ગુજરાતના 61માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે ભરૂચ કોવિડ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 16 દર્દીઓ સહિત 2 માસૂમ નર્સની જિંદગી આગમાં હોમાઈ હતી
હવે નિવૃત જજ ડી.એ. મહેતા ની કમિટી હોનારત સ્થળનું નિરીક્ષણ કરી તપાસ કરશે
અગાઉ CM રૂપાણીએ 2 સિનિયર IAS ની તાત્કાલિક તપાસ કમિટી બનાવતા તેમણે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું
અત્યાર સુધી ગૃહમંત્રી, IG, કોંગ્રેસ, AAP ડેલીગેશન મુલાકાત લઈ ચૂક્યું છે
મૃતક નર્સ માધવીના ભાઈ જયના લાઈટરથી આગના વિડીયો અને ઓડિયો બાદ બીજી વખત FSL અને પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ સબંધિતોના નિવેદનો લીધા છે
ICU વોર્ડમાં લાગેલી આગ વેન્ટીલેટરમાં સ્પાર્ક કે લાઈટરના લીધે સેનેટાઇઝરથી વિકરાળ બની તેનું રહસ્ય હજી અકળ રહ્યું છે
ઘટના સમયે અંધારામાં પહોંચેલી પોલીસ અને પ્રજા જનરલ વોર્ડના દર્દીઓને જ પહેલા ઉગારવામાં કાર્યરત રહી હતી, પાછળના ભાગે રહેલા ICU નો બાદમાં ખ્યાલ આવ્યો હતો
વિક્કી જોષી. કોરોનાકાળમાં કોવિડ હોસ્પિટલોમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની શિવાનંદ અને ગુજરાતના 61 માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે જ ભરૂચની કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરમાં લાગેલી આગે લોકોને હતપ્રત કરી દીધા હતા. વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે માત્ર 19 વર્ષની 2 ટ્રેની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી.ગોઝારી હોનારતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પ્રજા, પોલીસ, ફાયર સહિતના પ્રશાસને સમયસૂચકતા વાપરી જેટલા જીવ બચી શકે તેનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ દુર્ઘટનાથી શોકની કાલીમાં છવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક મૃતકોને ₹ 4 લાખની સહાય સાથે ઘટનાની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ અર્થે 2 સિનિયર IAS ને સ્વતંત્ર તપાસ સોંપી તાત્કાલિક ભરૂચ તપાસ અર્થે પોહચવા સૂચના જારી કરી હતી.
જેને લઈ ભરૂચ કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ ભરૂચ તાત્કાલિક શનિવારે દોડી આવ્યા હતા.
2 સિનિયર IAS સાથે જિલ્લા પ્રભારી સચિવ IAS શાહમીના હુસેન, જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, રેન્જ IG હરિકૃષ્ણ પટેલ, DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ આગળ વધાર્યો હતો.
FSL એ પણ દોડી આવી આગ ક્યાં કારણસર લાગી તેના પુરાવા અને હકીકત મેળવવા જરૂરી નમૂનાઓ લેવાની કવાયત કરી હતી. ઘટનાને બીજા દિવસે હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા ભરૂચ દોડી આવી ઘટના સ્થળની મુલાકાત લઈ તંત્ર સાથે જરૂરી બેઠક યોજી માહિતી મેળવી હતી.
બીજે દિવસે પ્રદેશ કોંગ્રેસ અને આપનું ડેલીગેશન પણ દોડી આવ્યું હતું, દરમિયાન મૃતક ટ્રેની નર્સ માધવી પઢીયારના ભાઈ જય એ વિડીયો સાથે ઓડિયો જારી કરી આગ વેન્ટીલેટરમાં સ્પાર્ક થી નહિ પણ લાઈટરથી લાગી હોવાના આક્ષેપ કરતા તપાસમાં નવો એન્ગલ ઉપસ્થિત થતા તપાસ એજન્સીઓ, પોલીસ અને FSL એ તે દિશામાં ફરીથી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન ગુરુવારે મોડી સાંજે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તલસ્પર્શી તપાસ માટે નિવૃત જસ્ટિસ ડી . એ . મહેતાના તપાસ પંચની રચના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે.
આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે. અમદાવાદની કોવિડ શ્રેય હોસ્પિટલ અને રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગજનીની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપવામાં આવી છે.
ભરૂચ ખાતેની આ દુઃખદ ઘટના સંદર્ભે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
જોકે ઘટના બાદ કેટલાય લોકોના જીવ બચાવનાર પોલીસે પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે , ઘટનાની રાતે અમે પોહચ્યા ત્યારે વીજળી ન હતી અને અંધારું હતું. અમે કોવિડ સેન્ટરના આગળના ભાગે હતા, આગ ICU માં પાછળ લાગી હોવાનું ધ્યાન ન હોય જનરલ વોર્ડના દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા બાદમાં માલુમ પડતા પાછળ જઈ રેસ્ક્યુની કામગીરી કરાઈ હતી. જો પેહલા ખબર હોત તો કમભાગી ICU ના દર્દીઓના જીવ બચાવી શક્યા હોત.
વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી
રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે , ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારું હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચીને વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓએ ના પાડવા છતાંય આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવ્યા છે. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય કરાયો છે .
