માસ્ક પહેરે, સેનિટાઈઝ કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ પ્રોટોકોલને ફોલો કરે.
કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવા આવી છે.
મુસાફરોના સંબંધીઓ અંદર જઇ શકે નહીં અને રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થઈ શકે.
WatchGujarat. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં આવી રહ્યા છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને મૂકવા અથવા લેવા માટે સબંધીઓને કારણે પ્લેટફોર્મ પર ભીડ થાય છે. ત્યારે ભીડ ન થાય અને કોવિડ ગાઈડલાઈન પાલન થાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડીવીઝનના તમામ રેલવે સ્ટેશન પર તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. 30 એપ્રિલ બાદ કોરોનાના કેસની પરિસ્થિતિ પર સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. માત્ર માન્ય ટિકિટ ધારકોને પ્રવેશ આપવામાં આવશે.
થોડા દિવસ પહેલા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ભાવ ઘટાડીને 30 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. જો કોઈ મુસાફરના સંબંધી રેલવે સ્ટેશન પર લેવા અથવા મુકવા માટે હવે પ્લેટફોર્મ કે ટ્રેન સુધી જઈ શકશે નહીં. પ્રવાસીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, માસ્ક પહેરે, સેનિટાઈઝ કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ પ્રોટોકોલને ફોલો કરે.
ટ્રેન સેવા ચાલુ રહેશે. પરંતુ કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવા આવી છે. જેના કારણે મુસાફરોના સંબંધીઓ અંદર જઇ શકે નહીં અને રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થઈ શકે.
નોંધનીય છે કે, અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજારથી વધુ કેસનો નવો રેકોર્ડ થયો છે. શુક્રવારે એક જ દિવસમાં 1296 કેસ આવ્યા છે. ગુરુવારના 951 કેસની સરખામણીએ 24 કલાકમાં જ કેસમાં 36 ટકા જેટલાનો વધારો થયો છે. 23 માર્ચે 502 કેસ આવ્યા પછી રોજે રોજ કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. એપ્રિલના પહેલા 9 દિવસમાં જ 7 હજારથી વધુ કેસ નોંધાયા છે.
માસ્ક પહેરે, સેનિટાઈઝ કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ પ્રોટોકોલને ફોલો કરે.
કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવા આવી છે.
મુસાફરોના સંબંધીઓ અંદર જઇ શકે નહીં અને રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થઈ શકે.
WatchGujarat. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં આવી રહ્યા છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને મૂકવા અથવા લેવા માટે સબંધીઓને કારણે પ્લેટફોર્મ પર ભીડ થાય છે. ત્યારે ભીડ ન થાય અને કોવિડ ગાઈડલાઈન પાલન થાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડીવીઝનના તમામ રેલવે સ્ટેશન પર તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. 30 એપ્રિલ બાદ કોરોનાના કેસની પરિસ્થિતિ પર સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. માત્ર માન્ય ટિકિટ ધારકોને પ્રવેશ આપવામાં આવશે.
થોડા દિવસ પહેલા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ભાવ ઘટાડીને 30 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. જો કોઈ મુસાફરના સંબંધી રેલવે સ્ટેશન પર લેવા અથવા મુકવા માટે હવે પ્લેટફોર્મ કે ટ્રેન સુધી જઈ શકશે નહીં. પ્રવાસીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, માસ્ક પહેરે, સેનિટાઈઝ કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ પ્રોટોકોલને ફોલો કરે.
ટ્રેન સેવા ચાલુ રહેશે. પરંતુ કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે તાત્કાલિક પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવા આવી છે. જેના કારણે મુસાફરોના સંબંધીઓ અંદર જઇ શકે નહીં અને રેલવે સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થઈ શકે.
નોંધનીય છે કે, અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજારથી વધુ કેસનો નવો રેકોર્ડ થયો છે. શુક્રવારે એક જ દિવસમાં 1296 કેસ આવ્યા છે. ગુરુવારના 951 કેસની સરખામણીએ 24 કલાકમાં જ કેસમાં 36 ટકા જેટલાનો વધારો થયો છે. 23 માર્ચે 502 કેસ આવ્યા પછી રોજે રોજ કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. એપ્રિલના પહેલા 9 દિવસમાં જ 7 હજારથી વધુ કેસ નોંધાયા છે.