ઝઘડિયા UPL-5 માં બોઇલર બ્લાસ્ટની આગ 10 કલાકે કાબુમાં આવી
7 GIDC ના 16 થી વધુ ફાયર ફાઈટરો આગ બુઝાવવા માં લાગ્યા
10 કિલોમીટરની ત્રિજીયામાં બ્લાસ્ટના કંપનથી ભૂકંપ જેવો અહેસાસ
આસપાસના 3 ગામોમાં લોકોના ઘરના કાચ તૂટ્યા
ઘટનામાં મૃત્યુઆંક 7 જેટલો હોવાની દહેશત
WatchGujarat દહેજની યશસ્વી કંપનીમાં મેજર બ્લાસ્ટની ઘટના બાદ સોમવારે રાતે 1.35 કલાકે ઝઘડિયા UPL 5 ના બોઇલરમાં બ્લાસ્ટ એ ભરૂચને હચમચાવી મૂક્યું છે. ઘટનામાં 24 ને ઇજા થઇ છે જ્યારે લાપતા 7 પેકી 2 કર્મીઓની લાશ મળી આવી છે.
ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ -5 ના પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકા બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો ઝડપી હતો કે તેનો અવાજ 10 કિ.મી.થી વધુના ત્રિજ્યામાં સંભળાયો અને ધરા ધ્રુજી હતી. ભરૂચ જિલ્લામાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત થયો છે. ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની UPL -5 (યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) ના પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકા બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ 10 કિ.મી.થી વધુના ત્રિજ્યામાં આસપાસના વિસ્તારમાં સંભળાયો અને છેક ભરૂચ સુધી ધરા ધ્રુજી હતી.
ઘટનામાં આ કેમિકલ કંપનીમાં કામ કરતા 24 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. જેમને અંકલેશ્વર અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. રાતે 1.35 કલાકે કંપનીના CM પ્લાન્ટમાં અચાનક પ્રેસર વધવાના કારણે બોઇલરમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટની સાથે પ્લાન્ટમાં પણ આગ લાગી હતી. આગ એટલી પ્રબળ હતી કે, જિલ્લાની 7 ઔદ્યોગિક વસાહતમાંથી ફાયર ફાઈટરો દોડી ગયા હતા.
વિકરાળ આગ અને 3 કિમી સુધી ઊંચે આકાશમાં ધુમાડાના ગોટ ગોટા વચ્ચે ભરૂચ, પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર સહિત અન્ય કંપનીના 16 થી વધુ ફાયર ફાઈટરોએ સતત ફોર્મ અને પાણીનો મારો ચલાવતા સવારે 11 કલાકે આગ કાબુમાં આવી હતી. UPL -5 એક કેમિકલ ઉત્પાદન કંપની છે. જોકે, આગ કેવી રીતે શરૂ થઈ તે અંગેની માહિતી હજુ સુધી જાહેર થઈ નથી. હાલ કંપનીમાં શટડાઉન ચાલી રહ્યું હતું ત્યારે ઘટના ઘટી હતી.
બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 10 કિલોમીટર સુધી ધડાકાની તીવ્રતા અને કંપન સાથે નજીક આવેલા કપલસાડી, દધેડા અને ફૂલવાડી ગામે લોકોના ઘરના કાચ પણ તૂટી ગયા હતા. દહેજની યશસ્વી રસાયણ બાદ ભરૂચ જિલ્લાની બીજી ઔદ્યોગિક મોટી હોનારતમાં 7 કર્મચારીઓ ઘટના બાદ લાપતા બન્યા અને જે પેકી 2 ના મૃતદેહ મળી આવ્યા છે. કંપનીના કાટમાળમાં હવે લાપતા કર્મીઓની વધુ તપાસ કરાઈ રહી હોય મૃતુઆંક વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ઘટના સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ સહિતની સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.
7 લાપતા કર્મચારીઓ
કૃણાલ પટેલ ( કંપની કર્મચારી )
કેતનકુમાર ગેવારીયા
વનરાજસિંહ ડોડીયા
નેહલ મહેતા
કુંવરલાલ કાસડેકર (રોયલ સિક્યોરિટી)
મનીરામ ધીકરે
કમલ પાનસે
ઘટનાના 11 કલાક બાદ કાટમાળ નીચેથી 2 મૃતદેહ મળ્યા
ઘટનાના 11 કલાક બાદ કાટમાળ નીચેથી 2 લાપતા કર્મચારીઓની લાશ મળી આવી છે. શુકલતીર્થ ગામના વનરાજસિંહ ડોડીયા તથા અવિધાના નેહલ મહેતાનો મૃતદેહ મળ્યો છે. હજી પણ 5 લોકો લાપતા છે.
22 મહિના પહેલા જ CM 257 (ક્લેથોડીમ) પ્લાન્ટ કાર્યરત થયો
UPL - 5 દ્વારા એગ્રો કેમિકલ માટે 24 એપ્રિલ 2019 માં જ ઝઘડિયામાં વર્ષે 5000 મેટ્રિક ટનની ક્ષમતાનો CM-257 ( clethodim ) પ્લાન્ટ કાર્યરત કરાયો હતો.
