ટાવરમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર રવિવારે વહેલી સવારે લાગી વિકરાળ આગ
મોબાઇલ અને એસેસરીઝની દુકાનોમાં લાખોના નુક્શાનની ભીતિ
WatchGujarat. બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર રવિવારે વહેલી સવારે 6.55 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી જઈ ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી. શ્યામ શિખર ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બજાર આવેલું છે. અને તેની ઉપર રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે સવારે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જો કે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર હજી સુધી પ્રાપ્ત થઇ શક્યા નથી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના હોર્ડિંગ્સના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
https://youtu.be/wUrXyxuz7Z0
હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગત પ્રમાણે, કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જેમાં વાયરીંગમાંથી આગ વધુ પ્રસરી અને મોટા સાઈન બોર્ડ હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું અનુમાન છે. આગ અકસ્માતમાં 15થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે. જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા અને તેના ફેલાવવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તાપસ શરુ કરી દેવામાં આવી છે.
More #શ્યામ શિખર ટાવર #Bapunagar #Fire in Shops #Ahemdabad News
ટાવરમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર રવિવારે વહેલી સવારે લાગી વિકરાળ આગ
મોબાઇલ અને એસેસરીઝની દુકાનોમાં લાખોના નુક્શાનની ભીતિ
WatchGujarat.બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર રવિવારે વહેલી સવારે 6.55 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી જઈ ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી. શ્યામ શિખર ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બજાર આવેલું છે. અને તેની ઉપર રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે સવારે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જો કે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર હજી સુધી પ્રાપ્ત થઇ શક્યા નથી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના હોર્ડિંગ્સના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
હાલ પ્રાપ્ત પ્રાથમિક વિગત પ્રમાણે, કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જેમાં વાયરીંગમાંથી આગ વધુ પ્રસરી અને મોટા સાઈન બોર્ડ હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું અનુમાન છે. આગ અકસ્માતમાં 15થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે. જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા અને તેના ફેલાવવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તાપસ શરુ કરી દેવામાં આવી છે.
More #શ્યામ શિખર ટાવર #Bapunagar #Fire in Shops #Ahemdabad News