હિમાલયમાં (Himalaya) આવેલા અમરનાથની (Amarnath Yatra) 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલતાલ રુટથી શરૂ થવાની હતી
અગાઉ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા બાદ સુરક્ષા કારણોને લીધે યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી
કાશ્મીરના બાલટાલ અને પગલગામથી આ યાત્રા શરૂ થાય છે
[caption id="attachment_1224140" align="aligncenter" width="1280"] Demo Image :- Amrnath Yatra[/caption]
WatchGujarat. કોરોના મહામારીને (Corona) પગલે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન આરતી - દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે.
ગયા વર્ષે પણ યાત્રા રદ્દ થઈ હતી
સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલતાલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જો કે, કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.
વર્ષ 2019માં યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી
અગાઉ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) કલમ-370 હટાવ્યા બાદ સુરક્ષા કારણોને લીધે યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી. આ કારણથી અનેક શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી શક્યા ન હતા.
બોર્ડે યુદ્ધસ્તરે તૈયારી શરૂ કરી હતી
ચાલુ વર્ષે બોર્ડે યુદ્ધસ્તરે યાત્રા માટે તમામ તૈયારી શરૂ કરી હતી. ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના CEOની અધ્યક્ષતામાં અનેક વખત બેઠક યોજાઈ હતી. એવી આશા હતી કે, આ વખતે છ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, એપ્રિલ મહિનામાં સંક્રમણ વધવાને પગલે તેને અટકાવવી પડી છે.
સૌથી મુશ્કેલ તીર્થયાત્રા પૈકી એક યાત્રા
અમરનાથ યાત્રા સૌથી મુશ્કેલ યાત્રાઓ પૈકી એક છે. કાશ્મીરના બાલટાલ અને પગલગામથી આ યાત્રા શરૂ થાય છે. આ તીર્થ અનંતનાગ જિલ્લામાં આવેલું છે. અમરનાથની ગુફામાં બરફથી કુદરતી શિવલિંગનું સર્જન થાય છે. અહીં પહોંચવાનો માર્ગ અનેક પડકારોથી ભરેલો છે. પ્રતિકૂળ મૌસમ, ભૂસ્ખલન, ઓક્સિજનની અછત જેવી સમસ્યા વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે.
Amarnath Yatra Cancelled this year also due to pandemic
હિમાલયમાં (Himalaya)આવેલા અમરનાથની (Amarnath Yatra) 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલતાલ રુટથી શરૂ થવાની હતી
અગાઉ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા બાદ સુરક્ષા કારણોને લીધે યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી
WatchGujarat. કોરોના મહામારીને (Corona) પગલે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન આરતી - દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે.
ગયા વર્ષે પણ યાત્રા રદ્દ થઈ હતી
સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલતાલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જો કે, કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.
વર્ષ 2019માં યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી
અગાઉ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) કલમ-370 હટાવ્યા બાદ સુરક્ષા કારણોને લીધે યાત્રા અધવચ્ચે અટકાવવામાં આવી હતી. આ કારણથી અનેક શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી શક્યા ન હતા.
બોર્ડે યુદ્ધસ્તરે તૈયારી શરૂ કરી હતી
ચાલુ વર્ષે બોર્ડે યુદ્ધસ્તરે યાત્રા માટે તમામ તૈયારી શરૂ કરી હતી. ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના CEOની અધ્યક્ષતામાં અનેક વખત બેઠક યોજાઈ હતી. એવી આશા હતી કે, આ વખતે છ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, એપ્રિલ મહિનામાં સંક્રમણ વધવાને પગલે તેને અટકાવવી પડી છે.
સૌથી મુશ્કેલ તીર્થયાત્રા પૈકી એક યાત્રા
અમરનાથ યાત્રા સૌથી મુશ્કેલ યાત્રાઓ પૈકી એક છે. કાશ્મીરના બાલટાલ અને પગલગામથી આ યાત્રા શરૂ થાય છે. આ તીર્થ અનંતનાગ જિલ્લામાં આવેલું છે. અમરનાથની ગુફામાં બરફથી કુદરતી શિવલિંગનું સર્જન થાય છે. અહીં પહોંચવાનો માર્ગ અનેક પડકારોથી ભરેલો છે. પ્રતિકૂળ મૌસમ, ભૂસ્ખલન, ઓક્સિજનની અછત જેવી સમસ્યા વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે.
Amarnath Yatra Cancelled this year also due to pandemic