અમદાવાદ. કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. તેના કારણે ભારતમાં અનેક જાણીતા લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક ગુજરાતી NRI નું નામ સામે આવ્યું છે. લંડનમાં વસતા ગુજરાતી મુળના ખેડાના જાણીતા ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોના વાયરસના કારણે અવસાન થયું છે. જેના કારણે વિજય ગઢવીના પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તો ચાહકો પણ ચોકી ઉટ્યા.
ગુજરાતના જાણીતા ગાયક વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયા સમાચાર સામે આવી રહ્યા છે. મુળ મહેમદાવાદના વતની વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા.
થોડા દિવસ પહેલા જ કોરોના સંક્રમીત થયા હતા
થોડા દિવસો પહેલા તેમણે કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ જણાઈ આવતા હજુ 2 દિવસ પહેલા જ હોસ્પિટલથી પરત ઘરે ફર્યા હતા.
ગત રાત્રીએ ફરી તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા હતા
પણ ગત રાત્રે તેમની તબિયત ફરી બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે. ચાહકોમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી.
અમદાવાદ. કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. તેના કારણે ભારતમાં અનેક જાણીતા લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક ગુજરાતી NRI નું નામ સામે આવ્યું છે. લંડનમાં વસતા ગુજરાતી મુળના ખેડાના જાણીતા ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોના વાયરસના કારણે અવસાન થયું છે. જેના કારણે વિજય ગઢવીના પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તો ચાહકો પણ ચોકી ઉટ્યા.
ગુજરાતના જાણીતા ગાયક વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયા સમાચાર સામે આવી રહ્યા છે. મુળ મહેમદાવાદના વતની વિજય ગઢવી છેલ્લા ઘણા સમયથી લંડનમાં સ્થાયી થયા હતા.
થોડા દિવસ પહેલા જ કોરોના સંક્રમીત થયા હતા
થોડા દિવસો પહેલા તેમણે કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ જણાઈ આવતા હજુ 2 દિવસ પહેલા જ હોસ્પિટલથી પરત ઘરે ફર્યા હતા.
ગત રાત્રીએ ફરી તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા હતા
પણ ગત રાત્રે તેમની તબિયત ફરી બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે. ચાહકોમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી.