ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આજે મહત્વની જાહેરાત કરી
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરિઝથી થશે
[caption id="attachment_32997" align="aligncenter" width="1280"] મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ[/caption]
અધિરાજસિંહ જાડેજા. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2021 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ડે નાઇટ ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આજે આ અંગેની જાહેરાત કરી છે. અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરિઝથી થશે. તમને જણાવી દઇએ કે અમદાવાદમાં 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. #Cricket
ઇંગ્લેન્ડનો ફ્રેબ્રુઆરીમાં પોતાનો ભારતનો પ્રવાશ શરૂ કરશે. 7 ફેબ્રુઆરી 2021 થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. સુત્રના જણાવ્યા પ્રમાણે શ્રેણીની ત્રીજી અને ચોથી ડે નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. શ્રેણીની ત્રીજી ડે નાઇટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં શરૂ થશે.
ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પણ રમાશે. જો કે આ તમામ 5 ટી20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચ, 4 ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચની સીરિઝ રમાશે. જેની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. ત્યાર બાદ માર્ચમાં વન-ડે અને ટી20 સીરિઝ રમાશે. #Cricket
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ 'નમસ્તે ટ્રમ્પ'ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.
મહત્વનું છે કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસની સ્થિતી પહેલા કરતા સારી થઇ રહી છે. પરંતુ આવનારા સમયમાં સરકાર નક્કી કરશે કે આ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઇને મેચ જોઇ શકશે કે નહીં. પરંતુ મળતી માહિતી પ્રમાણે સરકાર વિચારી રહી છે કે જો રાજ્યમાં સ્થિતી સારી હશે તો સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે દર્શકોને સ્ટેડિયમમાં બેસાડવામાં આવશે.-
More #International #Cricket #Match #Motera #Sardar Patel Stadium #Ahemdabad News
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આજે મહત્વની જાહેરાત કરી
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરિઝથી થશે
અધિરાજસિંહ જાડેજા. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2021 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ડે નાઇટ ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આજે આ અંગેની જાહેરાત કરી છે. અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરિઝથી થશે. તમને જણાવી દઇએ કે અમદાવાદમાં 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. #Cricket
ઇંગ્લેન્ડનો ફ્રેબ્રુઆરીમાં પોતાનો ભારતનો પ્રવાશ શરૂ કરશે. 7 ફેબ્રુઆરી 2021 થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. સુત્રના જણાવ્યા પ્રમાણે શ્રેણીની ત્રીજી અને ચોથી ડે નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. શ્રેણીની ત્રીજી ડે નાઇટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં શરૂ થશે.
ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પણ રમાશે. જો કે આ તમામ 5 ટી20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચ, 4 ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચની સીરિઝ રમાશે. જેની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. ત્યાર બાદ માર્ચમાં વન-ડે અને ટી20 સીરિઝ રમાશે. #Cricket
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ 'નમસ્તે ટ્રમ્પ'ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.
મહત્વનું છે કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસની સ્થિતી પહેલા કરતા સારી થઇ રહી છે. પરંતુ આવનારા સમયમાં સરકાર નક્કી કરશે કે આ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઇને મેચ જોઇ શકશે કે નહીં. પરંતુ મળતી માહિતી પ્રમાણે સરકાર વિચારી રહી છે કે જો રાજ્યમાં સ્થિતી સારી હશે તો સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે દર્શકોને સ્ટેડિયમમાં બેસાડવામાં આવશે.-
More #International #Cricket #Match #Motera #Sardar Patel Stadium #Ahemdabad News