ભરૂચ કસક ગરનાળુ 1 મહિનો બંધ કરવાનું જાહેરનામું 20 કલાકમાં જ રદ
જુના-નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વચ્ચે કસક નાળુ બંધ કરાત તો શહેર-હાઇવે ચક્કાજામના અજગરી ભરડામાં લપેટાત
ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે કલેકટરને રજુઆત કરતા નાળુ હાલ પૂરતું બંધ નહિ કરાઈ
નર્મદા મૈયા બ્રિજના લેન્ડિંગ એન્ડની ડિઝાઇનમાં ફેરફારની કાર્યપાલક ઇજનેરની દરખાસ્તને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારનો હુકમ રદ કર્યા
નર્મદા મૈયા બ્રિજની કામગીરી તેની 3 વર્ષની અવધિ વટાવી હાલ 2.5 વર્ષ વિલંબિત ચાલી રહી હોય વધુ વિલંબ થશે
WatchGujarat ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ માં નર્મદા બ્રિજની કામગીરીને લઈ શહેરના કસક ગરનાળાને 1 મહિના માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યાના ગણતરીના કલાકોમાં જ ગરનાળુ બંધ કરવાના હુકમને જિલ્લા કલેકટરે રદ કરતો હુકમ કરી પ્રસિદ્ધ કરતા જિલ્લાના વાહનચાલકોને હાલ પૂરતી રાહત સાંપડી છે.
ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર માં નર્મદા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા અનેક વિવાદો ઉભા થયા હતા. બ્રિજનું લેન્ડિંગ લંબાવવાનો મુદ્દો ઉભો થતા બ્રિજ નિર્માણનું કાર્ય લંબાયું છે. દરમ્યાન મા નર્મદા બ્રિજનો એક પિલર બરાબર કસક ગરનાળામાં આવતો હોય ગરનાળાને બંધ કરવાની ફરજ પડતા જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ શુક્રવારે સાંજે આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જોકે આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 20 કલાકમાં જિલ્લા કલેકટરે વધુ એક જાહેરનામું બહાર પાડી ગરનાળુ બંધ કરવાના હુકમને રદ કર્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. મોડિયા એ શનિવારે જારી કરેલા જાહેરનામા જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ કામગીરીની ડિઝાઇનમાં સુધારો હોય હાલ પૂરતું કસક નાળુ બંધ કરવાનું જાહેરનામું રદ કરવા દરખાસ્ત કરી હતી. જેને લઈ 1 મહિના માટે નાળુ બંધનો હુકમ રદ કરાયો છે. કસક ગરનાળા ની વચ્ચે આવતા પિલર ને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ગરનાળુ બંધ થવાથી લોકોની હાલાકી વધવાનું જણાવતા બ્રિજની ડિઝાઇનમાં બદલાવ લાવી ગરનાળુ બંધ ન કરવું પડે તે રીતે કામગીરી કરવાનું કહેતા આખરે છેલ્લી ઘડીએ બ્રિજની ડિઝાઇનમાં બદલાવ માટેની કવાયત હાથ ધરાઈ છે. હવે જ્યા સુધી નવી ડિઝાઇન એપ્રુવલ થઈને નહિ આવે ત્યાં સુધી પિલરની કામગીરી સ્થગિત થશે.
ઉલ્લેખનીય છે કે બ્રિજની કામગીરી જેમ લંબાય છે તેમ ભરૂચના ગોલ્ડન બ્રિજ પરની ટ્રાફિક સમસ્યા બેવડાય છે. લોકો ટ્રાફિક જામના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં હવે બ્રિજના પિલર ની કામગીરીમાં રુકાવટ આવતા બ્રિજ નિર્માણની કામગીરીમાં પણ વિલંબ થશે.
5 વર્ષથી નિર્માનાધિન નર્મદા મૈયા બ્રિજ પૂર્ણ થઈ રહ્યો નથી
નર્મદા નદી પર ભરૃચ-અંકલેશ્વર વચ્ચે ટ્રાફીક સમસ્યાના નિરાકરણ તેમજ 143 વર્ષ જુના ગોલ્ડન બ્રિજના પર્યાય રૃપે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 2015 માં ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન કરાયુ હતુ. બ્રિજના નિર્માણની સમય અવધિ 18 જુન 2018 નિયત કરાઈ હતી. જો કે આ નિયત અવધિને 2.5 વર્ષનો સમય વિતી ગયો છે. ભરૃચ તરફ ફ્લાય ઓવર કોલેજ રોડ સુધી પહોંચ્યા બાદ તેને રૃા.95 કરોડના ખર્ચે વધુ 700 મીટર લંબાવાતા કામગીરી વિલંબિત થઈ હતી. નર્મદા બ્રિજના નિર્માણ કાર્ય ને 5 વર્ષ થઈ ગયા છે છતાં એક યા બીજા કારણોને લઈ બ્રિજનું કામ હજી પૂર્ણ થઈ શક્યું નથી. હવે ભરૂચ તરફ સર્વિસ રોડના લેન્ડિંગ માટે સ્ટ્રક્ચરમાં ફેરફાર કરાઈ તો વધુ સમય વીતી જશે. જેનું સુધુ ભારણ ગોલ્ડન અને જૂના-નવા સરદાર બ્રિજ પર રહેશે.
