અગાઉ જુલાઇમાં અમદાવાદ આવી હતી કેન્દ્રની ટીમ
એરપોર્ટ પર કેબ અને ટેક્સી ચાલકોની ઉઘાડી લૂંટ
ટેક્સી ચાલકો દ્વારા 800-1,000 સુધી વધુ તોતિંગ ભાડું વસુલાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે.
બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
WatchGujarat. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસોમાં દિવાળી બાદ ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બેઠકમાં નિણર્ય લઇ અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લાદયો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્દ્રની NCDCના ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યોની ટીમ અમદાવાદ દોડી આવી છે. શનિવારે કેન્દ્રની ટીમે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બીજી તરફ એરપોર્ટ પરથી કેબ અને ટેક્સીચાલકોએ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રૂ.800-1,000 સુધી તોતિંગ ભાડું વસુલ કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે.
શનિવારે બપોરે કેન્દ્રની આરોગ્યની ટીમનું રાજ્યમાં આગમન થયું હતું. અમદાવાદમાં વધતાં સંક્રમણને રોકવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમ (NCDC)ના ડાયરેક્ટર ડો. સુજીત કુમારની અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમે એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં હાજર ડોક્ટર્સ સાથે કોરોનાના દર્દીઓની સ્થિતિ તથા સારવારની પદ્ધતિ અંગે ચર્ચા કરી હતી. હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કેન્દ્રની ટીમ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા સાથે સંક્રમણ રોકવા અંગેના પગલા સહિતની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ટીમ સમગ્ર સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુલાઇ મહિનામાં અમદાવાદ તેમજ સુરત શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ આવી પહોંચી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા ડોક્ટર્સ સાથે સંક્રમણ અંગે ચર્ચા કરી હતી.
અમદાવાદમાં ગત રાતના 9.00 વાગ્યાથી 57 કલાક સુધી કરફ્યૂ લાગુ કરાયો છે. ત્યારે રેલવે અને એરપોર્ટ પરથી મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચવા માટે ટિકિટ સાથે રાખી મંજૂરી આપવામાં આવી છે. એરપોર્ટ પરથી કેબ અને ટેક્સીચાલકોએ કરફ્યૂનો લાભ ઉઠાવી મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રૂ.800-1,000 સુધીનું વધુ ભાડું વસુલી રહ્યા છે. કેબ અને ટેક્સી ચાલકોની ઉઘાડી લૂંટથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એરપોર્ટથી ઈલેકટ્રીક બસો તેમજ બીઆરટીએસ બસોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. પરંતુ તંત્રના આયોજનના અભાવે મુસાફરોને રઝળી પડ્યા છે. મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. તંત્રના અણધડ વહીવટથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે 9 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. શુક્રવાર રાતથી લાગેલા કર્ફ્યુની અસર શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના તમામ રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યાં છે. સાથે બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવાર રાતથી અમદાવાદ શહેરમાં કર્ફ્યુનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે. ત્યારે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તેમજ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ તેનાત કરવામાં આવી છે.
અગાઉ જુલાઇમાં અમદાવાદ આવી હતી કેન્દ્રની ટીમ
એરપોર્ટ પર કેબ અને ટેક્સી ચાલકોની ઉઘાડી લૂંટ
ટેક્સી ચાલકો દ્વારા 800-1,000 સુધી વધુ તોતિંગ ભાડું વસુલાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે.
બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
WatchGujarat. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસોમાં દિવાળી બાદ ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા બેઠકમાં નિણર્ય લઇ અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લાદયો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેન્દ્રની NCDCના ડાયરેક્ટર સહિત ત્રણ સભ્યોની ટીમ અમદાવાદ દોડી આવી છે. શનિવારે કેન્દ્રની ટીમે અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બીજી તરફ એરપોર્ટ પરથી કેબ અને ટેક્સીચાલકોએ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રૂ.800-1,000 સુધી તોતિંગ ભાડું વસુલ કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે.
શનિવારે બપોરે કેન્દ્રની આરોગ્યની ટીમનું રાજ્યમાં આગમન થયું હતું. અમદાવાદમાં વધતાં સંક્રમણને રોકવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમ (NCDC)ના ડાયરેક્ટર ડો. સુજીત કુમારની અધ્યક્ષતામાં 3 સભ્યોની ટીમે એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ ત્યાં હાજર ડોક્ટર્સ સાથે કોરોનાના દર્દીઓની સ્થિતિ તથા સારવારની પદ્ધતિ અંગે ચર્ચા કરી હતી. હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કેન્દ્રની ટીમ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા સાથે સંક્રમણ રોકવા અંગેના પગલા સહિતની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ટીમ સમગ્ર સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જુલાઇ મહિનામાં અમદાવાદ તેમજ સુરત શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ આવી પહોંચી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા ડોક્ટર્સ સાથે સંક્રમણ અંગે ચર્ચા કરી હતી.
અમદાવાદમાં ગત રાતના 9.00 વાગ્યાથી 57 કલાક સુધી કરફ્યૂ લાગુ કરાયો છે. ત્યારે રેલવે અને એરપોર્ટ પરથી મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચવા માટે ટિકિટ સાથે રાખી મંજૂરી આપવામાં આવી છે. એરપોર્ટ પરથી કેબ અને ટેક્સીચાલકોએ કરફ્યૂનો લાભ ઉઠાવી મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રૂ.800-1,000 સુધીનું વધુ ભાડું વસુલી રહ્યા છે. કેબ અને ટેક્સી ચાલકોની ઉઘાડી લૂંટથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એરપોર્ટથી ઈલેકટ્રીક બસો તેમજ બીઆરટીએસ બસોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. પરંતુ તંત્રના આયોજનના અભાવે મુસાફરોને રઝળી પડ્યા છે. મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. તંત્રના અણધડ વહીવટથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે 9 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. શુક્રવાર રાતથી લાગેલા કર્ફ્યુની અસર શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના તમામ રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યાં છે. સાથે બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવાર રાતથી અમદાવાદ શહેરમાં કર્ફ્યુનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. લોકોએ એકાએક સ્વયંશિસ્તામાં આવીને એકંદરે પાલન શરૂ કર્યું છે. ત્યારે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તેમજ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ તેનાત કરવામાં આવી છે.