નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ
મસ્જિદના લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં 3 વખત ઓડિયો ક્લિપ સંભળાવી કોરોના જાગૃતિનો પ્રયાસ
તાલુકાની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના સહકારથી એક સપ્તાહ સુધી દિવસમાં 3 વખત લોકોને કોરોનાથી બચવા શુ કરવું, શુ ન કરવું તે લાઉડ સ્પીકરથી જણાવશે
WatchGujarat. ભરૂચની મસ્જિદમાંથી હવે અઝાન સાથે કોરોના સંક્રમણને અટકાવવા સંદેશ પણ શરૂ કરાયો છે, દુઆ સાથે લોકોને કોરોનાની ચપેટમાંથી બચાવી જનજાગૃતિ લાવવા સામાજિક પહેલની નવતર દવાનો પ્રયોગ નેત્રંગ પોલીસે શરૂ કર્યો છે.
નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણના દદીઁઓમાં દિવસેને દિવસ ધરખમ વધારો થવાથી આમ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બની ગઈ છે, આરોગ્ય વિભાગ અને સરકારીતંત્રના જવાબદાર લોકો મોઢાને માસ્ક ઢાંકવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં જાહેર અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કોરોન સંક્રમણના પોઝિટિવ કેસોમાં વધારો થતાં નેત્રંગ ગામને લોકડાઉન કરવું પડે તેવી નોબત ઉભી થઇ છે.
https://youtu.be/khtNd69ugxg
સાથેસાથે નેત્રંગના બજારમાં ગ્રાહકો અને આમ પ્રજાની હાજરી નહીંવત જણાઇ રહી છે. જે સારી બાબત છે, પરંતુ આવનાર સમયમાં નેત્રંગ તાલુકાના આગેવાનો પ્રજાહિત માટે લોકડાઉન જેવી અગત્ય કાયઁવાહી કરશે તેવા અણસાર જણાઇ રહ્યા છે,
નેત્રંગ તાલુકાભરમાં કોરોના વાયરસ લોકોમાં વધુ ન ફેલાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, તમામ લોકો માસ્ક પહેરે તે માટે નેત્રંગ
પોલીસ સ્ટેશનના PSI એન.જી પાંચાણી અને પો.કમીઁઓએ મુસ્લીમ સમાજના આગેવાનોના સાથ સહકારથી મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર દ્વારા ઓડિયો ક્લિપ મારફત જાગ્રત કરવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં આવેલ દરેક મસ્જિદમાં દિવસ દરમિયાન 3 વખત એક અઠવાડિયા સુધી ઓડિયો ક્લિપ સંભળાવી લોકોને જાગૃત કરવામાં આવશે તેવી નવતર પ્રયોગ શરૂ કરાયો છે.
નેત્રંગ પોલીસના આ નવતર પ્રયોગથી તમામ મસ્જિદના લાઉડ સ્પીકર થકી અઝાન સાથે દિવસમાં 3 વખત કોરોના સંક્રમણ અટકાવવા અને તેનાથી બચવા ઓડિયો કલીપ રજૂ કરાઇ રહી છે, જેમાં લોકોને માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સહિતની સૂચનાઓ જનજાગૃતિ માટે જારી કરાઈ રહી છે.
નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ
મસ્જિદના લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં 3 વખત ઓડિયો ક્લિપ સંભળાવી કોરોના જાગૃતિનો પ્રયાસ
તાલુકાની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના સહકારથી એક સપ્તાહ સુધી દિવસમાં 3 વખત લોકોને કોરોનાથી બચવા શુ કરવું, શુ ન કરવું તે લાઉડ સ્પીકરથી જણાવશે
WatchGujarat. ભરૂચની મસ્જિદમાંથી હવે અઝાન સાથે કોરોના સંક્રમણને અટકાવવા સંદેશ પણ શરૂ કરાયો છે, દુઆ સાથે લોકોને કોરોનાની ચપેટમાંથી બચાવી જનજાગૃતિ લાવવા સામાજિક પહેલની નવતર દવાનો પ્રયોગ નેત્રંગ પોલીસે શરૂ કર્યો છે.
નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણના દદીઁઓમાં દિવસેને દિવસ ધરખમ વધારો થવાથી આમ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બની ગઈ છે, આરોગ્ય વિભાગ અને સરકારીતંત્રના જવાબદાર લોકો મોઢાને માસ્ક ઢાંકવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં જાહેર અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કોરોન સંક્રમણના પોઝિટિવ કેસોમાં વધારો થતાં નેત્રંગ ગામને લોકડાઉન કરવું પડે તેવી નોબત ઉભી થઇ છે.
સાથેસાથે નેત્રંગના બજારમાં ગ્રાહકો અને આમ પ્રજાની હાજરી નહીંવત જણાઇ રહી છે. જે સારી બાબત છે, પરંતુ આવનાર સમયમાં નેત્રંગ તાલુકાના આગેવાનો પ્રજાહિત માટે લોકડાઉન જેવી અગત્ય કાયઁવાહી કરશે તેવા અણસાર જણાઇ રહ્યા છે,
નેત્રંગ તાલુકાભરમાં કોરોના વાયરસ લોકોમાં વધુ ન ફેલાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, તમામ લોકો માસ્ક પહેરે તે માટે નેત્રંગ
પોલીસ સ્ટેશનના PSI એન.જી પાંચાણી અને પો.કમીઁઓએ મુસ્લીમ સમાજના આગેવાનોના સાથ સહકારથી મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર દ્વારા ઓડિયો ક્લિપ મારફત જાગ્રત કરવામાં આવી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં આવેલ દરેક મસ્જિદમાં દિવસ દરમિયાન 3 વખત એક અઠવાડિયા સુધી ઓડિયો ક્લિપ સંભળાવી લોકોને જાગૃત કરવામાં આવશે તેવી નવતર પ્રયોગ શરૂ કરાયો છે.
નેત્રંગ પોલીસના આ નવતર પ્રયોગથી તમામ મસ્જિદના લાઉડ સ્પીકર થકી અઝાન સાથે દિવસમાં 3 વખત કોરોના સંક્રમણ અટકાવવા અને તેનાથી બચવા ઓડિયો કલીપ રજૂ કરાઇ રહી છે, જેમાં લોકોને માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સહિતની સૂચનાઓ જનજાગૃતિ માટે જારી કરાઈ રહી છે.