મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી તેમના પતિ બકુલભાઈ બન્ને પુત્રો અને પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થયા
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનીવાર અને રવીવારે લોકડાઉનનો નિર્ણય જાહેર કરાયો
કામ સિવાય ક્યાંય બહાર નહીં જતા કે કોઈને નહીં મળતા જૈન સમાજના 8 મહાસતીજીઓ પણ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો
બે દિવસ સુધી રાજકોટમાં રહી ગુજરાત આરોગ્ય વિભાગની સાથે વેક્સિનેશન સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવશે - દિલ્હીના આરોગ્ય અધિકારી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. અને પોઝીટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 32 દર્દીઓનાં ભોગ લેવાયા છે. તો ભાજપનાં મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી અને તેઓનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. બીજીતરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જશવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં જૈન સમાજનાં 8 મહાસતીજીઓને પણ કોરોના થતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં નિષ્ણાંત ડોક્ટર્સની ટીમો સંક્રમણને રોકવા દોડી આવી છે. તો સૌરાષ્ટ્રનાં મોટાભાગના ધર્મસ્થાનો દ્વારા સ્વયંભૂ બંધ જાહેર કરાયુ છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં ડોક્ટર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
કોરોના વાયરસના કેસમાં વધારો થતાં કેન્દ્રની સરકાર દ્વારા આરોગ્ય વિભાગની ટીમને ગુજરાત મોકલવામાં આવી છે. જે અંતર્ગત દિલ્હી ખાતેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ રાજકોટ પહોંચી છે. શહેરનાં સરકીટ હાઉસ ખાતે કેન્દ્રીય આરોગ્ય ટીમની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દિલ્હીના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, કોવિડની સ્થિતિને લઈને અમને મોકલ્યા છે. બે દિવસ સુધી રાજકોટમાં રહી ગુજરાત આરોગ્ય વિભાગની સાથે વેક્સિનેશન સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવશે. અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર દેશમાં પરિવાર એકસાથે જ સંક્રમિત થતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ માટેના કારણો પણ તપાસવામાં આવશે. જો કે હાલ લોકો વધુમાં વધુ માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેમજ સોશિયલ ડિસ્ટનસ્ટ રાખે તે જ કોરોના સંક્રમણને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય હોવાનું તેમણે જણાવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .10નાં સવારના 8 વાગ્યાથી તા.11નાં સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં શહેર - જીલ્લાનાં 32 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે ગઇકાલે થયેલા 34 દર્દીઓના મોત પૈકી 5 જ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું. શહેર અને જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં હાલ 326 બેડ ખાલી છે. શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. અને ટેસ્ટીંગ વધારવાની સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી રહી છે.
ભાજપ-કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પરિવાર સાથે અને જૈન સમાજનાં 8 મહાસતીજી સંક્રમિત
રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી તેમના પતિ બકુલભાઈ બન્ને પુત્રો અને પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તમામની સ્થિતિ સ્ટેબલ હોવાથી હોમ આઇસોલેશનમાં છે. તો કોંગ્રેસનાં નેતા જશવંતસિંહ ભટ્ટી અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત બન્યો છે. અને તેમના સહિત આખા પરિવારની તબિયત સારી હોવાનું જણાવાયું છે. સાથે કામ સિવાય ક્યાંય બહાર નહીં જતા કે કોઈને નહીં મળતા જૈન સમાજના 8 મહાસતીજીઓ પણ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા-તાલુકા મથકો-ગ્રામ્ય વિસ્તારો, અને ધર્મસ્થાનોમાં સ્વયંભુ લોકડાઉન
કોરોનાએ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળો કહેર મચાવ્યો છે. તેમજ દરરોજ મોટા પ્રમાણમાં પોઝીટીવ કેસોની સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. તેની સામે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ સ્વયંભુ લોકડાઉનનો આજથી અમલ શરૂ થયો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનીવાર અને રવીવારે લોકડાઉનનો નિર્ણય જાહેર કરાયો છે. આ ઉપરાંત વિરપુરનાં પ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર, શ્રી ખોડલધામ મંદિર, તેમજ સતાધાર સહીતનાં અનેક ધર્મસ્થાનો પણ ભાવીકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી તેમના પતિ બકુલભાઈ બન્ને પુત્રો અને પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થયા
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનીવાર અને રવીવારે લોકડાઉનનો નિર્ણય જાહેર કરાયો
કામ સિવાય ક્યાંય બહાર નહીં જતા કે કોઈને નહીં મળતા જૈન સમાજના 8 મહાસતીજીઓ પણ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો
બે દિવસ સુધી રાજકોટમાં રહી ગુજરાત આરોગ્ય વિભાગની સાથે વેક્સિનેશન સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવશે - દિલ્હીના આરોગ્ય અધિકારી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. અને પોઝીટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 32 દર્દીઓનાં ભોગ લેવાયા છે. તો ભાજપનાં મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી અને તેઓનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. બીજીતરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જશવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં જૈન સમાજનાં 8 મહાસતીજીઓને પણ કોરોના થતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં નિષ્ણાંત ડોક્ટર્સની ટીમો સંક્રમણને રોકવા દોડી આવી છે. તો સૌરાષ્ટ્રનાં મોટાભાગના ધર્મસ્થાનો દ્વારા સ્વયંભૂ બંધ જાહેર કરાયુ છે.
