મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું નહી મેળવું. : હિતેશ બારોટ
કાઉન્સિલર પણાનો મેં ખુદ સ્વિકાર કર્યો છે, આ સમાજ સેવા કરવાની છે અન્ય કોઇ અપેક્ષા નથી
WatchGujarat. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટની નિમણૂંક થોડા દિવસ પહેલા જ કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત ચેરમેન હિતેશભાઇ બારોટે જાહેરાત કરી છે કે, એએમસી તરફથી મળતા એકપણ પ્રકારના ભથ્થા કે પગાર તેઓ સ્વીકાર કરશે નહી. તેમજ એએમસી પરિસરમાં આવેલી તેમની ઓફિસ બહાર પ્રવેશ ગેટ પર એક વિનંતી સાથે પોસ્ટર લગાવામાં આવ્યું છે કે, અહીં ભેટ અસ્વીકાર્ય છે. જેથી કોઇ ઓફિસમાં કોઇએ ભેટ લઇને પ્રવેશ કરવો નહી.
આ અંગે AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવે છે કે, એએમસીમાં પ્રજા સેવા કરવા અને જન કલ્યાણ માટે આવ્યો છું. સમાજને કાંઇ આપવા માટે અહીં છું. નહીં કે, કાંઇ લેવા. બસ કાંઇક જોઇએ છે તો તે, લોકોના આર્શિવાદની જરૂર છે. જેથી મારી ઓફિસ બહાર મેં નોટિસ લગાવી છે કે, કોઇપણ ભેટ અહીં અસ્વીકાર્ય છે. માત્ર પ્રજાલક્ષી કાર્ય માટે જે પણ વ્યક્તિ આવશે તેનું હું કામ કરીશ. આ ઉપરાંત મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે કે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું ક્યારેય નહી મેળવું. આજે પણ હું ચેરમેન સાથે બેંકમા પણ ડિરેક્ટર છું મે ક્યારેય બેઠકના ભથ્થા કે વાઉચર લીધા નથી. આજે પણ મારા નામે કોઇ વાઉચર નહી હોય. તેઓ કહે છે કે, ભગવાનના આર્શીવાદથી ઘણું મળ્યું છે જેનો મને સંતોષ છે. કાઉન્સિલર પણાનો મેં ખુદ સ્વિકાર કર્યો છે, આ સમાજ સેવા કરવાની છે અન્ય કોઇ અપેક્ષા નથી.
હિતેશભાઇ બારોટ પહેલીવાર એએમસી ચૂંટણી થલતેજ વોર્ડનાથી લડ્યા અને જીતી પણ ગયા. ભાજપના કદાવર નેતા અને ચાણાક્ય તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહના એકદમ નજીક/વિશ્વાસુ હિતેશભાઇ પહેલી જ ચૂંટણી જીત અને એએમસીની સૌથી પાવરફુલ ખુરશી એટલે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન બનાવી દેવામાં આવ્યા. અનેક સિનિયર કાઉન્સિલ કતારમાં હતા પરંતુ તેઓ પાછળ રાખી નંબરવનના પદ પર તેઓ બિરાજમાન થયા છે. હિતેશ બારોટ આવતાની સાથે જે ઓફિસ બહાર નોટિસ મારી દીધી કે, અહીં આવનારને નમ્ર અપીલ છે કે, કોઇ ભેટ સોગાદ કે ભેટ અહીં અસ્વિકાર્ય છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ શહેરના મેયર તરીકે જાહેર થયેલા કિરિટ પરમારે સરકારી બંગલો લેવાની ના પાડી હતી અને એક સામાન્ય ચાલીમાં રહેવાનું પસંદ કર્યું હતુ.[/caption]
મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું નહી મેળવું. : હિતેશ બારોટ
કાઉન્સિલર પણાનો મેં ખુદ સ્વિકાર કર્યો છે, આ સમાજ સેવા કરવાની છે અન્ય કોઇ અપેક્ષા નથી
WatchGujarat. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટની નિમણૂંક થોડા દિવસ પહેલા જ કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત ચેરમેન હિતેશભાઇ બારોટે જાહેરાત કરી છે કે, એએમસી તરફથી મળતા એકપણ પ્રકારના ભથ્થા કે પગાર તેઓ સ્વીકાર કરશે નહી. તેમજ એએમસી પરિસરમાં આવેલી તેમની ઓફિસ બહાર પ્રવેશ ગેટ પર એક વિનંતી સાથે પોસ્ટર લગાવામાં આવ્યું છે કે, અહીં ભેટ અસ્વીકાર્ય છે. જેથી કોઇ ઓફિસમાં કોઇએ ભેટ લઇને પ્રવેશ કરવો નહી.
આ અંગે AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવે છે કે, એએમસીમાં પ્રજા સેવા કરવા અને જન કલ્યાણ માટે આવ્યો છું. સમાજને કાંઇ આપવા માટે અહીં છું. નહીં કે, કાંઇ લેવા. બસ કાંઇક જોઇએ છે તો તે, લોકોના આર્શિવાદની જરૂર છે. જેથી મારી ઓફિસ બહાર મેં નોટિસ લગાવી છે કે, કોઇપણ ભેટ અહીં અસ્વીકાર્ય છે. માત્ર પ્રજાલક્ષી કાર્ય માટે જે પણ વ્યક્તિ આવશે તેનું હું કામ કરીશ. આ ઉપરાંત મારા રાજકીય જીવનમાં એક સંકલ્પ કર્યો છે કે, જે પણ પોસ્ટ કે હોદા પર હોઇશ તેમાં મળતા પગાર કે ભથ્થા કે વાઉચર હું ક્યારેય નહી મેળવું. આજે પણ હું ચેરમેન સાથે બેંકમા પણ ડિરેક્ટર છું મે ક્યારેય બેઠકના ભથ્થા કે વાઉચર લીધા નથી. આજે પણ મારા નામે કોઇ વાઉચર નહી હોય. તેઓ કહે છે કે, ભગવાનના આર્શીવાદથી ઘણું મળ્યું છે જેનો મને સંતોષ છે. કાઉન્સિલર પણાનો મેં ખુદ સ્વિકાર કર્યો છે, આ સમાજ સેવા કરવાની છે અન્ય કોઇ અપેક્ષા નથી.
હિતેશભાઇ બારોટ પહેલીવાર એએમસી ચૂંટણી થલતેજ વોર્ડનાથી લડ્યા અને જીતી પણ ગયા. ભાજપના કદાવર નેતા અને ચાણાક્ય તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહના એકદમ નજીક/વિશ્વાસુ હિતેશભાઇ પહેલી જ ચૂંટણી જીત અને એએમસીની સૌથી પાવરફુલ ખુરશી એટલે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન બનાવી દેવામાં આવ્યા. અનેક સિનિયર કાઉન્સિલ કતારમાં હતા પરંતુ તેઓ પાછળ રાખી નંબરવનના પદ પર તેઓ બિરાજમાન થયા છે. હિતેશ બારોટ આવતાની સાથે જે ઓફિસ બહાર નોટિસ મારી દીધી કે, અહીં આવનારને નમ્ર અપીલ છે કે, કોઇ ભેટ સોગાદ કે ભેટ અહીં અસ્વિકાર્ય છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ શહેરના મેયર તરીકે જાહેર થયેલા કિરિટ પરમારે સરકારી બંગલો લેવાની ના પાડી હતી અને એક સામાન્ય ચાલીમાં રહેવાનું પસંદ કર્યું હતુ.[/caption]