શાહપુરમાં રહેતા વૃદ્ધે પાડોશી ધર્મ નિભાવી રોકડ રૂ. 13.50 લાખ અને દાગીના વહેંચી પૈસાની મદદ કરી
પડોશીએ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી
બેંકમાંથી નિવૃત થયાબાદ મહિનાઓ સુધી પૈસા પરત ના કરી વાયદાઓ કર્યા
આખરે પડોશી પાસે પૈસા માંગ્યા તો સાંજે ઘરે બોલાવી મોત નિપજાવ્યું
WatchGujarat શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉછીના આપેલા 13.50 લાખ રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં મહિલાઓ સહિત પાંચ સામે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાહપુરના નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા સાથે સારા પારિવારિક સંબંધો હતા. બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેમણે અશ્વિનભાઈ પાસે ઉછીના 25 લાખ રૂપિયાની મદદ માગી હતી. જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે 25 લાખ ન હોય પરંતુ પોતાના પાસે રહેલા 13.50 લાખની રકમ ઉધાર આપી મનુભાઈની મદદ કરી હતી. મનુભાઈએ ફરી રકમ માગતાં અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવી મૂકી ફરી એકવાર પડોશી ધર્મ નિભાવી મદદ કરી હતી. ત્યારે મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે એવી ખાતરી પણ આપી હતી. #Ahmedabad
દરમિયાન મનુભાઈ એપ્રિલ 2020માં નિવૃત્ત થતા હોવાથી અશ્વિનભાઈએ માર્ચ 2020માં તેમને પૈસા પરત ચૂકવવાનું કહ્યું હતું. મનુભાઈને નિવૃત્ત થયે અનેક મહિના વીતી ગયા છતાં પણ તેમણે પૈસા પરત આપ્યા ન હતા. મંગળવારે સવારે 8 વાગ્યે ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમનાં પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઊભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોવાથી રકમ પરત માગી હતી. ત્યારે મનુભાઈએ સાંજે અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા હતા. જેથી સાંજે 5.30 વાગ્યે અશ્વિનભાઈ, પત્ની કંચનબેન અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયાં હતાં. #Ahmedabad
આ દરમિયાન મનુભાઈ તથા તેમનાં પત્ની ઉષાબેન તેમજ પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ એમ પાંચે જણે ભેગા મળી અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેમને તથા તેમનાં પત્ની કંચનબેન અને પુત્રી ધર્મિષ્ઠાને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. ત્યારે મનુભાઈ અને પરાગ બન્ને જણ અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતાં તેઓ સ્થળ પર પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા. ઈજાને કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્ર સ્થળ પર પહોંચ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. #Ahmedabad
અશ્વિનભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા શાહપુર પોલીસે પુત્ર દુષ્યંતની ફરિયાદને આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. #Ahmedabad
More #13.50 lakh #by #pledging #wifes #jewelery #to help #neighbor #death #getting #seeking #return #of rupee #Ahmedabad News
શાહપુરમાં રહેતા વૃદ્ધે પાડોશી ધર્મ નિભાવી રોકડ રૂ. 13.50 લાખ અને દાગીના વહેંચી પૈસાની મદદ કરી
પડોશીએ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી
બેંકમાંથી નિવૃત થયાબાદ મહિનાઓ સુધી પૈસા પરત ના કરી વાયદાઓ કર્યા
આખરે પડોશી પાસે પૈસા માંગ્યા તો સાંજે ઘરે બોલાવી મોત નિપજાવ્યું
WatchGujarat શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉછીના આપેલા 13.50 લાખ રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં મહિલાઓ સહિત પાંચ સામે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાહપુરના નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા સાથે સારા પારિવારિક સંબંધો હતા. બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેમણે અશ્વિનભાઈ પાસે ઉછીના 25 લાખ રૂપિયાની મદદ માગી હતી. જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે 25 લાખ ન હોય પરંતુ પોતાના પાસે રહેલા 13.50 લાખની રકમ ઉધાર આપી મનુભાઈની મદદ કરી હતી. મનુભાઈએ ફરી રકમ માગતાં અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવી મૂકી ફરી એકવાર પડોશી ધર્મ નિભાવી મદદ કરી હતી. ત્યારે મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે એવી ખાતરી પણ આપી હતી. #Ahmedabad
દરમિયાન મનુભાઈ એપ્રિલ 2020માં નિવૃત્ત થતા હોવાથી અશ્વિનભાઈએ માર્ચ 2020માં તેમને પૈસા પરત ચૂકવવાનું કહ્યું હતું. મનુભાઈને નિવૃત્ત થયે અનેક મહિના વીતી ગયા છતાં પણ તેમણે પૈસા પરત આપ્યા ન હતા. મંગળવારે સવારે 8 વાગ્યે ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમનાં પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઊભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોવાથી રકમ પરત માગી હતી. ત્યારે મનુભાઈએ સાંજે અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા હતા. જેથી સાંજે 5.30 વાગ્યે અશ્વિનભાઈ, પત્ની કંચનબેન અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયાં હતાં. #Ahmedabad
આ દરમિયાન મનુભાઈ તથા તેમનાં પત્ની ઉષાબેન તેમજ પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ એમ પાંચે જણે ભેગા મળી અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેમને તથા તેમનાં પત્ની કંચનબેન અને પુત્રી ધર્મિષ્ઠાને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. ત્યારે મનુભાઈ અને પરાગ બન્ને જણ અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતાં તેઓ સ્થળ પર પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા. ઈજાને કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્ર સ્થળ પર પહોંચ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. #Ahmedabad
અશ્વિનભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા શાહપુર પોલીસે પુત્ર દુષ્યંતની ફરિયાદને આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. #Ahmedabad
More #13.50 lakh #by #pledging #wifes #jewelery #to help #neighbor #death #getting #seeking #return #of rupee #Ahmedabad News