દેશ દ્રોહનો કોઈ ને ગુનો લાગતો હોય તો કેન્દ્ર સરકારને જ લાગુ પડે : BTP MLA
BJP ફ્રોડ સરકાર બનાવી આ દેશ પર રાજ કરી રહી છે, EVM માં ગોટાળા કરી જીત્યા
7 ટર્મથી ચૂંટાતા MP ના મોતમાં જે ફરિયાદ લીધી છે તે પણ જવાબદારીઓને બચાવવા
WatchGujarat ઝઘડિયા MLA અને BTP અધ્યક્ષ છોટુ વસાવા એ ફરી BJP, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર નિશાન સાંધ્યું છે. દાદરા નગરના MP મોહન ડેલકરે કેન્દ્ર સરકારના દબાણથી આપઘાત કર્યો હોવાનો છોટુ વસાવા એ આક્ષેપ કરી, આ આપઘાત નહિ પણ એક જાતની હત્યા જ ગણાવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાર પછી BTP અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા BJP અને સરકાર પણ અનેક ગંભીર આક્ષેપોનો મારો નિવેદનો થકી ચલાવી રહ્યા છે. હવે BTP MLA છોટુ વસાવાએ દાદર નગર ના 7 ટર્મથી ચૂંટાતા સાંસદ મોહન ડેલકરની આત્મહત્યામાં કેન્દ્ર સરકાર ને દોષી ઠેરવી જવાબદાર ગણી છે. BTP MLA એ કહ્યું છે કે, મોહન ડેલકરે આપઘાત કર્યો છે તે કેન્દ્ર સરકારના દબાણથી કર્યો છે.
https://youtu.be/7STF77J4UnQ
જે ફરિયાદ લીધી છે તે પણ બીજા બધા જવાબદારોને બચાવવા માટે. 7 વખતથી જીતતા સાંસદ મોહન ડેલકરના લીધે આદિવાસી એરિયામાં, આદિવાસી રાજ ન થાય, સંવિધાન લાગુ ન પડે એટલા માટે મોહન ડેલકરને મજબૂર બનાવી દેવાયા હતા. આ એક જાતની હત્યા જ છે તેવો આક્ષેપ છોટુ વસાવાએ કરી, આમાં ભારતનું ગૃહ ખાતું જવાબદાર ગણાવી આપઘાત માટે મજબૂર કરાયાં નું નિવેદન કર્યું છે.
વધુમાં છોટુ ભાઈ એ ફરી બળાપો કાઢતા ભાજપ ને કોઈ દિવસ વોટ ન અપાઈ, આ લોકો EVM માં ગોટાળો કરી જીત્યા છે તેમ કહ્યું છે. BJP ની સરકાર ને તેઓ એ ફ્રોડ સરકાર ગણાવી છે. EVM થી જીતી બનાવતી સરકાર બનાવી દેશ પર BJP રાજ કરતી હોય , દેશ દ્રોહ નો ગુનો કોઈ ની ઉપર લાગુ પડતો હોય તો કેન્દ્ર સરકાર પર લાગુ પડે તેમ કહ્યું છે.
દેશ દ્રોહનો કોઈ ને ગુનો લાગતો હોય તો કેન્દ્ર સરકારને જ લાગુ પડે : BTP MLA
BJP ફ્રોડ સરકાર બનાવી આ દેશ પર રાજ કરી રહી છે, EVM માં ગોટાળા કરી જીત્યા
7 ટર્મથી ચૂંટાતા MP ના મોતમાં જે ફરિયાદ લીધી છે તે પણ જવાબદારીઓને બચાવવા
WatchGujarat ઝઘડિયા MLA અને BTP અધ્યક્ષ છોટુ વસાવા એ ફરી BJP, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર નિશાન સાંધ્યું છે. દાદરા નગરના MP મોહન ડેલકરે કેન્દ્ર સરકારના દબાણથી આપઘાત કર્યો હોવાનો છોટુ વસાવા એ આક્ષેપ કરી, આ આપઘાત નહિ પણ એક જાતની હત્યા જ ગણાવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાર પછી BTP અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા BJP અને સરકાર પણ અનેક ગંભીર આક્ષેપોનો મારો નિવેદનો થકી ચલાવી રહ્યા છે. હવે BTP MLA છોટુ વસાવાએ દાદર નગર ના 7 ટર્મથી ચૂંટાતા સાંસદ મોહન ડેલકરની આત્મહત્યામાં કેન્દ્ર સરકાર ને દોષી ઠેરવી જવાબદાર ગણી છે. BTP MLA એ કહ્યું છે કે, મોહન ડેલકરે આપઘાત કર્યો છે તે કેન્દ્ર સરકારના દબાણથી કર્યો છે.
જે ફરિયાદ લીધી છે તે પણ બીજા બધા જવાબદારોને બચાવવા માટે. 7 વખતથી જીતતા સાંસદ મોહન ડેલકરના લીધે આદિવાસી એરિયામાં, આદિવાસી રાજ ન થાય, સંવિધાન લાગુ ન પડે એટલા માટે મોહન ડેલકરને મજબૂર બનાવી દેવાયા હતા. આ એક જાતની હત્યા જ છે તેવો આક્ષેપ છોટુ વસાવાએ કરી, આમાં ભારતનું ગૃહ ખાતું જવાબદાર ગણાવી આપઘાત માટે મજબૂર કરાયાં નું નિવેદન કર્યું છે.
વધુમાં છોટુ ભાઈ એ ફરી બળાપો કાઢતા ભાજપ ને કોઈ દિવસ વોટ ન અપાઈ, આ લોકો EVM માં ગોટાળો કરી જીત્યા છે તેમ કહ્યું છે. BJP ની સરકાર ને તેઓ એ ફ્રોડ સરકાર ગણાવી છે. EVM થી જીતી બનાવતી સરકાર બનાવી દેશ પર BJP રાજ કરતી હોય , દેશ દ્રોહ નો ગુનો કોઈ ની ઉપર લાગુ પડતો હોય તો કેન્દ્ર સરકાર પર લાગુ પડે તેમ કહ્યું છે.