દર્શનાર્થીઓને દર્શન માટે 10 થી 15 સેકન્ડનો જ સમય આપવામાં આવે છે
દર્શનાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખવામાં આવ્યાં
દર્શનાર્થીઓ માટે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
WatchGujarat. ચીનમાંથી પ્રસરેલી વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને પોતાના સકંજામાં લઇ લીધું છે. વિશ્વના દેશોમાં કોરોનાનો ફેલાવો થતા લોકડાઉન કરવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચની રાત્રે દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારથી સ્કૂલો, ઓફિસો, મંદિરો સમગ્ર રીતે બંધ થઇ ગયા હતા. ત્યારે અમદાવાદમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા 248 દિવસ બાદ આજે કેમ્પ હનુમાન મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે.
અમદાવાદ સ્થિત શાહીબાગના આર્મી કેમ્પસમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરને ભક્તોની અનેક રજૂઆત બાદ આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા લાગુ કરાયેલા લોકડાઉનના 248 દિવસ બાદ આજે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ સવારે 9થી4 સુધી દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓએ મંદિરમાં માસ્ક પહેરીને પ્રવેશવા અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. હાલમાં મંદિરમાં આવતાં દર્શનાર્થીઓના આઈડી પ્રૂફ ચેક કરીને ટોકન આપી આર્મી ગેટથી મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આર્મીએ મંજુરી આપ્યા બાદ ભક્તો માટે કેમ્પ હનુમાન મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. શાહીબાગ કન્ટોનમેન્ટ એરિયાના 2 નંબરના ગેટ પરથી મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર સિક્યુરીટી દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચેકિંગ કરીને દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં બહારથી હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ અપાય છે. દર્શનાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખવામાં આવ્યાં છે. જ્યાં દર્શનાર્થીઓને દર્શન માટે 10 થી 15 સેકન્ડનો જ સમય આપવામાં આવે છે. અને દર્શનાર્થીઓ માટે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
દર્શનાર્થીઓને દર્શન માટે 10 થી 15 સેકન્ડનો જ સમય આપવામાં આવે છે
દર્શનાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખવામાં આવ્યાં
દર્શનાર્થીઓ માટે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
WatchGujarat.ચીનમાંથી પ્રસરેલી વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને પોતાના સકંજામાં લઇ લીધું છે. વિશ્વના દેશોમાં કોરોનાનો ફેલાવો થતા લોકડાઉન કરવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચની રાત્રે દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારથી સ્કૂલો, ઓફિસો, મંદિરો સમગ્ર રીતે બંધ થઇ ગયા હતા. ત્યારે અમદાવાદમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા 248 દિવસ બાદ આજે કેમ્પ હનુમાન મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે.
અમદાવાદ સ્થિત શાહીબાગના આર્મી કેમ્પસમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરને ભક્તોની અનેક રજૂઆત બાદ આર્મી કેન્ટોનમેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા લાગુ કરાયેલા લોકડાઉનના 248 દિવસ બાદ આજે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ સવારે 9થી4 સુધી દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓએ મંદિરમાં માસ્ક પહેરીને પ્રવેશવા અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. હાલમાં મંદિરમાં આવતાં દર્શનાર્થીઓના આઈડી પ્રૂફ ચેક કરીને ટોકન આપી આર્મી ગેટથી મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આર્મીએ મંજુરી આપ્યા બાદ ભક્તો માટે કેમ્પ હનુમાન મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. શાહીબાગ કન્ટોનમેન્ટ એરિયાના 2 નંબરના ગેટ પરથી મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર સિક્યુરીટી દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચેકિંગ કરીને દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં બહારથી હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ અપાય છે. દર્શનાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખવામાં આવ્યાં છે. જ્યાં દર્શનાર્થીઓને દર્શન માટે 10 થી 15 સેકન્ડનો જ સમય આપવામાં આવે છે. અને દર્શનાર્થીઓ માટે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.