ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
CBI કોર્ટે તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અંજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા
અગાઉ પી. પી પાંડે, ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દોષમુક્ત થયાં હતાં
અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી : CBI કોર્ટે
WatchGujarat ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારી તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અંજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપુટ નકારી શકાય તેમ નથી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ એમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે.
રાજ્યમાં 2004 પછી IPS અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત DYSP તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અંજુ ચૌધરી સામે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો. બુધવારે આ મામલે અરજીની સુનાવણી થઈ છે. જેમાં કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજીની સુનાવણી થઈ છે. આ કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી છે. સૌ પ્રથમ CBI કોર્ટે પી. પી પાંડેને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા. ત્યારબાદ આ જ કેસમાં નિર્દોષ છૂટેલા પૂર્વ IPS ડી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કેસ ચલાવવાની મંજૂરી રાજ્ય સરકારે ન આપ્યા બાદ CBI કોર્ટે તેમને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા.
શું છે ઇશરત જહાં કેસ?
15મી જુન 2004ના રોજ કોતરપુર વોટરવર્ક્સ નજીક ઇશરત જહાં, જાવેદ શેખ, અમજદ રામા, ઝીશાન જોહરને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. તેઓ લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના બદ ઇરાદા સાથે ગુજરાતમાં આવ્યા હતા. તેઓ આક્ષેપ ગુજરાત પોલીસે લગાવ્યો હતો. આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે હાઇકોર્ટમાં ઇશરત જહાંની માતા સમીમા કૌસર અને જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇએ રિટ કરી હતી. જે બાદ હાઇકોર્ટે કેસની તપાસ માટે સીટની રચના કરાઇ હતી.
શું છે આખો મામલો?
વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નીગ પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો આક્ષેપ સાથે એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. જેમાં એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી.
CBI કોર્ટે તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અંજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા
અગાઉ પી. પી પાંડે, ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દોષમુક્ત થયાં હતાં
અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી : CBI કોર્ટે
WatchGujarat ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારી તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અંજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપુટ નકારી શકાય તેમ નથી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ એમની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે.
રાજ્યમાં 2004 પછી IPS અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત DYSP તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અંજુ ચૌધરી સામે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો. બુધવારે આ મામલે અરજીની સુનાવણી થઈ છે. જેમાં કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજીની સુનાવણી થઈ છે. આ કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એમની ફરજના ભાગ રૂપે કાર્યવાહી કરી છે. સૌ પ્રથમ CBI કોર્ટે પી. પી પાંડેને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા. ત્યારબાદ આ જ કેસમાં નિર્દોષ છૂટેલા પૂર્વ IPS ડી.જી. વણઝારા અને એન.કે. અમીન સામે કેસ ચલાવવાની મંજૂરી રાજ્ય સરકારે ન આપ્યા બાદ CBI કોર્ટે તેમને આ કેસમાંથી દોષમુક્ત કર્યા હતા.
શું છે ઇશરત જહાં કેસ?
15મી જુન 2004ના રોજ કોતરપુર વોટરવર્ક્સ નજીક ઇશરત જહાં, જાવેદ શેખ, અમજદ રામા, ઝીશાન જોહરને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. તેઓ લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના બદ ઇરાદા સાથે ગુજરાતમાં આવ્યા હતા. તેઓ આક્ષેપ ગુજરાત પોલીસે લગાવ્યો હતો. આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે હાઇકોર્ટમાં ઇશરત જહાંની માતા સમીમા કૌસર અને જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇએ રિટ કરી હતી. જે બાદ હાઇકોર્ટે કેસની તપાસ માટે સીટની રચના કરાઇ હતી.
શું છે આખો મામલો?
વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નીગ પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહર પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો આક્ષેપ સાથે એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. જેમાં એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી.