ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ 2021 માં રાજ્યમાં પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય વડોદરા આવ્યું
રહેવા લાયક શહેરોમાં નામ આવ્યા બાદ સિનિયર સીટીઝનની અસુરક્ષા ખુલ્લી પાડે તેવી ઘટના સામે આવી
વહેલી સવારે એનઆરઆઈ દંપત્તિનું ગળે ધારદાર વસ્તુ વડે હુમલો કરી હત્યા
ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સ્થળ પર પહોંચી, ગુનેગારોની પકડવા ચક્રોગતિમાન કરાયા
WatchGujarat. ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ 2021 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય વડોદરા આવ્યું હતું. રહેવાલાયક શહેરોમાં ટોચનું સ્થાન પામ્યાના બીજા દિવસે અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અને શહેરમાં વૃદ્ધોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના થલેતજ વિસ્તારમાં હેબતુપર ચાર રસ્તા પાસેના શાંતિ પેલેસમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતાં અરેરીયા વ્યાપી છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પાસે શાંતિ પેલેસ બંગ્લોઝમાં અશોક કરસનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલ ઘરમાં એકલાં જ રહેતાં હતા. તેમનો એક પુત્ર દુબઈમાં રહે છે. જ્યારે દીકરી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે. વહેલી સવારે આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વૃદ્ધ દંપતીના એક પરિવારજને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાની આસપાસ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. સવારે આજબાજુમાં દંપતીએ સિક્યોરિટીને ચા પણ આપી હતી. બાજુવાળાને જ્યુસ પણ આપ્યો હતો. અને સવારે સ્કૂટર સાફ કરતાં તેઓને પાડોશીઓએ આખરે જોયા હતા. અને ચાર લોકોને ઘરમાંથી ભાગતાં સિક્યોરિટી મેને જોયા હતા.
અમદાવાદમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ દંપતીનો બંગલો મેઈન રોડ પર આવેલો છે. અને ટ્રાફિકથી ધમધમતો હોય છે. તેવામાં ચાર જેટલાં લોકોએ ઘરમાં ઘૂસીને દંપતીની હત્યા કરી દેતાં અમદાવાદીઓની સુરક્ષામાં સવાલ ઉઠી રહ્યા છે. હવે સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે.
ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ 2021 માં રાજ્યમાં પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય વડોદરા આવ્યું
રહેવા લાયક શહેરોમાં નામ આવ્યા બાદ સિનિયર સીટીઝનની અસુરક્ષા ખુલ્લી પાડે તેવી ઘટના સામે આવી
WatchGujarat. ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ 2021 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય વડોદરા આવ્યું હતું. રહેવાલાયક શહેરોમાં ટોચનું સ્થાન પામ્યાના બીજા દિવસે અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અને શહેરમાં વૃદ્ધોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદના થલેતજ વિસ્તારમાં હેબતુપર ચાર રસ્તા પાસેના શાંતિ પેલેસમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતાં અરેરીયા વ્યાપી છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પાસે શાંતિ પેલેસ બંગ્લોઝમાં અશોક કરસનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલ ઘરમાં એકલાં જ રહેતાં હતા. તેમનો એક પુત્ર દુબઈમાં રહે છે. જ્યારે દીકરી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહે છે. વહેલી સવારે આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વૃદ્ધ દંપતીના એક પરિવારજને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાની આસપાસ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. સવારે આજબાજુમાં દંપતીએ સિક્યોરિટીને ચા પણ આપી હતી. બાજુવાળાને જ્યુસ પણ આપ્યો હતો. અને સવારે સ્કૂટર સાફ કરતાં તેઓને પાડોશીઓએ આખરે જોયા હતા. અને ચાર લોકોને ઘરમાંથી ભાગતાં સિક્યોરિટી મેને જોયા હતા.
અમદાવાદમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ દંપતીનો બંગલો મેઈન રોડ પર આવેલો છે. અને ટ્રાફિકથી ધમધમતો હોય છે. તેવામાં ચાર જેટલાં લોકોએ ઘરમાં ઘૂસીને દંપતીની હત્યા કરી દેતાં અમદાવાદીઓની સુરક્ષામાં સવાલ ઉઠી રહ્યા છે. હવે સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે.