નફ્ફટ મેનેજમેન્ટે વાત કરવાનું તો દૂર ઉપરથી બીજી નોટિસ પકડાવી દીધી
20 દિવસથી સામુહિક બદલીનો વિરોધ કરતા કામદારો સાથે સરકાર કે મેનેજમેન્ટ વાત કરવા તૈયાર ન હોય ભભૂકતો રોષ
હવે બાળકો, પરિવાર સાથે ગેટ પર બદલીઓ રદ કરવાની માંગ સાથે ઉમટેલા કામદારોના પક્ષે મેનેજમેન્ટ કે તંત્ર આવે છે કે નહીં તેના પર મદાર રહેલો છે
WatchGujarat. દહેજની વેલ્સપન કંપનીએ 400 જેટલા કામદારોની અંજાર બદલી કરી દેવાનો વિવાદ વધુ વકર્યો છે. બુધવારે કંપની ગેટ બહાર વિરોધ-પ્રદર્શનના 20 માં દિવસે કામદારો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી સાથે ધામા નાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
છેલ્લા 22 વર્ષથી આ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારોએ અંજાર નહિ જવાનો સુર વ્યક્ત કરી અહીં જ નિવૃત થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મેનેજમેન્ટ અને સરકાર તેમની સાથે વાત કરવા તૈયાર ન હોય ત્યારે આજે અપાયેલી આત્મવિલોપનની ચીમકીમાં મેનેજમેન્ટે બીજી વખત નોટિસો પકડાવી દેતા કામદારો આગ બબુલા થઈ ઉઠ્યા છે.
20 દિવસથી સામુહિક બદલી કરી કામદારોનું ભવિષ્ય અંધકારમાં મુક્તા હવે કામદારોને ઘર ચલાવવા અને બાળકોના ભણતરનો પણ સવાલ ઉપસ્થિત થયો હોય તેવો જો સરકાર કે મેનેજમેન્ટ સામુહિક બદલીઓ રદ નહિ કરે તો આત્મવિલોપનનો છેલ્લો માર્ગ ન છૂટકે અપનાવશે તે વાત મક્કમ થઈ દોહરાવી રહ્યાં છે.
22 વર્ષથી વેલ્સપન કંપનીનો દહેજમાં પાયો નખાયો ત્યારથી કામ કરતા કામદારોએ વ્યથિત થઈ આક્રોશ ઠાલવ્યો હતો કે, અમે લોહીનું પાણી અને હાડકાંનું ખાતર કરી કંપનીના સિચન માટે અમારુ યોગદાન આપેલું છે. કંપની 1 થી 10 પ્લાન્ટમાં વિકસી છે અમે હવે અહીં થી જ કામ કરી વય નિવૃત થવા ઇચ્છિયે છીએ.
જ્યારે મેનેજમેન્ટને શરમજનક અને નફ્ફટ ગણાવ્યું હતું, 20 દિવસથી કામદારો વિરોધ અને ધરણાં કરી રહ્યા છે, આજે પરિવાર સાથે ગેટ બહાર આત્મવિલોપન માટે ઉમટ્યા છે ત્યારે કંપની અમને બીજી નોટિસ હાથમાં પકડાવી દીધી છે. અમે આતંકવાદી નથી કામદારો છીએ છતાં મેનેજમેન્ટ કે સરકાર અમારી સાથે વાત નથી કરી રહી તે ઘણું દુઃખદ છે.
નફ્ફટ મેનેજમેન્ટે વાત કરવાનું તો દૂર ઉપરથી બીજી નોટિસ પકડાવી દીધી
20 દિવસથી સામુહિક બદલીનો વિરોધ કરતા કામદારો સાથે સરકાર કે મેનેજમેન્ટ વાત કરવા તૈયાર ન હોય ભભૂકતો રોષ
હવે બાળકો, પરિવાર સાથે ગેટ પર બદલીઓ રદ કરવાની માંગ સાથે ઉમટેલા કામદારોના પક્ષે મેનેજમેન્ટ કે તંત્ર આવે છે કે નહીં તેના પર મદાર રહેલો છે
WatchGujarat. દહેજની વેલ્સપન કંપનીએ 400 જેટલા કામદારોની અંજાર બદલી કરી દેવાનો વિવાદ વધુ વકર્યો છે. બુધવારે કંપની ગેટ બહાર વિરોધ-પ્રદર્શનના 20 માં દિવસે કામદારો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી સાથે ધામા નાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
છેલ્લા 22 વર્ષથી આ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના પરિવારોએ અંજાર નહિ જવાનો સુર વ્યક્ત કરી અહીં જ નિવૃત થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મેનેજમેન્ટ અને સરકાર તેમની સાથે વાત કરવા તૈયાર ન હોય ત્યારે આજે અપાયેલી આત્મવિલોપનની ચીમકીમાં મેનેજમેન્ટે બીજી વખત નોટિસો પકડાવી દેતા કામદારો આગ બબુલા થઈ ઉઠ્યા છે.
20 દિવસથી સામુહિક બદલી કરી કામદારોનું ભવિષ્ય અંધકારમાં મુક્તા હવે કામદારોને ઘર ચલાવવા અને બાળકોના ભણતરનો પણ સવાલ ઉપસ્થિત થયો હોય તેવો જો સરકાર કે મેનેજમેન્ટ સામુહિક બદલીઓ રદ નહિ કરે તો આત્મવિલોપનનો છેલ્લો માર્ગ ન છૂટકે અપનાવશે તે વાત મક્કમ થઈ દોહરાવી રહ્યાં છે.
22 વર્ષથી વેલ્સપન કંપનીનો દહેજમાં પાયો નખાયો ત્યારથી કામ કરતા કામદારોએ વ્યથિત થઈ આક્રોશ ઠાલવ્યો હતો કે, અમે લોહીનું પાણી અને હાડકાંનું ખાતર કરી કંપનીના સિચન માટે અમારુ યોગદાન આપેલું છે. કંપની 1 થી 10 પ્લાન્ટમાં વિકસી છે અમે હવે અહીં થી જ કામ કરી વય નિવૃત થવા ઇચ્છિયે છીએ.
જ્યારે મેનેજમેન્ટને શરમજનક અને નફ્ફટ ગણાવ્યું હતું, 20 દિવસથી કામદારો વિરોધ અને ધરણાં કરી રહ્યા છે, આજે પરિવાર સાથે ગેટ બહાર આત્મવિલોપન માટે ઉમટ્યા છે ત્યારે કંપની અમને બીજી નોટિસ હાથમાં પકડાવી દીધી છે. અમે આતંકવાદી નથી કામદારો છીએ છતાં મેનેજમેન્ટ કે સરકાર અમારી સાથે વાત નથી કરી રહી તે ઘણું દુઃખદ છે.