“COVAXIN”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે.
ભારતભરની 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર સ્વદેશી કોરોના વૅક્સીન “COVAXIN”નું ટ્રાયલ શરુ કરવામાં આવી રહ્યું
વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી
28 દિવસ દરમિયાન વૅક્સીનના બે ડોઝ આપવામાં આવશે
અમદાવાદ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. અને બીજી તરફ વિશ્વના બીજા દેશોમાં હાલ જે રીતે નવા કેસો આવી રહ્યા છે. તે જોતા કોરોનાએ જાણે સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વની મહાસત્તાઓ અસરકાર વેક્સીન ના મળે ત્યાં સુધી વિવિધ વેક્સીન પર કામ કરી રહી છે. અને પ્રાથમિક તબ્બકે વૅક્સીનનું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. ત્યારે ભારતમાં પણ જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની અસરકારક વૅક્સીન ના મળે, ત્યાં સુધી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય છે, ત્યારે લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
જો કે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે કે, દિવાળી અને નવા વર્ષના તહેવાર બાદ ભારતમાં પણ મંજૂરી મળ્યા બાદ કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી.
ભારત બાયોટેક કોરોના સંક્રમણના ખાતમા માટે વધુ એક વૅક્સીન પર કામ કરી રહી છે. જે નાક થકી આપવામાં આવતા ડ્રોપ્સ સ્વરૂપે હશે. આ વૅક્સીન પણ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. ભારતભરની 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૅક્સીન”નું ટ્રાયલ શરુ કરવામાં આવી રહ્યું છે. આ લોકોને 28 દિવસ દરમિયાન વૅક્સીનના બે ડોઝ આપવામાં આવશે. જે બાદ 4 થી 6 સપ્તાહ સુધી તેમના સ્વાસ્થ્ય પર થનારી અસરોનો અભ્યાસ કરવામાં આવશે.
“COVAXIN”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે.
ભારતભરની 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર સ્વદેશી કોરોના વૅક્સીન “COVAXIN”નું ટ્રાયલ શરુ કરવામાં આવી રહ્યું
વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી
28 દિવસ દરમિયાન વૅક્સીનના બે ડોઝ આપવામાં આવશે
અમદાવાદ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. અને બીજી તરફ વિશ્વના બીજા દેશોમાં હાલ જે રીતે નવા કેસો આવી રહ્યા છે. તે જોતા કોરોનાએ જાણે સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વની મહાસત્તાઓ અસરકાર વેક્સીન ના મળે ત્યાં સુધી વિવિધ વેક્સીન પર કામ કરી રહી છે. અને પ્રાથમિક તબ્બકે વૅક્સીનનું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. ત્યારે ભારતમાં પણ જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની અસરકારક વૅક્સીન ના મળે, ત્યાં સુધી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય છે, ત્યારે લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
જો કે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે કે, દિવાળી અને નવા વર્ષના તહેવાર બાદ ભારતમાં પણ મંજૂરી મળ્યા બાદ કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી.
ભારત બાયોટેક કોરોના સંક્રમણના ખાતમા માટે વધુ એક વૅક્સીન પર કામ કરી રહી છે. જે નાક થકી આપવામાં આવતા ડ્રોપ્સ સ્વરૂપે હશે. આ વૅક્સીન પણ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. ભારતભરની 22 હોસ્પિટલોમાં 26 હજાર લોકો પર સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૅક્સીન”નું ટ્રાયલ શરુ કરવામાં આવી રહ્યું છે. આ લોકોને 28 દિવસ દરમિયાન વૅક્સીનના બે ડોઝ આપવામાં આવશે. જે બાદ 4 થી 6 સપ્તાહ સુધી તેમના સ્વાસ્થ્ય પર થનારી અસરોનો અભ્યાસ કરવામાં આવશે.