શાળામાં બાળકની હાજરી અંગે પેરેન્ટ્સનો પરમિશન લેટર રજુ કરવું પડશે
રાજ્યભરમાં 23 નવેમ્બરથી શાળા કોલોજોમાં તબક્કાવાર રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
ગાંધીનગર. ગુજરાતમાં શાળાઓ શરૂ થવી જોઇએ કે નહિ તે અંગે અનેક મતમતાંતર છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ મંંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિવાળી વેકેશન પૂરું થયા બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં શાળાઓ તબક્કાવાર રીતે ચાલુ થઈ જશે. પ્રથમ તબક્કામાં ધો-9 થી 12નું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવામાં આવશે.આ સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે.
શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની સાથે હવે બાળકોને સ્કૂલોએ જવું પડશે. પરંતુ તે માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર હોવો જરૂરી છે. હવે રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સીટીમાં તબક્કાવાર કાર્ય શરૂ થશે. દિવાળી વેકેશન પુર્ણ થયા બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, તથા કોલેજ - યુનિવર્સીટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 23 નવેમ્બર સોમવારથી ધો 9 થી 12 ના વર્ગો ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે.
રાજ્ય સરકારે સ્કૂલો માટે અને વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની SOPનું ફરજિયાત પાલન કરાવવાનું રહેશે. હાલમાં મધ્યાહન ભોજન કે રિસેસમાં બાળકો ભેગા ન થાય તે માટેની જવાબદારી સ્કૂલમાં આચાર્યની રહેશે. બાળકને સ્કૂલે મોકલવા માટેનું ફોર્મ માતાપિતાએ સંમતિપત્રક ભરીને આપવું પડશે. સ્કૂલોમાં વર્ગો ઓડ ઈવન પ્રમાણે ચાલુ કરવાના રહેશે. અઠવાડિયામાં 3 દિવસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલોએ જવું પડશે.
સરકાર દ્વારા મંજુરી અપાઇ પણ શું પેરેન્ટ્સ બાળકોને સ્કુલે મોકલશે ! ! !
રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા બુધવારે શાળા - કોલેજ શરૂ કરવા માટે શરતી મંજુરી આપી હતી. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું પેરેન્ટ્સ કોરોના કાળમાં બાળકોને શાળાએ મોકલશે. કોરોના હજી ગયો નથી, રાજ્યના તમામ શહેરોમાં રોજેરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું અમલ સંપુર્ણ પણે પેરેન્ટ્સના હાથમાં છે. સમગ્ર મામલે આગામી સમયમાં વાલીઓ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું .
શાળામાં બાળકની હાજરી અંગે પેરેન્ટ્સનો પરમિશન લેટર રજુ કરવું પડશે
રાજ્યભરમાં 23 નવેમ્બરથી શાળા કોલોજોમાં તબક્કાવાર રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
ગાંધીનગર. ગુજરાતમાં શાળાઓ શરૂ થવી જોઇએ કે નહિ તે અંગે અનેક મતમતાંતર છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ મંંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિવાળી વેકેશન પૂરું થયા બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં શાળાઓ તબક્કાવાર રીતે ચાલુ થઈ જશે. પ્રથમ તબક્કામાં ધો-9 થી 12નું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવામાં આવશે.આ સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે.
શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની સાથે હવે બાળકોને સ્કૂલોએ જવું પડશે. પરંતુ તે માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર હોવો જરૂરી છે. હવે રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સીટીમાં તબક્કાવાર કાર્ય શરૂ થશે. દિવાળી વેકેશન પુર્ણ થયા બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, તથા કોલેજ - યુનિવર્સીટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 23 નવેમ્બર સોમવારથી ધો 9 થી 12 ના વર્ગો ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે.
રાજ્ય સરકારે સ્કૂલો માટે અને વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની SOPનું ફરજિયાત પાલન કરાવવાનું રહેશે. હાલમાં મધ્યાહન ભોજન કે રિસેસમાં બાળકો ભેગા ન થાય તે માટેની જવાબદારી સ્કૂલમાં આચાર્યની રહેશે. બાળકને સ્કૂલે મોકલવા માટેનું ફોર્મ માતાપિતાએ સંમતિપત્રક ભરીને આપવું પડશે. સ્કૂલોમાં વર્ગો ઓડ ઈવન પ્રમાણે ચાલુ કરવાના રહેશે. અઠવાડિયામાં 3 દિવસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલોએ જવું પડશે.
સરકાર દ્વારા મંજુરી અપાઇ પણ શું પેરેન્ટ્સ બાળકોને સ્કુલે મોકલશે ! ! !
રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા બુધવારે શાળા - કોલેજ શરૂ કરવા માટે શરતી મંજુરી આપી હતી. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું પેરેન્ટ્સ કોરોના કાળમાં બાળકોને શાળાએ મોકલશે. કોરોના હજી ગયો નથી, રાજ્યના તમામ શહેરોમાં રોજેરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું અમલ સંપુર્ણ પણે પેરેન્ટ્સના હાથમાં છે. સમગ્ર મામલે આગામી સમયમાં વાલીઓ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું .