બન્ને ઔદ્યોગિક વસાહતોમાં ઉત્પાદન બંધ રહેતા સરકારને પણ રોજનો ₹50 થી 70 કરોડનો રેવન્યુ લોસ
NCTL ની સ્ટોરેજ ક્ષમતા વધારી પ્લાન્ટ અદ્યતન કરવા હૈયાધારણાથી ઉદ્યોગોનું આંદોલન મોકૂફ
NCT અને GIDC ને સમાંતર લાઈનની AIA ને પરવાનગી આપવા પણ સરકાર વિચારણા કરે તેવી ઉધોગોએ માંગણી કરી છે
WatchGujarat. અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા પ્રદુષિત પાણીનું શુદ્ધિકરણ કરી દરિયામાં ઠાલવતી NCTL ની લાઈનનું ભંગાણ છઠ્ઠા દિવસે પણ દુરસ્ત નહિ થતા 1500 ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. સજોદ નજીક NCTL ની લાઈનમાં ગત સોમવારે રાતે પડેલું ભંગાણ દુરસ્ત નહિ થતા ઉત્પાદન અટકી જતા ઉદ્યોગોને રોજના ₹250 થી 300 કરોડનો પ્રોડક્શન લોસ વેઠવો પડી રહ્યો છે.
ઔદ્યોગિક મંડળ દ્વારા NCTL સામે રેલી અને ઉપવાસનો કાર્યક્રમ પાઠવવામાં આવ્યો હતો. એ જોકે NCTL ના ચેરમેન અને GIDC ના MD એન. થેરાસન્ન તેમજ કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા ખાતરી આપતા ઉધોગોએ પાઠવેલા વિરોધનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. બન્ને ઔદ્યોગિક વસાહત સાથે જ સરકારને પણ રોજનો ₹50 થી 70 કરોડનો રેવન્યુ લોસ થઈ રહ્યું હોવાનું ઉદ્યોગ ગૃહો જણાવી રહ્યાં છે. નર્મદા ક્લીન ટેક લિમિટેડ તેની સ્ટોરેજ ક્ષમતા ઓછામાં ઓછી 3 થી 4 દિવસ રહે તેમ કરે. સાથે જ પ્રદુષિત પાણી વહનની કેપેસિટી પણ 60 મિલિયન લીટર પર ડે કરાઈ તેવી માંગણી કરાઈ છે.
સાથે જ અવાર નવાર સર્જાતા ભંગાણ સામે NCT કાયમી ઉકેલ લાવવા સિસ્ટમ હાઈટેક કરી ઇન્ટરમીડિયેટ 2 બુસ્ટર બનાવડાવી ઘાટ આપે તેવી પણ રજુઆત કરાઈ છે. અંકલેશ્વર ઔદ્યોગીક મંડળ NCT અને GIDC ને સમાંતર પ્રદુષિત પાણીના વહન અને શુદ્ધિકરણ માટે લાઈન નાખવા સક્ષમ તેમજ ટેક્નિકલ પણ કાર્યદક્ષ હોય તેને પરવાનગી આપવા પણ ભાર મુકાયો છે. જોકે ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી NCTL ની સ્ટોરેજ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી અદ્યતન કરવાના લેવાયેલા નિર્ણયથી ભવિષ્યમાં આવી સમસ્યા નહિ ઉદભવે તેવો હાલ ઉધોગ મંડળો આશાવાદ સેવી રહ્યાં છે.
બન્ને ઔદ્યોગિક વસાહતોમાં ઉત્પાદન બંધ રહેતા સરકારને પણ રોજનો ₹50 થી 70 કરોડનો રેવન્યુ લોસ
NCTL ની સ્ટોરેજ ક્ષમતા વધારી પ્લાન્ટ અદ્યતન કરવા હૈયાધારણાથી ઉદ્યોગોનું આંદોલન મોકૂફ
NCT અને GIDC ને સમાંતર લાઈનની AIA ને પરવાનગી આપવા પણ સરકાર વિચારણા કરે તેવી ઉધોગોએ માંગણી કરી છે
WatchGujarat. અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા પ્રદુષિત પાણીનું શુદ્ધિકરણ કરી દરિયામાં ઠાલવતી NCTL ની લાઈનનું ભંગાણ છઠ્ઠા દિવસે પણ દુરસ્ત નહિ થતા 1500 ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. સજોદ નજીક NCTL ની લાઈનમાં ગત સોમવારે રાતે પડેલું ભંગાણ દુરસ્ત નહિ થતા ઉત્પાદન અટકી જતા ઉદ્યોગોને રોજના ₹250 થી 300 કરોડનો પ્રોડક્શન લોસ વેઠવો પડી રહ્યો છે.
ઔદ્યોગિક મંડળ દ્વારા NCTL સામે રેલી અને ઉપવાસનો કાર્યક્રમ પાઠવવામાં આવ્યો હતો. એ જોકે NCTL ના ચેરમેન અને GIDC ના MD એન. થેરાસન્ન તેમજ કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા ખાતરી આપતા ઉધોગોએ પાઠવેલા વિરોધનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. બન્ને ઔદ્યોગિક વસાહત સાથે જ સરકારને પણ રોજનો ₹50 થી 70 કરોડનો રેવન્યુ લોસ થઈ રહ્યું હોવાનું ઉદ્યોગ ગૃહો જણાવી રહ્યાં છે. નર્મદા ક્લીન ટેક લિમિટેડ તેની સ્ટોરેજ ક્ષમતા ઓછામાં ઓછી 3 થી 4 દિવસ રહે તેમ કરે. સાથે જ પ્રદુષિત પાણી વહનની કેપેસિટી પણ 60 મિલિયન લીટર પર ડે કરાઈ તેવી માંગણી કરાઈ છે.
સાથે જ અવાર નવાર સર્જાતા ભંગાણ સામે NCT કાયમી ઉકેલ લાવવા સિસ્ટમ હાઈટેક કરી ઇન્ટરમીડિયેટ 2 બુસ્ટર બનાવડાવી ઘાટ આપે તેવી પણ રજુઆત કરાઈ છે. અંકલેશ્વર ઔદ્યોગીક મંડળ NCT અને GIDC ને સમાંતર પ્રદુષિત પાણીના વહન અને શુદ્ધિકરણ માટે લાઈન નાખવા સક્ષમ તેમજ ટેક્નિકલ પણ કાર્યદક્ષ હોય તેને પરવાનગી આપવા પણ ભાર મુકાયો છે. જોકે ઉદ્યોગોના પ્રદુષિત પાણીનું વહન કરતી NCTL ની સ્ટોરેજ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી અદ્યતન કરવાના લેવાયેલા નિર્ણયથી ભવિષ્યમાં આવી સમસ્યા નહિ ઉદભવે તેવો હાલ ઉધોગ મંડળો આશાવાદ સેવી રહ્યાં છે.