કોરોના પોઝિટિવ દર્દી માટે ગાઈડલાઈન બહાર પડાઈ
કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી ફોર્મ ભરવા આવવાનું રહેશે,
કોરોનાને કારણે ચૂંટણી ફોર્મમાં તબીબી પ્રમાણપત્ર લાવવા જરૂરી
અમદાવાદ કલેક્ટર ઓફિસમાં 16 રિટર્નિંગ ઓફિસર મુકવામાં આવ્યા
મતદાન મથકો પર EVM મુકવાની તેના ટેસ્ટિંગ સહિતની પ્રકિયા આ અઠવાડિયામાં શરૂ થશે
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અને કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. આજથી મહાનગરપાલિકામાં ઉમેદવારીપત્રો ભરાવવાની શરૂઆત થઈ છે. જેને લઈ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સવારથી ફોર્મ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે કોરોના પોઝિટિવ ઉમેદવારોએ PPE કીટ પહેરી ફોર્મ ભરવા આવવાનું રહેશે.કલેક્ટર ઓફિસમાં 16 જેટલા રિટર્નિંગ ઓફિસર મુકવામાં આવ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 50થી વધુ ફોર્મ અમદાવાદ શહેરમાંથી ઉપાડવામાં આવ્યા છે.
કલેક્ટર સંદીપ સાગલેના જણાવ્યા મુજબ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. અલગ અલગ રિટર્નિંગ ઓફિસર પાસે ચૂંટણી ફોર્મ લેવા ઉમેદવારો આવી રહ્યાં છે. ચૂંટણીને લઈને પણ તમામ પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે રવિવારે રજા હોવા છતાં રાજકીય પક્ષો સાથે ચૂંટણી લઈ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ બાબતોનું ધ્યાન રાખવા જાણ કરવામાં આવી હતી. મતદાન મથકો પર EVM મુકવાની તેના ટેસ્ટિંગ વગેરેની પ્રકિયા પણ આ અઠવાડિયામાં શરૂ થઈ જશે. કોરોનાને લઈ ચૂંટણી ફોર્મમાં તબીબી પ્રમાણપત્ર લાવવા જરૂરી છે. ઉમેદવાર જે દિવસે ફોર્મ ભરવા આવે ત્યારે પોતે સ્વાસ્થ્ય છે કે નહીં તેને લઈ આ પ્રમાણપત્ર આપવાનું રહેશે. અત્યાર સુધી 50 જેટલા ફોર્મ ઉપડ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉમેદવાર કોરોના પોઝિટિવ આવે તો તેના માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેના માટે ઉમેદવારે ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર આરોગ્યને જાણ લેખિતમાં કરવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આવવાનું રહેશે. બને ત્યાં સુધી કોરોના પોઝિટિવ ન હોય એવી વ્યક્તિએ ઉમેદવારી પત્ર રજૂ કરવાનું રહેશે.
ફોર્મ ભરનાર ઉમેદવાર કોરોના શંકાસ્પદ કે હોમ કવોરનટાઇન હોય તેમણે પણ એક દિવસ અગાઉ જાણ કરવાની રહેશે અને ફોર્મ રજૂ કરતાં પહેલાં 48 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ઉપરાંત શરીરનું તાપમાન 100થી વધારે હોય તો 15 મિનિટ છાંયડામાં બેસાડી ફરી ચેક કરાશે. બાદમાં પણ જો તાપમાનમાં ફેર ન પડે તો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ તમામ ગાઇડલાઇન અનુસરવા સૂચના આપવામા આવી છે.
કોરોના પોઝિટિવ દર્દી માટે ગાઈડલાઈન બહાર પડાઈ
કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી ફોર્મ ભરવા આવવાનું રહેશે,
કોરોનાને કારણે ચૂંટણી ફોર્મમાં તબીબી પ્રમાણપત્ર લાવવા જરૂરી
અમદાવાદ કલેક્ટર ઓફિસમાં 16 રિટર્નિંગ ઓફિસર મુકવામાં આવ્યા
મતદાન મથકો પર EVM મુકવાની તેના ટેસ્ટિંગ સહિતની પ્રકિયા આ અઠવાડિયામાં શરૂ થશે
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અને કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. આજથી મહાનગરપાલિકામાં ઉમેદવારીપત્રો ભરાવવાની શરૂઆત થઈ છે. જેને લઈ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સવારથી ફોર્મ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે કોરોના પોઝિટિવ ઉમેદવારોએ PPE કીટ પહેરી ફોર્મ ભરવા આવવાનું રહેશે.કલેક્ટર ઓફિસમાં 16 જેટલા રિટર્નિંગ ઓફિસર મુકવામાં આવ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 50થી વધુ ફોર્મ અમદાવાદ શહેરમાંથી ઉપાડવામાં આવ્યા છે.
કલેક્ટર સંદીપ સાગલેના જણાવ્યા મુજબ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. અલગ અલગ રિટર્નિંગ ઓફિસર પાસે ચૂંટણી ફોર્મ લેવા ઉમેદવારો આવી રહ્યાં છે. ચૂંટણીને લઈને પણ તમામ પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે રવિવારે રજા હોવા છતાં રાજકીય પક્ષો સાથે ચૂંટણી લઈ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ બાબતોનું ધ્યાન રાખવા જાણ કરવામાં આવી હતી. મતદાન મથકો પર EVM મુકવાની તેના ટેસ્ટિંગ વગેરેની પ્રકિયા પણ આ અઠવાડિયામાં શરૂ થઈ જશે. કોરોનાને લઈ ચૂંટણી ફોર્મમાં તબીબી પ્રમાણપત્ર લાવવા જરૂરી છે. ઉમેદવાર જે દિવસે ફોર્મ ભરવા આવે ત્યારે પોતે સ્વાસ્થ્ય છે કે નહીં તેને લઈ આ પ્રમાણપત્ર આપવાનું રહેશે. અત્યાર સુધી 50 જેટલા ફોર્મ ઉપડ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉમેદવાર કોરોના પોઝિટિવ આવે તો તેના માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેના માટે ઉમેદવારે ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર આરોગ્યને જાણ લેખિતમાં કરવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. કોરોના પોઝિટિવ ઉમેદવારે PPE કીટ પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આવવાનું રહેશે. બને ત્યાં સુધી કોરોના પોઝિટિવ ન હોય એવી વ્યક્તિએ ઉમેદવારી પત્ર રજૂ કરવાનું રહેશે.
ફોર્મ ભરનાર ઉમેદવાર કોરોના શંકાસ્પદ કે હોમ કવોરનટાઇન હોય તેમણે પણ એક દિવસ અગાઉ જાણ કરવાની રહેશે અને ફોર્મ રજૂ કરતાં પહેલાં 48 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ઉપરાંત શરીરનું તાપમાન 100થી વધારે હોય તો 15 મિનિટ છાંયડામાં બેસાડી ફરી ચેક કરાશે. બાદમાં પણ જો તાપમાનમાં ફેર ન પડે તો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ તમામ ગાઇડલાઇન અનુસરવા સૂચના આપવામા આવી છે.