ગુજરાતના અમદાવાદ અને સુરતમાંથી લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવ્યા હતા
19 નવેમ્બર, ગુરૂવારના રોજ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગ્નેજ સર્કલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાંજો પકડાયો
ગાંજાની હેરાફેરી કરતા ત્રણ શખ્શની કરાઇ ધરપકડ
Watchgujarat. કોરોનાને કારણે સરકાર દ્વારા સંપુર્ણ કર્ફ્યુ તથા રાત્રી કર્ફ્યુ જેવા ઉપાયો કરવામાં આવી રહ્યું છે. દરમિયાન નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના ઓગ્નેજ સર્કલ પાસેથી 107 કિલો ગાંજો પકડવામાં આવ્યો છે. દિવસેને દિવસે નશાનો કારોબાર દેશમાં વધી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાંથી લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવ્યા હતા.
તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નશાનો કારોબાર ધીમે ધીમે વ્યાપ ફેલાવી રહ્યો હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. લોકડાઉનથી લઇને અત્યાર સુધી રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરામાંથી માદક પદાર્થો અનેક વખત નાની મોટી માત્રામાં પકડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે ગત 19 નવેમ્બર, ગુરૂવારના રોજ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગ્નેજ સર્કલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બંદોબસ્ત દરમિયાન એનસીબીને પીકઅપ મહેન્દ્ર બોલેરો કારમાંથી 107 કિલોનું ગાંજાનું કન્સાઇમેન્ટ પકડી પાડવામાં સફળતા મળી હતી. ગાંજાની હેરાફેરી કરનાર ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. માલ સામાનની આડમાં લઇ જવામાં આવતા 107 કિલોની બજાર કિંમત રૂ. 30 લાખ જેટલી થવા પામે છે.
ક્યાંથી ગાંજો લઇને ક્યાં આપવાનો હતો
તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાંજાનો મોટો જથ્થો ઓડિસાથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. જેને સુરતથી રાજ્યના અલગ અલગ શહેરોમાં બંધાણીઓને વેચવા માટે મોકલવામાં આવવાનો હતો. ગાંજાની હેરાફેરીમાં અમદાવાદના રહેવાસી સલીમ અને ફિરોઝ તથા સુરતના રહેવાસી ટી.એસ. નાહકની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દેશમાં ગાંજાનો વેપાર કેવી રીતે ચાલે છે
દેશમાં ગાંજાનો ગેરકાયદેસર કારોબાર ખુબ મોટા પાયે ચાલે છે. મોટાભાગે નક્સલથી અસરગ્રસ્ત વિસ્તારમાં ગાંજાની ખેતી કરવામાં આવે છે. દેશના આંધ્રાપ્રદેશ - ઓરિસ્સા બોર્ડર પર મોટા પાયે ગાંજાની ગેરકાયદેસર ખેતી કરવામાં આવે છે. અહિંયા ઉગાડવામાં આવતા ગાંજાને દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, તમિલનાડુ, કેરાલા, વેસ્ટ બેંગાલ, સુધી સપ્લાયરના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવે છે. દેશમાં થતા ગાંજાના વેપારના તાર વિદેશો સુધી લંબાયેલા છે. અને શ્રીલંકા સુધી ગાંજો પહોંચાડાય છે. દેશમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તર પુર્વિય રાજ્યોમાં ભૌગોલીક પરિસ્થીતીને કારણે પણ મોટા પાયે ગાંજાની ખેતી કરવામાં આવે છે.
ગુજરાતના અમદાવાદ અને સુરતમાંથી લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવ્યા હતા
19 નવેમ્બર, ગુરૂવારના રોજ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગ્નેજ સર્કલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાંજો પકડાયો
ગાંજાની હેરાફેરી કરતા ત્રણ શખ્શની કરાઇ ધરપકડ
Watchgujarat.કોરોનાને કારણે સરકાર દ્વારા સંપુર્ણ કર્ફ્યુ તથા રાત્રી કર્ફ્યુ જેવા ઉપાયો કરવામાં આવી રહ્યું છે. દરમિયાન નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના ઓગ્નેજ સર્કલ પાસેથી 107 કિલો ગાંજો પકડવામાં આવ્યો છે. દિવસેને દિવસે નશાનો કારોબાર દેશમાં વધી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાંથી લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવ્યા હતા.
તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નશાનો કારોબાર ધીમે ધીમે વ્યાપ ફેલાવી રહ્યો હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. લોકડાઉનથી લઇને અત્યાર સુધી રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરામાંથી માદક પદાર્થો અનેક વખત નાની મોટી માત્રામાં પકડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે ગત 19 નવેમ્બર, ગુરૂવારના રોજ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગ્નેજ સર્કલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બંદોબસ્ત દરમિયાન એનસીબીને પીકઅપ મહેન્દ્ર બોલેરો કારમાંથી 107 કિલોનું ગાંજાનું કન્સાઇમેન્ટ પકડી પાડવામાં સફળતા મળી હતી. ગાંજાની હેરાફેરી કરનાર ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. માલ સામાનની આડમાં લઇ જવામાં આવતા 107 કિલોની બજાર કિંમત રૂ. 30 લાખ જેટલી થવા પામે છે.
ક્યાંથી ગાંજો લઇને ક્યાં આપવાનો હતો
તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાંજાનો મોટો જથ્થો ઓડિસાથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. જેને સુરતથી રાજ્યના અલગ અલગ શહેરોમાં બંધાણીઓને વેચવા માટે મોકલવામાં આવવાનો હતો. ગાંજાની હેરાફેરીમાં અમદાવાદના રહેવાસી સલીમ અને ફિરોઝ તથા સુરતના રહેવાસી ટી.એસ. નાહકની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દેશમાં ગાંજાનો વેપાર કેવી રીતે ચાલે છે
દેશમાં ગાંજાનો ગેરકાયદેસર કારોબાર ખુબ મોટા પાયે ચાલે છે. મોટાભાગે નક્સલથી અસરગ્રસ્ત વિસ્તારમાં ગાંજાની ખેતી કરવામાં આવે છે. દેશના આંધ્રાપ્રદેશ - ઓરિસ્સા બોર્ડર પર મોટા પાયે ગાંજાની ગેરકાયદેસર ખેતી કરવામાં આવે છે. અહિંયા ઉગાડવામાં આવતા ગાંજાને દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, તમિલનાડુ, કેરાલા, વેસ્ટ બેંગાલ, સુધી સપ્લાયરના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવે છે. દેશમાં થતા ગાંજાના વેપારના તાર વિદેશો સુધી લંબાયેલા છે. અને શ્રીલંકા સુધી ગાંજો પહોંચાડાય છે. દેશમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તર પુર્વિય રાજ્યોમાં ભૌગોલીક પરિસ્થીતીને કારણે પણ મોટા પાયે ગાંજાની ખેતી કરવામાં આવે છે.