અંકલેશ્વરનાં નવા સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક
બંને હત્યામાં કિન્નર મિત્રની સંડોવણી હોવાના પરિવારજનોના આક્ષેપ
પોલીસે બંને હત્યામાં કોની સંડોવણી છે, કિન્નર મિત્રની શું ભૂમિકા છે તે અંગે તપાસ હાથ ધરી
WatchGujarat અંકલેશ્વરના સંસ્કૃત દિન ગામે નર્મદા નદીના કિનારે એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એકનો મૃતદેહ ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ છ દિવસ બાદ ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો છે. ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવેલા મૃતદેહ અને અગાઉ થયેલ હત્યાન સંદર્ભે પરિવારજનોએ બંને મિત્રોની હત્યા તેની સાથે રહેલી કિન્નરે કરી હોવાના આક્ષેપ કરતાં પોલીસ પણ એક તબ્બકે ચોંકી ઉઠી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ગત 28મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સફરૂદ્દીન નર્મદા નદીના કિનારે રેલવેમાં નોકરી આપવાના બહાને એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ઘટના સ્થળેથી હત્યા કરેલી અવસ્થામાં અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં રહેતા અને રૂપિયા પરત લેવા ગયેલા અનુપમ ઉત્તમભાઈ દાસનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે સમગ્ર પ્રકરણમાં હર્ષ સત્યેમ પટેલ તથા અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવા (કિન્નર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અનુપમ દાસની હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસ શોધખોળ કરી રહી હતી. દરમિયાન છ દિવસ બાદ ભરૂચના કસક વિસ્તારના નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની શોધખોળ આરંભી હતી અને બીજી તરફ અંકલેશ્વરમાં હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ગુમ હર્ષ પટેલના પરિવારને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેના પરિવારે મૃતકના શરીર ઉપર કાનમાં કડી હાથમાં કડું તથા શરીર ઉપર ટેટુ કરેલ હોવાથી તેની ઓળખ થઈ હતી. હર્ષ પટેલના પરિવારે હર્ષનો મૃતદેહ હોવાની કબૂલાત કરતાં બિનવારસી મૃતદેહની ઓળખ થઈ હતી.
જોકે નર્મદા નદી કિનારેથી મળી આવેલા હર્ષ પટેલના મૃતદેહમાં પરિવારોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી સાથે પરિવારે અંકલેશ્વર ખાતે અનુપમ દાસની હત્યાનો બનાવ બન્યો હતો તેમાં અને હર્ષ પટેલની હત્યામાં તેની સાથે રહેલી કિન્નર નામે અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાએ હત્યા કરી હોવાના આક્ષેપ કરતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલ તો હર્ષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ત્યારે સમગ્ર ખૂની ખેલમાં મેન વિલનની ભૂમિકા કોણે ભજવી છે, શું તેમાં કિન્નર અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાની સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાની શોધખોળ હાથ ધરી છે.
અંકલેશ્વરનાં નવા સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક
બંને હત્યામાં કિન્નર મિત્રની સંડોવણી હોવાના પરિવારજનોના આક્ષેપ
પોલીસે બંને હત્યામાં કોની સંડોવણી છે, કિન્નર મિત્રની શું ભૂમિકા છે તે અંગે તપાસ હાથ ધરી
WatchGujarat અંકલેશ્વરના સંસ્કૃત દિન ગામે નર્મદા નદીના કિનારે એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એકનો મૃતદેહ ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ છ દિવસ બાદ ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો છે. ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવેલા મૃતદેહ અને અગાઉ થયેલ હત્યાન સંદર્ભે પરિવારજનોએ બંને મિત્રોની હત્યા તેની સાથે રહેલી કિન્નરે કરી હોવાના આક્ષેપ કરતાં પોલીસ પણ એક તબ્બકે ચોંકી ઉઠી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ગત 28મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સફરૂદ્દીન નર્મદા નદીના કિનારે રેલવેમાં નોકરી આપવાના બહાને એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ઘટના સ્થળેથી હત્યા કરેલી અવસ્થામાં અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં રહેતા અને રૂપિયા પરત લેવા ગયેલા અનુપમ ઉત્તમભાઈ દાસનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે સમગ્ર પ્રકરણમાં હર્ષ સત્યેમ પટેલ તથા અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવા (કિન્નર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અનુપમ દાસની હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસ શોધખોળ કરી રહી હતી. દરમિયાન છ દિવસ બાદ ભરૂચના કસક વિસ્તારના નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની શોધખોળ આરંભી હતી અને બીજી તરફ અંકલેશ્વરમાં હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ગુમ હર્ષ પટેલના પરિવારને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેના પરિવારે મૃતકના શરીર ઉપર કાનમાં કડી હાથમાં કડું તથા શરીર ઉપર ટેટુ કરેલ હોવાથી તેની ઓળખ થઈ હતી. હર્ષ પટેલના પરિવારે હર્ષનો મૃતદેહ હોવાની કબૂલાત કરતાં બિનવારસી મૃતદેહની ઓળખ થઈ હતી.
જોકે નર્મદા નદી કિનારેથી મળી આવેલા હર્ષ પટેલના મૃતદેહમાં પરિવારોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી સાથે પરિવારે અંકલેશ્વર ખાતે અનુપમ દાસની હત્યાનો બનાવ બન્યો હતો તેમાં અને હર્ષ પટેલની હત્યામાં તેની સાથે રહેલી કિન્નર નામે અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાએ હત્યા કરી હોવાના આક્ષેપ કરતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલ તો હર્ષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ત્યારે સમગ્ર ખૂની ખેલમાં મેન વિલનની ભૂમિકા કોણે ભજવી છે, શું તેમાં કિન્નર અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાની સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાની શોધખોળ હાથ ધરી છે.