આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ
પેસેન્જર વાહન, કેપેસિટી 33 સીટવાળી મિની બસ શહેરની અંદર પ્રવેશ કરી શકશે
7500 કિગ્રા સુધીના વજન સાથેના વાહન શહેરમાં પ્રવેશ કરી શકશે
WatchGujarat. તહેવારોબાદ કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં બે દિવસે કર્ફ્યુ રાખવામાં આવ્યું હતું. જે બાબતે કોરાનાના કેસમાં કોઈ ઘટ જોવા મળી ન હતી. પરંતુ બે દિવસ રહેલા કર્ક્યૂને કારણે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. કર્ફ્યુ ખોલ્યા બાદ સોમવારે દિવસ દરમિયાન ફરી થી પ્રદૂષણમાં વધારો થયો છે. આ બાબતને ધ્યાનમાં લઈ શહેર પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શહેરમાં પ્રદુષણને કંટ્રોલમાં લેવું એક પડકાર જનક સ્થિતિ છે. છેલ્લા ઘણા સમયગાળાથી શહેરના પ્રદૂષણની સમસ્યાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે. અને તેને નાથવા માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને કવાયત હાથ ધરી હતી. પણ તે કવાયત કોઈને કોઈ કારણસર પૂર્ણ થઇ ન હતી. જેના કારણે પ્રદુષણની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે હવે તેને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર પણ મેદાનમાં કૂદી પડ્યા છે. પો.કમીશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, હવેથી ટ્રેક્ટર, ટ્રક સહિતનાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશ કરી શકશે નહિ , જ્યારે જે વાહનો આરટીઓમાં કામકાજ માટે આવવા માગતાં હોય એને સવારે 10થી સાંજે 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.
શહેરમાં મોટર વેહિકલ એક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતું હોય તેવાં તમામ લાઈટ ગુડ્સ વેહિકલ તથા લાઈટ પેસેન્જર વેહિકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, એ સિવાયનાં ગુડ્સ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ તેમજ ટ્રેકટર, ટ્રોલી જેવા વ્હીકલને શહેરમાં અવર-જવર કરવા પર સવારે 8થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાં પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય એવાં ક્ષમતાવાળાં પેસેન્જર વાહનો જ શહેરની અંદર પ્રવેશ કરી શકશે. અને 33 થી વધુ સીટ ધરાવતા વાહનોને સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં અવર જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. માત્ર આરટીઓ જ કચેરીનાં કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે 10થી સાંજે 6 દરમિયાન આરટીઓના લાઇટ વ્હીકલને પ્રવેશ મળી શકશે.
આરટીઓને ક્યાં રૂટ પરથી પ્રવેશ આપવામાં આવ્યો
સુભાષબ્રિજ આરટીઓ કચેરીનાં કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ - તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે વ્હીકલ આવી અને જઈ શકાશે.
સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવર-જવર કરી શકાશે.
વસ્ત્રાલ આરટીઓ કચેરીનાં કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે વ્હીકલ આવી અને જઈ શકાશે
જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ વિતરણના વાહનને સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયમાં પ્રવેશ
જાહેરનામાં અંતર્ગત જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ-શાકભાજી, ફ્રુટ્સ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીનાં વિતરણના વાહનોને સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયગાળામાં શહેરમાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ તમામ વાહનોને પણ આરટીઓના વાહનને અવર જ્વર કરવા માટે ફાળવવામાં આવેલ રોડ પરથી જ કરવાની રહેશે.
જેતલપુર ઓકટ્રોયનાકાથી નારોલ થઇ વિશાલા સર્કલ થઇ ડાબા હાથે સરખેજ તેમજ જમણા હાથે એપીએમસી માર્કેટ
નારોલ સર્કલથી ચંડોળા તળાવ થઇ બહેરામપુરા ચોકીથી જમાલપુર શાક માર્કેટ
નરોડા પાટીયાથી મેમ્કો ચાર રસ્તાથી મેમ્કો ચાર રસ્તા પાસે આવેલ ફ્રૂટ માર્કેટ
અમદાવાદમાં આ કારણોથી હવા-પ્રદૂષણ વધુ ફેલાય છે
પિરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી આગ.
બાંધકામ અને મોટા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ધૂળ.
ખુલ્લા પ્લોટમાંથી થતું માટીનું ધોવાણ.
