કોંગ્રેસના પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયા
ટ્રેકટર રેલી પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા
તંત્રએ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી
WatchGujarat ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આજ રોજ યોજાયો હતો. જેમાં ભાગ લેવા પીએમ મોદી સવારે 10 કલાકે અમદાવાદ આવ્યાં હતાં. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ PM મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ દાંડીયાત્રા કાઢવા માટે ગાંધીઆશ્રમ તરફ જવા નીકળ્યા હતા. પરંતુ કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે કોંગી નેતાઓને અટકાવવાની શરૂઆત કરી હતી. જો કે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવા છતાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં. તેમાં પણ કોંગ્રેસના પ્રગતિ આહિર તો મહિલા PSIના હાથમાંથી છટીકીને આગળ વધી ગયા હતા. જો કે બાદમાં પોલીસે એલિસબ્રિજથી પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડાની અટકાયત કરી હતી.
https://youtu.be/m3shMgDQV38
PM મોદીના અમદાવાદના આગમનના સમયે કોંગી કાર્યકરો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ પક્ષની દાંડી યાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.
દરમિયાન કોંગ્રેસ ઓફિસથી દાંડીયાત્રા કાઢવા ગાંધીઆશ્રમ તરફ જવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો નીકળ્યા હતા. ત્યારે કોંગ્રેસ ઓફિસ બહારથી જ નેતાઓને પોલીસ અટકાયત કરવાની હતી. પરંતુ પોલીસ તેમને અટકાવી શકી ન હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં. જોકે પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા. વીએસ હોસ્પિટલ પાસે જ્યારે મહિલા PSI મહિલા નેતા પ્રગતિ આહીરને પકડવા ગયા હતા. ત્યારે પ્રગતિ આહીર પોલીસ સાથે ઝપાઝપી કરી અને હાથમાંથી છટકી અને આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.
જોકે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલની એલિસબ્રિજથી અટકાયત કરી લેવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસની મહિલા નેતા પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકી ગઈ હતી, બાદમાં તે રોડ પરજ બેસી ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.
અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.
કોંગ્રેસના પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકીને આગળ વધી ગયા
ટ્રેકટર રેલી પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા
તંત્રએ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી
WatchGujarat ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આજ રોજ યોજાયો હતો. જેમાં ભાગ લેવા પીએમ મોદી સવારે 10 કલાકે અમદાવાદ આવ્યાં હતાં. દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ PM મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ દાંડીયાત્રા કાઢવા માટે ગાંધીઆશ્રમ તરફ જવા નીકળ્યા હતા. પરંતુ કોંગ્રેસ ઓફિસ બહારથી જ પોલીસે કોંગી નેતાઓને અટકાવવાની શરૂઆત કરી હતી. જો કે પોલીસ તેમને અટકાવી શકી ન હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવા છતાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં. તેમાં પણ કોંગ્રેસના પ્રગતિ આહિર તો મહિલા PSIના હાથમાંથી છટીકીને આગળ વધી ગયા હતા. જો કે બાદમાં પોલીસે એલિસબ્રિજથી પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડાની અટકાયત કરી હતી.
PM મોદીના અમદાવાદના આગમનના સમયે કોંગી કાર્યકરો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યને નજરકેદ કરી લેવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ પક્ષની દાંડી યાત્રા પરમિશન વગર કાઢતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિતના કાર્યકરો અને નેતાઓની કાર્યાલય બહારથી જ અટકાયત કરવા આવી હતી.
દરમિયાન કોંગ્રેસ ઓફિસથી દાંડીયાત્રા કાઢવા ગાંધીઆશ્રમ તરફ જવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો નીકળ્યા હતા. ત્યારે કોંગ્રેસ ઓફિસ બહારથી જ નેતાઓને પોલીસ અટકાયત કરવાની હતી. પરંતુ પોલીસ તેમને અટકાવી શકી ન હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં. જોકે પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા. વીએસ હોસ્પિટલ પાસે જ્યારે મહિલા PSI મહિલા નેતા પ્રગતિ આહીરને પકડવા ગયા હતા. ત્યારે પ્રગતિ આહીર પોલીસ સાથે ઝપાઝપી કરી અને હાથમાંથી છટકી અને આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.
જોકે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલની એલિસબ્રિજથી અટકાયત કરી લેવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસની મહિલા નેતા પ્રગતિ આહિર મહિલા PSIના હાથમાંથી છટકી ગઈ હતી, બાદમાં તે રોડ પરજ બેસી ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. દર વરસે કોંગ્રેસ દાંડી યાત્રા કાઢતી હોવા છતા આ વખતે મંજૂરી ન અપાતા સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા કાઢવાની તૈયારી કરી હતી. જો કે તંત્રએ રાતથી જ કોંગ્રેસના આયોજન પર ધોંસ બોલાવી હતી.
અમિત ચાવડાએ રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.