ગુજરાતના 61માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે ભરૂચ કોવિડ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 16 દર્દીઓ સહિત 2 માસૂમ નર્સની જિંદગી આગમાં હોમાઈ હતી
હવે નિવૃત જજ ડી.એ. મહેતા ની કમિટી હોનારત સ્થળનું નિરીક્ષણ કરી તપાસ કરશે
અગાઉ CM રૂપાણીએ 2 સિનિયર IAS ની તાત્કાલિક તપાસ કમિટી બનાવતા તેમણે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું
અત્યાર સુધી ગૃહમંત્રી, IG, કોંગ્રેસ, AAP ડેલીગેશન મુલાકાત લઈ ચૂક્યું છે
મૃતક નર્સ માધવીના ભાઈ જયના લાઈટરથી આગના વિડીયો અને ઓડિયો બાદ બીજી વખત FSL અને પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ સબંધિતોના નિવેદનો લીધા છે
ICU વોર્ડમાં લાગેલી આગ વેન્ટીલેટરમાં સ્પાર્ક કે લાઈટરના લીધે સેનેટાઇઝરથી વિકરાળ બની તેનું રહસ્ય હજી અકળ રહ્યું છે
ઘટના સમયે અંધારામાં પહોંચેલી પોલીસ અને પ્રજા જનરલ વોર્ડના દર્દીઓને જ પહેલા ઉગારવામાં કાર્યરત રહી હતી, પાછળના ભાગે રહેલા ICU નો બાદમાં ખ્યાલ આવ્યો હતો
વિક્કી જોષી. કોરોનાકાળમાં કોવિડ હોસ્પિટલોમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ બાદ રાજકોટની શિવાનંદ અને ગુજરાતના 61 માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે જ ભરૂચની કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરમાં લાગેલી આગે લોકોને હતપ્રત કરી દીધા હતા. વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે માત્ર 19 વર્ષની 2 ટ્રેની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી.ગોઝારી હોનારતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પ્રજા, પોલીસ, ફાયર સહિતના પ્રશાસને સમયસૂચકતા વાપરી જેટલા જીવ બચી શકે તેનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ દુર્ઘટનાથી શોકની કાલીમાં છવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક મૃતકોને ₹ 4 લાખની સહાય સાથે ઘટનાની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ અર્થે 2 સિનિયર IAS ને સ્વતંત્ર તપાસ સોંપી તાત્કાલિક ભરૂચ તપાસ અર્થે પોહચવા સૂચના જારી કરી હતી.
જેને લઈ ભરૂચ કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ ભરૂચ તાત્કાલિક શનિવારે દોડી આવ્યા હતા.
2 સિનિયર IAS સાથે જિલ્લા પ્રભારી સચિવ IAS શાહમીના હુસેન, જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, રેન્જ IG હરિકૃષ્ણ પટેલ, DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ આગળ વધાર્યો હતો.
FSL એ પણ દોડી આવી આગ ક્યાં કારણસર લાગી તેના પુરાવા અને હકીકત મેળવવા જરૂરી નમૂનાઓ લેવાની કવાયત કરી હતી. ઘટનાને બીજા દિવસે હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા ભરૂચ દોડી આવી ઘટના સ્થળની મુલાકાત લઈ તંત્ર સાથે જરૂરી બેઠક યોજી માહિતી મેળવી હતી.
બીજે દિવસે પ્રદેશ કોંગ્રેસ અને આપનું ડેલીગેશન પણ દોડી આવ્યું હતું, દરમિયાન મૃતક ટ્રેની નર્સ માધવી પઢીયારના ભાઈ જય એ વિડીયો સાથે ઓડિયો જારી કરી આગ વેન્ટીલેટરમાં સ્પાર્ક થી નહિ પણ લાઈટરથી લાગી હોવાના આક્ષેપ કરતા તપાસમાં નવો એન્ગલ ઉપસ્થિત થતા તપાસ એજન્સીઓ, પોલીસ અને FSL એ તે દિશામાં ફરીથી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન ગુરુવારે મોડી સાંજે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તલસ્પર્શી તપાસ માટે નિવૃત જસ્ટિસ ડી . એ . મહેતાના તપાસ પંચની રચના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે.
આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે. અમદાવાદની કોવિડ શ્રેય હોસ્પિટલ અને રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગજનીની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપવામાં આવી છે.
ભરૂચ ખાતેની આ દુઃખદ ઘટના સંદર્ભે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
જોકે ઘટના બાદ કેટલાય લોકોના જીવ બચાવનાર પોલીસે પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે , ઘટનાની રાતે અમે પોહચ્યા ત્યારે વીજળી ન હતી અને અંધારું હતું. અમે કોવિડ સેન્ટરના આગળના ભાગે હતા, આગ ICU માં પાછળ લાગી હોવાનું ધ્યાન ન હોય જનરલ વોર્ડના દર્દીઓના જીવ બચાવી રહ્યા હતા બાદમાં માલુમ પડતા પાછળ જઈ રેસ્ક્યુની કામગીરી કરાઈ હતી. જો પેહલા ખબર હોત તો કમભાગી ICU ના દર્દીઓના જીવ બચાવી શક્યા હોત.
વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી
રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે , ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારું હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચીને વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓએ ના પાડવા છતાંય આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવ્યા છે. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય કરાયો છે .