૂ કરવાનું નાળિયેર ફૂટ્યું અને બીજી તરફ કસક, કોલેજ રોડ, ભૃગુઋષિ બ્રિજ, કલેકટર કચેરી રોડ ઉપર વાહનોની કતારો કલાકો સુધી જામી
11 સપ્ટેમ્બરથી નાળાની કામગીરી સ્થાનિકોએ દાદર તોડી પાડવાને લઈ અટકાવી દીધી હતી
તંત્રએ દાદર યથાવત રાખવાની બાંહેધરી આપતા બુધવારથી નાળુ બંધ કરી કામગીરી શરૂ કરાઇ છે
WatchGujarat. ભરૂચ કસક ગરનાળુ દાદર યથાવત રાખવાની શરતે બુધવારથી નાળુ બંધ કરી પહોળું કરવાની કામગીરી શરૂ કરાતા જ પહેલા જ દિવસે શહેર ચક્કાજામના ભરડામાં આવી ગયું હતું. શહેરીજનો અને વાહન ચાલકોએ કલાકો સુધી ચક્કાજામમાં ફસાવાનો વારો આવ્યો હતો. પેહલા દિવસે જ આવી હાલત સર્જાઈ હતી તો આગામી 15 દિવસ કેવા રહેશે જેને લઈ લોકો ચિંતામાં મુકાયા છે. ભરૂચનું કસક ગરનાળુ પહોળું કરવામાં દાદર નહિ તોડવાના મુદાનો સુખદ ઉકેલ આવતા બુધવારે સ્થાનિકો એ જ નાળિયેર ફોડતા આર એન્ડ બી એ કામગીરી આરંભી હતી.
કસક ગરનાળાની કામગીરી 15 દિવસ માટે શરૂ થતાં નાળુ બંધ થતાં જ શહેર ટ્રાફિકજામના ભરડામાં સમેટાઈ ગયું હતું. કસકથી રેલવે સ્ટેશનનો માર્ગ સદંતર બંધ કરાયો હતો. જ્યારે સ્ટેશનથી કસક તરફ જવા ટુ અને થ્રિ વ્હીલર માટે રસ્તો શરૂ કરાયો હતો. પૂર્વ અને પશ્ચિમ ભરૂચમાં અવરજવરની પ્રવેશ દ્વાર સમુ કસક ગરનાળુ બંધ થતા જ ડાય વર્ઝન અપાયેલા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર હાજરો વાહનોનું ભારણ આવી ગયું હતું. જેના પગલે સવારથી જ કસક, કોલેજ રોડ ભોલાવ ફ્લાયઓવર, કલેકટર કચેરી રોડ ઉપર વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા સાથે કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
કસક ગરનાળાનો વિવાદ હમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે. નાળુ સાંકડું અને નીચું હોવાથી અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે. જયારે પણ નાળાને બંધ કરવાનો નિર્ણય સમારકામ કે નવીનીકરણ માટે લેવાયો ત્યારે લોકોનો વિરોધ ઉઠ્યો છે. અને નાળુ બંધ કરાતા લોકોને ફેરાવા સાથે ટ્રાફિકજમની સમસ્યા પણ ભોગવી પડી છે.
ગણેશ મોહત્સવ, વિસર્જન અને ચોમાસામાં શહેરના તમામ માર્ગો ખાડામાં ગયા છે ત્યારે નાળુ 15 દિવસ બંધ રહેતા પૂર્વ અને પશ્ચિમ ભરૂચમાં અવર જવર માટે 8 થી 10000 વાહન ચાલકોએ રોજ ભૃગુઋષિ ફ્લાય ઓવરનો ઉપયોગ કરવો પડશે. જેને લઈ કોલેજ રોડ, ફ્લાયઓવર, કલેકટર કચેરી, કોર્ટ રોડ, શક્તિનાથ ઉપર પણ ટ્રાફિકજામનું સંકટ આવી પડ્યું છે.
એક તરફ કામગીરી શરૂ કરવાનું નાળિયેર ફૂટ્યું અને બીજી તરફ કસક, કોલેજ રોડ, ભૃગુઋષિ બ્રિજ, કલેકટર કચેરી રોડ ઉપર વાહનોની કતારો કલાકો સુધી જામી
તંત્રએ દાદર યથાવત રાખવાની બાંહેધરી આપતા બુધવારથી નાળુ બંધ કરી કામગીરી શરૂ કરાઇ છે
WatchGujarat. ભરૂચ કસક ગરનાળુ દાદર યથાવત રાખવાની શરતે બુધવારથી નાળુ બંધ કરી પહોળું કરવાની કામગીરી શરૂ કરાતા જ પહેલા જ દિવસે શહેર ચક્કાજામના ભરડામાં આવી ગયું હતું. શહેરીજનો અને વાહન ચાલકોએ કલાકો સુધી ચક્કાજામમાં ફસાવાનો વારો આવ્યો હતો. પેહલા દિવસે જ આવી હાલત સર્જાઈ હતી તો આગામી 15 દિવસ કેવા રહેશે જેને લઈ લોકો ચિંતામાં મુકાયા છે. ભરૂચનું કસક ગરનાળુ પહોળું કરવામાં દાદર નહિ તોડવાના મુદાનો સુખદ ઉકેલ આવતા બુધવારે સ્થાનિકો એ જ નાળિયેર ફોડતા આર એન્ડ બી એ કામગીરી આરંભી હતી.
કસક ગરનાળાની કામગીરી 15 દિવસ માટે શરૂ થતાં નાળુ બંધ થતાં જ શહેર ટ્રાફિકજામના ભરડામાં સમેટાઈ ગયું હતું. કસકથી રેલવે સ્ટેશનનો માર્ગ સદંતર બંધ કરાયો હતો. જ્યારે સ્ટેશનથી કસક તરફ જવા ટુ અને થ્રિ વ્હીલર માટે રસ્તો શરૂ કરાયો હતો. પૂર્વ અને પશ્ચિમ ભરૂચમાં અવરજવરની પ્રવેશ દ્વાર સમુ કસક ગરનાળુ બંધ થતા જ ડાય વર્ઝન અપાયેલા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર હાજરો વાહનોનું ભારણ આવી ગયું હતું. જેના પગલે સવારથી જ કસક, કોલેજ રોડ ભોલાવ ફ્લાયઓવર, કલેકટર કચેરી રોડ ઉપર વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા સાથે કલાકો સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
કસક ગરનાળાનો વિવાદ હમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે. નાળુ સાંકડું અને નીચું હોવાથી અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે. જયારે પણ નાળાને બંધ કરવાનો નિર્ણય સમારકામ કે નવીનીકરણ માટે લેવાયો ત્યારે લોકોનો વિરોધ ઉઠ્યો છે. અને નાળુ બંધ કરાતા લોકોને ફેરાવા સાથે ટ્રાફિકજમની સમસ્યા પણ ભોગવી પડી છે.
ગણેશ મોહત્સવ, વિસર્જન અને ચોમાસામાં શહેરના તમામ માર્ગો ખાડામાં ગયા છે ત્યારે નાળુ 15 દિવસ બંધ રહેતા પૂર્વ અને પશ્ચિમ ભરૂચમાં અવર જવર માટે 8 થી 10000 વાહન ચાલકોએ રોજ ભૃગુઋષિ ફ્લાય ઓવરનો ઉપયોગ કરવો પડશે. જેને લઈ કોલેજ રોડ, ફ્લાયઓવર, કલેકટર કચેરી, કોર્ટ રોડ, શક્તિનાથ ઉપર પણ ટ્રાફિકજામનું સંકટ આવી પડ્યું છે.