24 ઇજાગ્રસ્તોમાંથી 13 ને રજા અપાઈ
હિતેશ પટેલ
નિલેશ દુધાત્રા
સ્મિત પટેલ
કૃણાલ સુરતી
હાર્દિક પટેલ
તેજસ બોરસે
નિતેશ પટેલ
નિલેશ બિંદ
દેવેન્દ્રસિંહ ધામી
ભરત વસાવા
મંગલ કુમાર સિંઘ
રજનીશ કુમાર
સુરેન્દ્ર પ્રસાદ
મંગલ સિંઘ
રોશન કુમાર
બલબીર પરિહર
કૈલાશ પતિ
નગમની સિંઘ
દિપક સિંઘ
અશોક રામધૂન
પ્રદીપ સિંઘ
નિલેશ પટેલ
જ્ઞાનશું પટેલ
ઝઘડિયા UPL-5 માં બોઇલર બ્લાસ્ટની આગ 10 કલાકે કાબુમાં આવી
7 GIDC ના 16 થી વધુ ફાયર ફાઈટરો આગ બુઝાવવા માં લાગ્યા
WatchGujarat દહેજની યશસ્વી કંપનીમાં મેજર બ્લાસ્ટની ઘટના બાદ સોમવારે રાતે 1.35 કલાકે ઝઘડિયા UPL 5 ના બોઇલરમાં બ્લાસ્ટ એ ભરૂચને હચમચાવી મૂક્યું છે. ઘટનામાં 24 ને ઇજા થઇ છે જ્યારે લાપતા 7 પેકી 2 કર્મીઓની લાશ મળી આવી છે.
ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ -5 ના પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકા બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો ઝડપી હતો કે તેનો અવાજ 10 કિ.મી.થી વધુના ત્રિજ્યામાં સંભળાયો અને ધરા ધ્રુજી હતી. ભરૂચ જિલ્લામાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત થયો છે. ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની UPL -5 (યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) ના પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકા બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ 10 કિ.મી.થી વધુના ત્રિજ્યામાં આસપાસના વિસ્તારમાં સંભળાયો અને છેક ભરૂચ સુધી ધરા ધ્રુજી હતી.
ઘટનામાં આ કેમિકલ કંપનીમાં કામ કરતા 24 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. જેમને અંકલેશ્વર અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. રાતે 1.35 કલાકે કંપનીના CM પ્લાન્ટમાં અચાનક પ્રેસર વધવાના કારણે બોઇલરમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટની સાથે પ્લાન્ટમાં પણ આગ લાગી હતી. આગ એટલી પ્રબળ હતી કે, જિલ્લાની 7 ઔદ્યોગિક વસાહતમાંથી ફાયર ફાઈટરો દોડી ગયા હતા.
વિકરાળ આગ અને 3 કિમી સુધી ઊંચે આકાશમાં ધુમાડાના ગોટ ગોટા વચ્ચે ભરૂચ, પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર સહિત અન્ય કંપનીના 16 થી વધુ ફાયર ફાઈટરોએ સતત ફોર્મ અને પાણીનો મારો ચલાવતા સવારે 11 કલાકે આગ કાબુમાં આવી હતી. UPL -5 એક કેમિકલ ઉત્પાદન કંપની છે. જોકે, આગ કેવી રીતે શરૂ થઈ તે અંગેની માહિતી હજુ સુધી જાહેર થઈ નથી. હાલ કંપનીમાં શટડાઉન ચાલી રહ્યું હતું ત્યારે ઘટના ઘટી હતી.
બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 10 કિલોમીટર સુધી ધડાકાની તીવ્રતા અને કંપન સાથે નજીક આવેલા કપલસાડી, દધેડા અને ફૂલવાડી ગામે લોકોના ઘરના કાચ પણ તૂટી ગયા હતા. દહેજની યશસ્વી રસાયણ બાદ ભરૂચ જિલ્લાની બીજી ઔદ્યોગિક મોટી હોનારતમાં 7 કર્મચારીઓ ઘટના બાદ લાપતા બન્યા અને જે પેકી 2 ના મૃતદેહ મળી આવ્યા છે. કંપનીના કાટમાળમાં હવે લાપતા કર્મીઓની વધુ તપાસ કરાઈ રહી હોય મૃતુઆંક વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ઘટના સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ સહિતની સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.
7 લાપતા કર્મચારીઓ
કૃણાલ પટેલ ( કંપની કર્મચારી )
કેતનકુમાર ગેવારીયા
વનરાજસિંહ ડોડીયા
નેહલ મહેતા
કુંવરલાલ કાસડેકર (રોયલ સિક્યોરિટી)
મનીરામ ધીકરે
કમલ પાનસે
ઘટનાના 11 કલાક બાદ કાટમાળ નીચેથી 2 મૃતદેહ મળ્યા
ઘટનાના 11 કલાક બાદ કાટમાળ નીચેથી 2 લાપતા કર્મચારીઓની લાશ મળી આવી છે. શુકલતીર્થ ગામના વનરાજસિંહ ડોડીયા તથા અવિધાના નેહલ મહેતાનો મૃતદેહ મળ્યો છે. હજી પણ 5 લોકો લાપતા છે.
22 મહિના પહેલા જ CM 257 (ક્લેથોડીમ) પ્લાન્ટ કાર્યરત થયો
UPL - 5 દ્વારા એગ્રો કેમિકલ માટે 24 એપ્રિલ 2019 માં જ ઝઘડિયામાં વર્ષે 5000 મેટ્રિક ટનની ક્ષમતાનો CM-257 ( clethodim ) પ્લાન્ટ કાર્યરત કરાયો હતો.