ઘટનાના 1 કલાક બાદ આગ કાબુ માં આવી 14 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદ. ફ્લેટમાં આગ લાગવાની ફરી એક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતીવન ચાર રસ્તા પાસે આવેલ સત્વ ફ્લેમાં આજે સાંજે 2 ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સત્વ ફ્લેટના છટ્ઠા માળે આ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક સહિતના લેટેસ્ટ ટેક્નોલોજી સહિતના કાફળાની 6 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આ લખાય છે ત્યા સુધી હજુ સુધી આગને કાબુમાં લેવાય નથી.
ઘટનાને રૂબરૂમાં જોનારના કહેવા પ્રમાણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આજુ બાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ફ્લેટમાં રહેનારના કહેવા પ્રમાણે આગ લાગવાના કારણે લોકો પોતાનો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. જ્યારે આગમાં ફસાયેલા લોકોને ફાયબ્રિગેડે સલામત નીચે ઉતારવા માટેની કાર્યવાહી હાથધરી છે. હજી સુધી આગમાં કોઈ જાનહાની નથી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
જોકે ફ્લેટમાં કયા કારણોસર આગ લાગવાની ઘટના બની હતી તે અંગે હજી સુદી કોઇ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઇ નથી. ફ્લેટમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર બ્રીગેડની 6 જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ફ્લેટમાં લાગેલી આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની આ ઘટનામાં હજી સુદી કોઇને ઇજા કે જાનહાની પહોંચી હોવા અંગેની પણ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
https://youtu.be/OtKGGtM5dE4
ઘટનાના 1 કલાક બાદ આગ કાબુ માં આવી 14 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદ. ફ્લેટમાં આગ લાગવાની ફરી એક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતીવન ચાર રસ્તા પાસે આવેલ સત્વ ફ્લેમાં આજે સાંજે 2 ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સત્વ ફ્લેટના છટ્ઠા માળે આ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક સહિતના લેટેસ્ટ ટેક્નોલોજી સહિતના કાફળાની 6 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આ લખાય છે ત્યા સુધી હજુ સુધી આગને કાબુમાં લેવાય નથી.
ઘટનાને રૂબરૂમાં જોનારના કહેવા પ્રમાણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આજુ બાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.ફ્લેટમાં રહેનારના કહેવા પ્રમાણે આગ લાગવાના કારણે લોકો પોતાનો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. જ્યારે આગમાં ફસાયેલા લોકોને ફાયબ્રિગેડે સલામત નીચે ઉતારવા માટેની કાર્યવાહી હાથધરી છે. હજી સુધી આગમાં કોઈ જાનહાની નથી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
જોકે ફ્લેટમાં કયા કારણોસર આગ લાગવાની ઘટના બની હતી તે અંગે હજી સુદી કોઇ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઇ નથી. ફ્લેટમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર બ્રીગેડની 6 જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ફ્લેટમાં લાગેલી આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની આ ઘટનામાં હજી સુદી કોઇને ઇજા કે જાનહાની પહોંચી હોવા અંગેની પણ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.