કોરોના વાયરસના કેસમાં વધારો થતાં કેન્દ્રની સરકાર દ્વારા આરોગ્ય વિભાગની ટીમને ગુજરાત મોકલવામાં આવી છે. જે અંતર્ગત દિલ્હી ખાતેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ રાજકોટ પહોંચી છે. શહેરનાં સરકીટ હાઉસ ખાતે કેન્દ્રીય આરોગ્ય ટીમની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દિલ્હીના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, કોવિડની સ્થિતિને લઈને અમને મોકલ્યા છે. બે દિવસ સુધી રાજકોટમાં રહી ગુજરાત આરોગ્ય વિભાગની સાથે વેક્સિનેશન સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવશે. અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર દેશમાં પરિવાર એકસાથે જ સંક્રમિત થતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ માટેના કારણો પણ તપાસવામાં આવશે. જો કે હાલ લોકો વધુમાં વધુ માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેમજ સોશિયલ ડિસ્ટનસ્ટ રાખે તે જ કોરોના સંક્રમણને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય હોવાનું તેમણે જણાવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .10નાં સવારના 8 વાગ્યાથી તા.11નાં સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં શહેર - જીલ્લાનાં 32 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે ગઇકાલે થયેલા 34 દર્દીઓના મોત પૈકી 5 જ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું. શહેર અને જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં હાલ 326 બેડ ખાલી છે. શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. અને ટેસ્ટીંગ વધારવાની સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી રહી છે.
ભાજપ-કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પરિવાર સાથે અને જૈન સમાજનાં 8 મહાસતીજી સંક્રમિત
રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી તેમના પતિ બકુલભાઈ બન્ને પુત્રો અને પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તમામની સ્થિતિ સ્ટેબલ હોવાથી હોમ આઇસોલેશનમાં છે. તો કોંગ્રેસનાં નેતા જશવંતસિંહ ભટ્ટી અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત બન્યો છે. અને તેમના સહિત આખા પરિવારની તબિયત સારી હોવાનું જણાવાયું છે. સાથે કામ સિવાય ક્યાંય બહાર નહીં જતા કે કોઈને નહીં મળતા જૈન સમાજના 8 મહાસતીજીઓ પણ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા-તાલુકા મથકો-ગ્રામ્ય વિસ્તારો, અને ધર્મસ્થાનોમાં સ્વયંભુ લોકડાઉન
કોરોનાએ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળો કહેર મચાવ્યો છે. તેમજ દરરોજ મોટા પ્રમાણમાં પોઝીટીવ કેસોની સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. તેની સામે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ સ્વયંભુ લોકડાઉનનો આજથી અમલ શરૂ થયો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં જીલ્લા મથકો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનીવાર અને રવીવારે લોકડાઉનનો નિર્ણય જાહેર કરાયો છે. આ ઉપરાંત વિરપુરનાં પ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર, શ્રી ખોડલધામ મંદિર, તેમજ સતાધાર સહીતનાં અનેક ધર્મસ્થાનો પણ ભાવીકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.