કોરોનાના વધતા જતા કેસને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો
T20 શ્રેણી પર કોરોનાની કાળી નજર:
નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતામાંથી 66 હજાર દર્શકોને મેચ જોવા પ્રવેશ અપાશે
માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાશેઃ ધનરાજ નથવાણી, GCA, ઉપપ્રમુખ
GCAના ઉપપ્રમુખે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા સૂચવ્યું
WatchGujarat ભારતના ભવ્ય પ્રદર્શનથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી વિજય મેળવ્યા બાદ આજ રોજથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણી રમાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી અને રાજકીય સભોઓના પગલે વૈશ્વિક મહામારી કોરોના ફરી એક વાર માથું ઉંચકતા કોરોનાના કેસોમાં વધારો થતા 50% દર્શકોને જ પ્રવેશ આપવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે.
GCAએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, સ્ટેડિયમમાં કુલ સંખ્યાના માત્રાના 50% લોકોને જ મેચ જોવા માટે પ્રવેશ અપાશે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા રહેલી છે, જે પૈકી માત્ર 66 હજાર દર્શકોને જ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટમેચની શ્રેણીમાં પણ આ પ્રમાણેની જ વ્યવસ્થા કરવામાં આવી હતી.
[caption id="attachment_647691" align="aligncenter" width="1024"] ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન સ્ટેડિયમની તસવીર[/caption]
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાઇ રહેલી તમામ 5 T20 મેચો નરેન્દ્રમોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન GCAના આધારે સરકારે જાહેર કરેલી તમામ SOPનું પણ ચુસ્તપણે પાલન કરાશે. GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીના પગલે આખા સ્ટેડિયમને સેનિટાઈઝ પણ કરાયુ છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તમામ દર્શકો ગાઈડલાઈનનું પાલન કરે તે વાતની પણ ખાસ નોંધ લેવાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી 20 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
IPLની નોકઆઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ પણ દર્શકો વગર રમાઈ હતી. તેવામાં IPLને પણ ગણતરીના દીવસો બાકી રહી ગયા છે. તેની મેચો ભારતના 6 શહેરોમાં રમાશે. જે અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં યોજાશે. જેની તમામ નોકઆઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં IPLમાં દર્શકોની એન્ટ્રી પર બેન લાગી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.
કોરોનાના વધતા જતા કેસને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો
માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાશેઃ ધનરાજ નથવાણી, GCA, ઉપપ્રમુખ
GCAના ઉપપ્રમુખે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા સૂચવ્યું
WatchGujarat ભારતના ભવ્ય પ્રદર્શનથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી વિજય મેળવ્યા બાદ આજ રોજથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણી રમાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી અને રાજકીય સભોઓના પગલે વૈશ્વિક મહામારી કોરોના ફરી એક વાર માથું ઉંચકતા કોરોનાના કેસોમાં વધારો થતા 50% દર્શકોને જ પ્રવેશ આપવાનો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે.
GCAએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, સ્ટેડિયમમાં કુલ સંખ્યાના માત્રાના 50% લોકોને જ મેચ જોવા માટે પ્રવેશ અપાશે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા રહેલી છે, જે પૈકી માત્ર 66 હજાર દર્શકોને જ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટમેચની શ્રેણીમાં પણ આ પ્રમાણેની જ વ્યવસ્થા કરવામાં આવી હતી.
[caption id="attachment_647691" align="aligncenter" width="1024"] ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન સ્ટેડિયમની તસવીર[/caption]
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાઇ રહેલી તમામ 5 T20 મેચો નરેન્દ્રમોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન GCAના આધારે સરકારે જાહેર કરેલી તમામ SOPનું પણ ચુસ્તપણે પાલન કરાશે. GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીના પગલે આખા સ્ટેડિયમને સેનિટાઈઝ પણ કરાયુ છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તમામ દર્શકો ગાઈડલાઈનનું પાલન કરે તે વાતની પણ ખાસ નોંધ લેવાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી 20 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ પણ દર્શકો વગર રમાઈ હતી. તેવામાં IPLને પણ ગણતરીના દીવસો બાકી રહી ગયા છે. તેની મેચો ભારતના 6 શહેરોમાં રમાશે. જે અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં યોજાશે. જેની તમામ નોકઆઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં IPLમાં દર્શકોની એન્ટ્રી પર બેન લાગી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.