સ્વતંત્ર દિનની સાંજે બનેલી ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો
સ્થાનિક કર્મચારીએ દોડી આવી વિસ્તારનો બીજ પુરવઠો બંધ કરતા વધુ નુકશાની ટળી, 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણો ફૂંકાયા
WatchGujarat. ભરૂચના નબીપુર ગામે 75 માં સ્વતંત્ર દિનની સાંજે વીજ કેબલોમાં ધડાકા-ભડાકા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં ભયના માહોલ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જ્યારે 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણોને નુકશાન પોહચ્યું છે. ઘટનાના વાયરલ થયેલા વિડીયોએ લોકોમાં પણ ભારે દહેશત વર્તાવી હતી.
https://youtu.be/ruFg4mf0s8k
રવિવારે 75 માં સ્વતંત્ર પર્વની સાંજે નબીપુરની સુગત સ્ટ્રીટમાં વીજલાઈનમાં ધડાકા-ભડાકા સાથે આગ ફાટી નીકળતા ભયના માહોલ વચ્ચે વિસ્તારના સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. DGVCL ની લો ટેંશનની લાઈનનો વીજ થાંભલા પરથી ઘર વપરાશના વિજ પુરવઠા માટે પસાર થતા કેબલમાં અગમ્ય કારણોસર લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ તુરંત DGVCL ના સ્થાનિક કર્મચારીને કરાતા જે તે વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.
જોકે ઘટનામાં 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણો ને નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. બે થી અઢી કલાકની જહેમત બાદ ક્ષતિ ગ્રસ્ત કેબલ બદલી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરી દેવાયો હતો. શોર્ટસર્કિટ કે વીજ ભાર વધી જતાં ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સોમવારે સવારથી જ વીજ કંપનીની ટીમોએ લાઈન ચેકીંગ હાથ ધરી ઘટના લોડ વધી જવાથી કે શોર્ટ સર્કિટના લીધે થઈ છે તેની તપાસ હાથ ધરી હતી. સાથે જ જે રહેણાંક અને દુકાનોના વીજ ઉપકરણોને નુકશાન પોહચ્યું હતું તેનો તાગ મેળવવા કવાયત આરંભી હતી.
સ્વતંત્ર દિનની સાંજે બનેલી ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો
સ્થાનિક કર્મચારીએ દોડી આવી વિસ્તારનો બીજ પુરવઠો બંધ કરતા વધુ નુકશાની ટળી, 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણો ફૂંકાયા
WatchGujarat. ભરૂચના નબીપુર ગામે 75 માં સ્વતંત્ર દિનની સાંજે વીજ કેબલોમાં ધડાકા-ભડાકા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં ભયના માહોલ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જ્યારે 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણોને નુકશાન પોહચ્યું છે. ઘટનાના વાયરલ થયેલા વિડીયોએ લોકોમાં પણ ભારે દહેશત વર્તાવી હતી.
રવિવારે 75 માં સ્વતંત્ર પર્વની સાંજે નબીપુરની સુગત સ્ટ્રીટમાં વીજલાઈનમાં ધડાકા-ભડાકા સાથે આગ ફાટી નીકળતા ભયના માહોલ વચ્ચે વિસ્તારના સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. DGVCL ની લો ટેંશનની લાઈનનો વીજ થાંભલા પરથી ઘર વપરાશના વિજ પુરવઠા માટે પસાર થતા કેબલમાં અગમ્ય કારણોસર લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ તુરંત DGVCL ના સ્થાનિક કર્મચારીને કરાતા જે તે વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.
જોકે ઘટનામાં 30 થી 40 મકાનો અને દુકાનોના વીજ ઉપકરણો ને નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. બે થી અઢી કલાકની જહેમત બાદ ક્ષતિ ગ્રસ્ત કેબલ બદલી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરી દેવાયો હતો. શોર્ટસર્કિટ કે વીજ ભાર વધી જતાં ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સોમવારે સવારથી જ વીજ કંપનીની ટીમોએ લાઈન ચેકીંગ હાથ ધરી ઘટના લોડ વધી જવાથી કે શોર્ટ સર્કિટના લીધે થઈ છે તેની તપાસ હાથ ધરી હતી. સાથે જ જે રહેણાંક અને દુકાનોના વીજ ઉપકરણોને નુકશાન પોહચ્યું હતું તેનો તાગ મેળવવા કવાયત આરંભી હતી.