જાહેરમાં કચરાને આગ લગાડવાની પ્રવૃત્તિથી પણ જવાબદાર.
આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ
7500 કિગ્રા સુધીના વજન સાથેના વાહન શહેરમાં પ્રવેશ કરી શકશે
WatchGujarat. તહેવારોબાદ કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં બે દિવસે કર્ફ્યુ રાખવામાં આવ્યું હતું. જે બાબતે કોરાનાના કેસમાં કોઈ ઘટ જોવા મળી ન હતી. પરંતુ બે દિવસ રહેલા કર્ક્યૂને કારણે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. કર્ફ્યુ ખોલ્યા બાદ સોમવારે દિવસ દરમિયાન ફરી થી પ્રદૂષણમાં વધારો થયો છે. આ બાબતને ધ્યાનમાં લઈ શહેર પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શહેરમાં પ્રદુષણને કંટ્રોલમાં લેવું એક પડકાર જનક સ્થિતિ છે. છેલ્લા ઘણા સમયગાળાથી શહેરના પ્રદૂષણની સમસ્યાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે. અને તેને નાથવા માટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને કવાયત હાથ ધરી હતી. પણ તે કવાયત કોઈને કોઈ કારણસર પૂર્ણ થઇ ન હતી. જેના કારણે પ્રદુષણની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે હવે તેને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર પણ મેદાનમાં કૂદી પડ્યા છે. પો.કમીશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, હવેથી ટ્રેક્ટર, ટ્રક સહિતનાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશ કરી શકશે નહિ , જ્યારે જે વાહનો આરટીઓમાં કામકાજ માટે આવવા માગતાં હોય એને સવારે 10થી સાંજે 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.
શહેરમાં મોટર વેહિકલ એક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતું હોય તેવાં તમામ લાઈટ ગુડ્સ વેહિકલ તથા લાઈટ પેસેન્જર વેહિકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, એ સિવાયનાં ગુડ્સ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ તેમજ ટ્રેકટર, ટ્રોલી જેવા વ્હીકલને શહેરમાં અવર-જવર કરવા પર સવારે 8થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતાં પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય એવાં ક્ષમતાવાળાં પેસેન્જર વાહનો જ શહેરની અંદર પ્રવેશ કરી શકશે. અને 33 થી વધુ સીટ ધરાવતા વાહનોને સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં અવર જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. માત્ર આરટીઓ જ કચેરીનાં કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે 10થી સાંજે 6 દરમિયાન આરટીઓના લાઇટ વ્હીકલને પ્રવેશ મળી શકશે.
આરટીઓને ક્યાં રૂટ પરથી પ્રવેશ આપવામાં આવ્યો
સુભાષબ્રિજ આરટીઓ કચેરીનાં કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ - તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે વ્હીકલ આવી અને જઈ શકાશે.
સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવર-જવર કરી શકાશે.
વસ્ત્રાલ આરટીઓ કચેરીનાં કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે વ્હીકલ આવી અને જઈ શકાશે
જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ વિતરણના વાહનને સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયમાં પ્રવેશ
જાહેરનામાં અંતર્ગત જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ-શાકભાજી, ફ્રુટ્સ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીનાં વિતરણના વાહનોને સવારે 9 થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયગાળામાં શહેરમાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ તમામ વાહનોને પણ આરટીઓના વાહનને અવર જ્વર કરવા માટે ફાળવવામાં આવેલ રોડ પરથી જ કરવાની રહેશે.
જેતલપુર ઓકટ્રોયનાકાથી નારોલ થઇ વિશાલા સર્કલ થઇ ડાબા હાથે સરખેજ તેમજ જમણા હાથે એપીએમસી માર્કેટ
નારોલ સર્કલથી ચંડોળા તળાવ થઇ બહેરામપુરા ચોકીથી જમાલપુર શાક માર્કેટ
નરોડા પાટીયાથી મેમ્કો ચાર રસ્તાથી મેમ્કો ચાર રસ્તા પાસે આવેલ ફ્રૂટ માર્કેટ
અમદાવાદમાં આ કારણોથી હવા-પ્રદૂષણ વધુ ફેલાય છે
પિરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી આગ.
બાંધકામ અને મોટા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ધૂળ.
ખુલ્લા પ્લોટમાંથી થતું માટીનું ધોવાણ.
જાહેરમાં કચરાને આગ લગાડવાની પ્રવૃત્તિથી પણ જવાબદાર.