અમદાવાદ. કોરોના વાયરસે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં માથું ઉચક્યું છે. હવે કોરોના વાયરસે સ્વામિનારાયણ મંદિર (BAPS) માં પણ પગ પેસારો કર્યો છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની હેલ્થ વિભેગની ટીમ સક્રિય થઇ છે અને મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરી રહી છે. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધક્યું છે.
છેલ્લા 2 દિવસમાં કોર્પોરેશનની હેલ્થ વિભાગે શાહબાગ સ્વામિનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં હેલ્થ વિભાગે કુલ 150 લોકોના ટેસ્ટ કર્યા હતા અને તેમાંથી 28 લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સાધુ-સંતોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અમુક લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને કોવિડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તો બીજી તરફ શહેરના ગુરૂકુળ વિસ્તારમાં જાણાતા નવનીત હાઉસમાં પણ કોર્પોરેશનની હેલ્થ વિભાગ ટીમે કર્મચારીઓના કોરોના ટેસ્ટ કર્યા હતા. નવનીત હાઉસમાં કુલ 289 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 9 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાંથી મોટા ભાગના લોકોને કોવિડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અમુકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ સહીત અન્ય મ્યુનિશિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગ ટીમે શેહરમાં કોરોના ટેસ્ટ માટે સક્રિય થઇ છે.
અમદાવાદ. કોરોના વાયરસે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં માથું ઉચક્યું છે. હવે કોરોના વાયરસે સ્વામિનારાયણ મંદિર (BAPS) માં પણ પગ પેસારો કર્યો છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની હેલ્થ વિભેગની ટીમ સક્રિય થઇ છે અને મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરી રહી છે. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધક્યું છે.
છેલ્લા 2 દિવસમાં કોર્પોરેશનની હેલ્થ વિભાગે શાહબાગ સ્વામિનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં હેલ્થ વિભાગે કુલ 150 લોકોના ટેસ્ટ કર્યા હતા અને તેમાંથી 28 લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સાધુ-સંતોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અમુક લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને કોવિડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તો બીજી તરફ શહેરના ગુરૂકુળ વિસ્તારમાં જાણાતા નવનીત હાઉસમાં પણ કોર્પોરેશનની હેલ્થ વિભાગ ટીમે કર્મચારીઓના કોરોના ટેસ્ટ કર્યા હતા. નવનીત હાઉસમાં કુલ 289 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 9 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાંથી મોટા ભાગના લોકોને કોવિડ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અમુકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ સહીત અન્ય મ્યુનિશિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગ ટીમે શેહરમાં કોરોના ટેસ્ટ માટે સક્રિય થઇ છે.