- અમરેલી જિલ્લાનાં પોલીસ વડા નિર્લિપ્ત રાય પરિવાર સાથે સરકેશ્વરનાં દરિયા કિનારે ગયા હતા.
- પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાનાં મોંજામાં તણાયા હતા.
[caption id="attachment_1275018" align="aligncenter" width="1280"] Gujarat, Amreli SP Nirlipt Rai[/caption]
WatchGujarat. જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વરના દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયો હતો. આ દરમિયાન જોતજોતામાં એસપી નિર્લિપ્ત રોય સહિતનાં પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ડુબી જતા અફરાતફરી મચી હતી. જોકે સ્થાનિકોએ કોન્સ્ટેબલ અને એસપી બંનેને બચાવી લીધા હતા. અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત અનુસાર અમરેલી જિલ્લાનાં પોલીસ વડા નિર્લિપ્ત રાય પરિવાર સાથે સરકેશ્વરનાં દરિયા કિનારે ગયા હતા. તેમની સાથે અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા. પોલીસ વડા અહીં બીચ પર દરિયાના પાણીમાં ન્હાવાની મઝા માણી રહ્યાં હતા. તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાનાં મોંજામાં તણાયા હતા. જોકે, અન્ય પોલીસ કર્મીઓ અને સ્થાનિકોની મદદથી ઘણી જહેમત બાદ બંનેને કાંઠે ખેંચીને લવાયા હતા. બંને દરિયાનું પાણી પી ગયા હોય તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે પોલીસ વડાને સારવાર આપી હતી અને અન્ય પોલીસ કર્મીને હૉસ્પિટલ ખસેડાયા છે. જોકે, સમયસૂચકતાને કારણે મોટી દૂર્ઘટના થતી રહી ગઇ છે.
નિર્લિપ્ત રાય 2010 બેચના IPS બન્યા હતા. તે અગાઉ તેઓ IRS હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર હતા. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકાયા હતા. જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશ્નર તરીકે ઝોન 7 માં મુકાયા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો. તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકાયા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
- અમરેલી જિલ્લાનાં પોલીસ વડા નિર્લિપ્ત રાય પરિવાર સાથે સરકેશ્વરનાં દરિયા કિનારે ગયા હતા.- પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાનાં મોંજામાં તણાયા હતા.
WatchGujarat. જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વરના દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયો હતો. આ દરમિયાન જોતજોતામાં એસપી નિર્લિપ્ત રોય સહિતનાં પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ડુબી જતા અફરાતફરી મચી હતી. જોકે સ્થાનિકોએ કોન્સ્ટેબલ અને એસપી બંનેને બચાવી લીધા હતા. અને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત અનુસાર અમરેલી જિલ્લાનાં પોલીસ વડા નિર્લિપ્ત રાય પરિવાર સાથે સરકેશ્વરનાં દરિયા કિનારે ગયા હતા. તેમની સાથે અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા. પોલીસ વડા અહીં બીચ પર દરિયાના પાણીમાં ન્હાવાની મઝા માણી રહ્યાં હતા. તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાનાં મોંજામાં તણાયા હતા. જોકે, અન્ય પોલીસ કર્મીઓ અને સ્થાનિકોની મદદથી ઘણી જહેમત બાદ બંનેને કાંઠે ખેંચીને લવાયા હતા. બંને દરિયાનું પાણી પી ગયા હોય તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે પોલીસ વડાને સારવાર આપી હતી અને અન્ય પોલીસ કર્મીને હૉસ્પિટલ ખસેડાયા છે. જોકે, સમયસૂચકતાને કારણે મોટી દૂર્ઘટના થતી રહી ગઇ છે.
નિર્લિપ્ત રાય 2010 બેચના IPS બન્યા હતા. તે અગાઉ તેઓ IRS હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર હતા. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકાયા હતા. જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશ્નર તરીકે ઝોન 7 માં મુકાયા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો. તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકાયા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.