અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 120 કરોડ રૂપિયાના ખર્ચે વાડજ સર્કલથી પાલડી રીવરફ્રન્ટ સુધી માઇક્રો ટનલ પદ્ધતીથી ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.
અમદાવાદમાં રીવરફ્રન્ટ બન્યા બાદ આશ્રમ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને રી-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રહેણાક અને કોમર્શિયલ એકમમાં પણ વધારો થયો છે. મેટ્રો પ્રોજેક્ટમાં જમીનની નીચે ટનલ બનતી હોવા છતા વાહન વ્યવહારમાં કોઇ ફર્ક પડતો નથી હોતો, એવી જ રીતે અહીયા પણ માઇક્રો ટનલ પધ્ધતીનો ઉપયોગ કરાયો છે.
AMC નાખી રહી છે માઇક્રો ડ્રેનેજ લાઇન
માઇક્રો ડ્રેનેજ લાઇન નાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 50થી 100 મીટરે શાફ્ટ બનાવ્યા છે અને તેમાં મશીનરીની મદદથી 2000 મીલીમીટર ડાયાગ્રામની પાઇપને પુશિંગ પદ્ધતિથી જમીનની અંદર 6થી 8 મીટર નીચે ઉતારવામાં આવી રહી છે.
માઇક્રો ડ્રેનેજ લાઇનની કામગીરીના મુખ્ય મુદ્દા:
1) જનતાની સુવિધા માટે માઈક્રો ટનલ પદ્ધતી અમલમાં મુકી.
2) અત્યાર સુધીમાં 1.2 કિ.મી. નું કામ પુરૂ થઇ ગયું.
3) હજુ 5.3 કિ.મી. નું કામ બાકી
4) સરકારી અધિકારીના જણાવા પ્રમાણે જમીનથી 6 થી 8 મીટર સુધી માઈક્રો ટનલ બનાવવામાં આવશે.
5) જનતાને ખોડકામ દરમ્યાન મોટી તકલીફ નહીં પડવા દેવામાં આવે.
અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 120 કરોડ રૂપિયાના ખર્ચે વાડજ સર્કલથી પાલડી રીવરફ્રન્ટ સુધી માઇક્રો ટનલ પદ્ધતીથી ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.અમદાવાદમાં રીવરફ્રન્ટ બન્યા બાદ આશ્રમ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે અને રી-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રહેણાક અને કોમર્શિયલ એકમમાં પણ વધારો થયો છે. મેટ્રો પ્રોજેક્ટમાં જમીનની નીચે ટનલ બનતી હોવા છતા વાહનવ્યવહારમાં કોઇ ફર્ક પડતો નથી હોતો, એવી જ રીતે અહીયા પણ માઇક્રો ટનલ પધ્ધતીનો ઉપયોગ કરાયો છે.AMC નાખી રહી છે માઇક્રો ડ્રેનેજ લાઇન
માઇક્રો ડ્રેનેજ લાઇન નાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 50થી 100 મીટરે શાફ્ટ બનાવ્યા છે અને તેમાં મશીનરીની મદદથી 2000 મીલીમીટર ડાયાગ્રામની પાઇપને પુશિંગ પદ્ધતિથી જમીનની અંદર 6થી 8 મીટર નીચે ઉતારવામાં આવી રહી છે.માઇક્રો ડ્રેનેજ લાઇનની કામગીરીના મુખ્ય મુદ્દા:
1) જનતાની સુવિધા માટે માઈક્રો ટનલ પદ્ધતી અમલમાં મુકી.
2) અત્યાર સુધીમાં 1.2 કિ.મી. નું કામ પુરૂ થઇ ગયું.
3) હજુ 5.3 કિ.મી. નું કામ બાકી
4) સરકારી અધિકારીના જણાવા પ્રમાણે જમીનથી 6 થી 8 મીટર સુધી માઈક્રો ટનલ બનાવવામાં આવશે.
5) જનતાને ખોડકામ દરમ્યાન મોટી તકલીફ નહીં પડવા દેવામાં આવે.