દહેજ પંથકના જાગેશ્વર ગામે વધુ 5 ઝોલાછાપ તબીબો ઝડપાયાં
મરીન પોલીસે ઓપરેશન પાર પાડ્યું, ઝડપાયેલાં તબીબો પાસે મેડિકલ પ્રેક્ટિસરનું સર્ટીફિકેટ જ નહિ
કોરોનાકાળમાં જિલ્લામાંથી ઝડપાયેલા 30 જેટલા બોગસ તબીબોમાં મોટા ભાગના પશ્ચિમ બંગાળ અને યુપી બિહારના
WatchGujarat. બહુધા પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી કોરોનાની બીજી લહેર ક્યારની જતી રહી છે જોકે ઝોલા છાપ તબીબોની પ્રેક્ટિસ હજી અકબંધ રહી છે. દહેજ મરીન પોલીસે જાગેશ્વર ગામમાંથી સાગમટે 5 મુન્નાભાઈઓને ઝડપી પાડ્યાં છે. દોઢ વર્ષના કોરોના કાળમાં જિલ્લામાંથી પશ્ચિમ બંગાળ, યુપી અને બિહારના 30 જેટલા બોગસ તબીબો અત્યાર સુધી પોલીસની ઝપટે ચઢ્યા છે.
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અડિંગો જમાવી બેઠાં છે. ત્યારે થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25 થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે પુન: ચેકિંગ હાથ ધરતાં જાગેશ્વર ગામમાં જ 5 બોગસ તબીબ ઝડપાયાં હતાં. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પશ્વિમ બંગાળના તેમજ બિહારના બોગસ તબીબો અડિંગો જમાવી મેડિકલ પ્રેક્ટિસનરના સર્ટીફિકેટ વિના જ સારવાર કરતાં હોય છે. ત્યારે જૂન મહિનામાં ભરૂચ એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં.
દહેજ મરીન પોલીસની ટીમે પંથકમાં હજી પણ આ પ્રકારની ગતિવિધી ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. જેમાં જાગેશ્વર ગામે જ અલગ અલગ સ્થળે 5 બોગસ તબીબો લોકોની સારવાર કરતાં ઝડપાઇ ગયાં હતાં. ઝડપાયેલાં બોગસ તબીબોની પુછપરછ કરતાં તેમના નામ મધુમંગલ જયદેવ બિશ્વાસ રહે. ગબરપૂતા, પશ્ચિમ બંગાળ, બિશ્વજીત ત્રિનાથ બિશ્વાસ રહે. હુદા, પ.બંગાળ, લીટન નિમાચંદ મંડળ રહે. ભીમાપૂર, પ. બંગાળ, રાજીવ શિવચરણપ્રસાદ સિંઘ રેહ. બારાહાટ, બિહાર તેમજ સંજુ ગમતી મિશ્રા રહે. બગહી, બિહાર હોવાનું બહાર આવ્યું છે. તમામ પાંચ બોગસ તબીબો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દહેજ પંથકના જાગેશ્વર ગામે વધુ 5 ઝોલાછાપ તબીબો ઝડપાયાં
મરીન પોલીસે ઓપરેશન પાર પાડ્યું, ઝડપાયેલાં તબીબો પાસે મેડિકલ પ્રેક્ટિસરનું સર્ટીફિકેટ જ નહિ
કોરોનાકાળમાં જિલ્લામાંથી ઝડપાયેલા 30 જેટલા બોગસ તબીબોમાં મોટા ભાગના પશ્ચિમ બંગાળ અને યુપી બિહારના
WatchGujarat. બહુધા પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાંથી કોરોનાની બીજી લહેર ક્યારની જતી રહી છે જોકે ઝોલા છાપ તબીબોની પ્રેક્ટિસ હજી અકબંધ રહી છે. દહેજ મરીન પોલીસે જાગેશ્વર ગામમાંથી સાગમટે 5 મુન્નાભાઈઓને ઝડપી પાડ્યાં છે. દોઢ વર્ષના કોરોના કાળમાં જિલ્લામાંથી પશ્ચિમ બંગાળ, યુપી અને બિહારના 30 જેટલા બોગસ તબીબો અત્યાર સુધી પોલીસની ઝપટે ચઢ્યા છે.
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અડિંગો જમાવી બેઠાં છે. ત્યારે થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25 થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે પુન: ચેકિંગ હાથ ધરતાં જાગેશ્વર ગામમાં જ 5 બોગસ તબીબ ઝડપાયાં હતાં. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પશ્વિમ બંગાળના તેમજ બિહારના બોગસ તબીબો અડિંગો જમાવી મેડિકલ પ્રેક્ટિસનરના સર્ટીફિકેટ વિના જ સારવાર કરતાં હોય છે. ત્યારે જૂન મહિનામાં ભરૂચ એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં.
દહેજ મરીન પોલીસની ટીમે પંથકમાં હજી પણ આ પ્રકારની ગતિવિધી ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. જેમાં જાગેશ્વર ગામે જ અલગ અલગ સ્થળે 5 બોગસ તબીબો લોકોની સારવાર કરતાં ઝડપાઇ ગયાં હતાં. ઝડપાયેલાં બોગસ તબીબોની પુછપરછ કરતાં તેમના નામ મધુમંગલ જયદેવ બિશ્વાસ રહે. ગબરપૂતા, પશ્ચિમ બંગાળ, બિશ્વજીત ત્રિનાથ બિશ્વાસ રહે. હુદા, પ.બંગાળ, લીટન નિમાચંદ મંડળ રહે. ભીમાપૂર, પ. બંગાળ, રાજીવ શિવચરણપ્રસાદ સિંઘ રેહ. બારાહાટ, બિહાર તેમજ સંજુ ગમતી મિશ્રા રહે. બગહી, બિહાર હોવાનું બહાર આવ્યું છે. તમામ પાંચ બોગસ તબીબો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.