ભરૂચ કસક ગરનાળુ 1 મહિનો બંધ કરવાનું જાહેરનામું 20 કલાકમાં જ રદ
જુના-નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વચ્ચે કસક નાળુ બંધ કરાત તો શહેર-હાઇવે ચક્કાજામના અજગરી ભરડામાં લપેટાત
ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે કલેકટરને રજુઆત કરતા નાળુ હાલ પૂરતું બંધ નહિ કરાઈ
નર્મદા મૈયા બ્રિજની કામગીરી તેની 3 વર્ષની અવધિ વટાવી હાલ 2.5 વર્ષ વિલંબિત ચાલી રહી હોય વધુ વિલંબ થશે
WatchGujarat ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ માં નર્મદા બ્રિજની કામગીરીને લઈ શહેરના કસક ગરનાળાને 1 મહિના માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યાના ગણતરીના કલાકોમાં જ ગરનાળુ બંધ કરવાના હુકમને જિલ્લા કલેકટરે રદ કરતો હુકમ કરી પ્રસિદ્ધ કરતા જિલ્લાના વાહનચાલકોને હાલ પૂરતી રાહત સાંપડી છે.
ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર માં નર્મદા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા અનેક વિવાદો ઉભા થયા હતા. બ્રિજનું લેન્ડિંગ લંબાવવાનો મુદ્દો ઉભો થતા બ્રિજ નિર્માણનું કાર્ય લંબાયું છે. દરમ્યાન મા નર્મદા બ્રિજનો એક પિલર બરાબર કસક ગરનાળામાં આવતો હોય ગરનાળાને બંધ કરવાની ફરજ પડતા જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ શુક્રવારે સાંજે આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જોકે આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 20 કલાકમાં જિલ્લા કલેકટરે વધુ એક જાહેરનામું બહાર પાડી ગરનાળુ બંધ કરવાના હુકમને રદ કર્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. મોડિયા એ શનિવારે જારી કરેલા જાહેરનામા જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ કામગીરીની ડિઝાઇનમાં સુધારો હોય હાલ પૂરતું કસક નાળુ બંધ કરવાનું જાહેરનામું રદ કરવા દરખાસ્ત કરી હતી. જેને લઈ 1 મહિના માટે નાળુ બંધનો હુકમ રદ કરાયો છે. કસક ગરનાળા ની વચ્ચે આવતા પિલર ને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ગરનાળુ બંધ થવાથી લોકોની હાલાકી વધવાનું જણાવતા બ્રિજની ડિઝાઇનમાં બદલાવ લાવી ગરનાળુ બંધ ન કરવું પડે તે રીતે કામગીરી કરવાનું કહેતા આખરે છેલ્લી ઘડીએ બ્રિજની ડિઝાઇનમાં બદલાવ માટેની કવાયત હાથ ધરાઈ છે. હવે જ્યા સુધી નવી ડિઝાઇન એપ્રુવલ થઈને નહિ આવે ત્યાં સુધી પિલરની કામગીરી સ્થગિત થશે.
ઉલ્લેખનીય છે કે બ્રિજની કામગીરી જેમ લંબાય છે તેમ ભરૂચના ગોલ્ડન બ્રિજ પરની ટ્રાફિક સમસ્યા બેવડાય છે. લોકો ટ્રાફિક જામના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં હવે બ્રિજના પિલર ની કામગીરીમાં રુકાવટ આવતા બ્રિજ નિર્માણની કામગીરીમાં પણ વિલંબ થશે.
5 વર્ષથી નિર્માનાધિન નર્મદા મૈયા બ્રિજ પૂર્ણ થઈ રહ્યો નથી
નર્મદા નદી પર ભરૃચ-અંકલેશ્વર વચ્ચે ટ્રાફીક સમસ્યાના નિરાકરણ તેમજ 143 વર્ષ જુના ગોલ્ડન બ્રિજના પર્યાય રૃપે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 2015 માં ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન કરાયુ હતુ. બ્રિજના નિર્માણની સમય અવધિ 18 જુન 2018 નિયત કરાઈ હતી. જો કે આ નિયત અવધિને 2.5 વર્ષનો સમય વિતી ગયો છે. ભરૃચ તરફ ફ્લાય ઓવર કોલેજ રોડ સુધી પહોંચ્યા બાદ તેને રૃા.95 કરોડના ખર્ચે વધુ 700 મીટર લંબાવાતા કામગીરી વિલંબિત થઈ હતી. નર્મદા બ્રિજના નિર્માણ કાર્ય ને 5 વર્ષ થઈ ગયા છે છતાં એક યા બીજા કારણોને લઈ બ્રિજનું કામ હજી પૂર્ણ થઈ શક્યું નથી. હવે ભરૂચ તરફ સર્વિસ રોડના લેન્ડિંગ માટે સ્ટ્રક્ચરમાં ફેરફાર કરાઈ તો વધુ સમય વીતી જશે. જેનું સુધુ ભારણ ગોલ્ડન અને જૂના-નવા સરદાર બ્રિજ પર રહેશે.