સિવિલ હોસ્પિતલ બહાર રેમડીસીવેર ઇન્જેક્શન નહિ મળતા લોકોની કાકલૂદી
મેડિકલ સ્ટોર ધારકો હવે અમારી પાસે સ્ટોક આવતો નહિ હોવાનું કહી હાથ અઘ્ધર કરી રહ્યા છે
કોરોનાથી મોતનો આંકડો ભરૂચ જિલ્લામાં 1000 ને પાર, કોવિડ સ્મશાનમાં વધારાયેલી સગડીઓ પણ મૃતદેહો માટે ઓછી પડી રહી છે
ભરૂચના ભોલાવ અને જ્યોતિનગરમાં RT-PCR ટેસ્ટના સરકારી કેન્દ્રોની આજથી શરૂઆત સાથે લાઈનો
WatchGujarat. કોરોનાની કાળમુખી લહેર બીજા તબક્કામાં વધુ ઘાતક અને લોકોમાં બેડ, રેમડીસીવેર ઇન્જેક્શન, બેડ, ઓક્સિજન તેમજ વેન્ટિલેટર નહિ મળતા લાચાર, નાસીપાસ, આક્રન્ડ, કાકલુદીના ઠેર ઠેર મંજર ઉભા કરી રહી છે. રેમડીસીવેર ઇન્જેક્શન શુક્રવારે ભરૂચ સિવિલમાં આવ્યા બાદ બપોરમાં જ પુરા થઈ જતા લોકોએ લાચારીનો દેકારો મચાવવાની ફરજ પડી હતી.
શનિવારે પણ સિવિલ હોસ્પિટલમાં રેમીડિસીવેર ઇન્જેક્શન માટે સવારથી જ લોકોની લાઈનો વચ્ચે ઓછા સ્ટોકને કારણે લોકોને ઉપલબ્ધ થવાની આશા ધુધળી જોવા મળી હતી. બીજી તરફ દવાની દુકાનોએ હવે તેમને સ્ટોક મળતો નહિ હોવાનું કહી ઇન્જેક્શનને લઈ હાથ ઊંચા કરી દીધા છે.
જિલ્લામાં કોરોના મહામારીને લઇ સ્થિતી ખૂબ વિકટ બની રહી છે, જિલ્લામાં કોરોના પોઝીટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાન અને વિવિધ કબ્રસ્તાનોમાં કોરોના પ્રોટોકોલ આધીન અત્યાર સુધી 1000 થી વધુ લોકોના અંતિમક્રિયા અને દફનવિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં છેલ્લા 10 દિવસમાં કોવિડ પ્રોટોકોલ આધીન 115 જેટલા મૃતદેહને અગ્નિદાહ અપાયા છે, અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલથી થતા અંતિમ સંસ્કારનો આંકડો 625 પાર પહોંચ્યો છે, જે બાબત ખૂબ ચિંતાજનક કહી શકાય તેમ છે, કોવિડ સ્મશાન ખાતે સવાર પડતા જ મૃતદેહની લાઇન લાગે છે તો તંત્રના ચોપડે કોવિડથી મોતનો આંકડો અત્યાર સુધી 34 પર જ બતાડવા આવ્યો છે.
મુસ્લિમ સમાજમાં પણ છેલ્લા 10 દિવસમાં 100 જેટલા લોકોના મોત થતા તેઓની વિવિધ કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન દફનવિધિ કરવામાં આવી છે, જેમાં અત્યારસુધી મુસ્લિમ સમાજમાં 400 થી વધુ લોકોના મોતનું અનુમાન સામે આવ્યું છે. ગામડાઓમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં કોરોના મૃતદેહોની અંતિમ અને દફનવિધિના આંકડા તો ઉજાગર થઈ રહ્યા નથી.
કોવિડ સ્મશાન મૃતદેહો સામે નાનું પડતા વધારાની કાર્યરત કરાયેલી સગડીઓ પણ હવે વધતા જતા મોતને લઈ ઓછી પડી રહી છે. રેમડીસીવેર ઇન્જેક્શન સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડ પણ ઉપલબ્ધ થઈ રહ્યા નથી ત્યારે વધુ જિંદગીઓ કોરોનાના ખપ્પરમાં ન હોમાય તે માટે તંત્ર અને સરકાર પૂરતી વ્યવસ્થાઓ તાકીદે ઉપલબ્ધ કરાવે તે જરૂરી બન્યું છે.
સિવિલ હોસ્પિતલ બહાર રેમડીસીવેર ઇન્જેક્શન નહિ મળતા લોકોની કાકલૂદી
મેડિકલ સ્ટોર ધારકો હવે અમારી પાસે સ્ટોક આવતો નહિ હોવાનું કહી હાથ અઘ્ધર કરી રહ્યા છે
કોરોનાથી મોતનો આંકડો ભરૂચ જિલ્લામાં 1000 ને પાર, કોવિડ સ્મશાનમાં વધારાયેલી સગડીઓ પણ મૃતદેહો માટે ઓછી પડી રહી છે
ભરૂચના ભોલાવ અને જ્યોતિનગરમાં RT-PCR ટેસ્ટના સરકારી કેન્દ્રોની આજથી શરૂઆત સાથે લાઈનો
WatchGujarat. કોરોનાની કાળમુખી લહેર બીજા તબક્કામાં વધુ ઘાતક અને લોકોમાં બેડ, રેમડીસીવેર ઇન્જેક્શન, બેડ, ઓક્સિજન તેમજ વેન્ટિલેટર નહિ મળતા લાચાર, નાસીપાસ, આક્રન્ડ, કાકલુદીના ઠેર ઠેર મંજર ઉભા કરી રહી છે. રેમડીસીવેર ઇન્જેક્શન શુક્રવારે ભરૂચ સિવિલમાં આવ્યા બાદ બપોરમાં જ પુરા થઈ જતા લોકોએ લાચારીનો દેકારો મચાવવાની ફરજ પડી હતી.
શનિવારે પણ સિવિલ હોસ્પિટલમાં રેમીડિસીવેર ઇન્જેક્શન માટે સવારથી જ લોકોની લાઈનો વચ્ચે ઓછા સ્ટોકને કારણે લોકોને ઉપલબ્ધ થવાની આશા ધુધળી જોવા મળી હતી. બીજી તરફ દવાની દુકાનોએ હવે તેમને સ્ટોક મળતો નહિ હોવાનું કહી ઇન્જેક્શનને લઈ હાથ ઊંચા કરી દીધા છે.
જિલ્લામાં કોરોના મહામારીને લઇ સ્થિતી ખૂબ વિકટ બની રહી છે, જિલ્લામાં કોરોના પોઝીટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાન અને વિવિધ કબ્રસ્તાનોમાં કોરોના પ્રોટોકોલ આધીન અત્યાર સુધી 1000 થી વધુ લોકોના અંતિમક્રિયા અને દફનવિધિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં છેલ્લા 10 દિવસમાં કોવિડ પ્રોટોકોલ આધીન 115 જેટલા મૃતદેહને અગ્નિદાહ અપાયા છે, અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલથી થતા અંતિમ સંસ્કારનો આંકડો 625 પાર પહોંચ્યો છે, જે બાબત ખૂબ ચિંતાજનક કહી શકાય તેમ છે, કોવિડ સ્મશાન ખાતે સવાર પડતા જ મૃતદેહની લાઇન લાગે છે તો તંત્રના ચોપડે કોવિડથી મોતનો આંકડો અત્યાર સુધી 34 પર જ બતાડવા આવ્યો છે.
મુસ્લિમ સમાજમાં પણ છેલ્લા 10 દિવસમાં 100 જેટલા લોકોના મોત થતા તેઓની વિવિધ કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન દફનવિધિ કરવામાં આવી છે, જેમાં અત્યારસુધી મુસ્લિમ સમાજમાં 400 થી વધુ લોકોના મોતનું અનુમાન સામે આવ્યું છે. ગામડાઓમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં કોરોના મૃતદેહોની અંતિમ અને દફનવિધિના આંકડા તો ઉજાગર થઈ રહ્યા નથી.
કોવિડ સ્મશાન મૃતદેહો સામે નાનું પડતા વધારાની કાર્યરત કરાયેલી સગડીઓ પણ હવે વધતા જતા મોતને લઈ ઓછી પડી રહી છે. રેમડીસીવેર ઇન્જેક્શન સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડ પણ ઉપલબ્ધ થઈ રહ્યા નથી ત્યારે વધુ જિંદગીઓ કોરોનાના ખપ્પરમાં ન હોમાય તે માટે તંત્ર અને સરકાર પૂરતી વ્યવસ્થાઓ તાકીદે ઉપલબ્ધ કરાવે તે જરૂરી બન્યું છે.