ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ
ઝોન પ્રભારી અને પૂર્વે કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવાની અધ્યક્ષતામાં ચુટણીલક્ષી બેઠક
કોંગ્રેસ આ ચુટણીમાં પ્રી પોલ કે આફ્ટર પોલ ગઠબંધન નહિ કરે
WatchGujarat. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફૂટલા, દગાખોર, પક્ષપલટુ, ડબલ ઢોલકીઓને ટિકિટ નહિ આપે તેમ ભરૂચમાં કોંગ્રેસની ચૂંટણી લક્ષી બેઠકમાં ઝોન પ્રભારી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાએ કહ્યું હતું.
ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ઝોન પ્રભારી અને પૂર્વે કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવાની અધ્યક્ષતામાં ચુટણીલક્ષી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી અને ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરુચ જિલ્લા કોંગ્રેસની ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. ઝોન પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવા, સહ પ્રભારી માનસિંહ દોડિયા, કશ્મીરા શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભરુચ જિલ્લા પંચાયત, જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 4 નગર પાલિકાની ચુટણીમાં ઉમેદવારોના નામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરી ઉમેદવારોના નામ પ્રભારી સમક્ષ રજૂ કરાશે અને ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ બેઠકમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યૂથ કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણ,પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠકમાં હાજર રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે કે ચૂંટણી પછી કોઈ ગઠબંધન કરશે નહીં. દરેક બેઠક પર ઉમેદવાર ઉભા રાખી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા કબજે કરવા પ્રયત્નો કરશે.
BTP અને AIMIM ગઠબંધનનો કોઈ ફર્ક નહીં પડે તેવો દાવો પણ કરાયો હતો. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બી.ટી.પી.અને એ.આઈ.એમ.આઈ.એમ. દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નારણ રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, આ ગઠબંધનનો કોઈ ફરક નહીં પડે. BJP ને ફાયદો પહોંચાડવા આ ગઠબંધન કરવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ પોતાની વોટબેંક જાળવી રાખશે.
કોંગ્રેસના ચાણક્ય અને ટ્રબલ શૂટર ગણાતા સ્વ. અહેમદ પટેલના નિધન બાદ આ પ્રથમ ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસને તેમની ખોટ વર્તાશે અને આગામી સમયમાં પણ ખોટ સાલશે. જોકે સિનિયર નેતાઓને રાહુલ ગાંધી દ્વારા દિલ્હી થી સીધી સૂચના આપી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, પાલિકાઓ કોંગ્રેસની બનાવવા ઝોનલ વાઇસ સક્રિય કામગીરીની જવાબદારી સોંપાઈ હોવાનું રાજ્યસભાના સાંસદ રાઠવાએ અંતમાં જણાવ્યું હતું.
6 નિરીક્ષકોએ 4 પાલિકા, 9 તા.પં., 1 જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામો માંગ્યા
ભરૂચ જિલ્લાની 4 નગર પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે કોંગ્રેસના નિરીક્ષકો ઝોનલ પ્રભારી નારણ રાઠવા, માનસિંગ ડોડીયા, રાજેન્દ્રસિંહ, કાશ્મીરા મુન્શી, ડો. પ્યારે લાલ, પંકજ પટેલે ભરૂચ શહેર-તાલુકા કોંગ્રેસ પ્રમુખો સાથે વન બાય વન બેઠક યોજવા સાથે જિલ્લા કોર સમિતિના સભ્યો સાથે ચૂંટણી લક્ષી પરામર્શ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમદેવરોના નામો મેળવવા માં આવ્યા હતા. ઉમેદવારોના નામોનું લિસ્ટ 10 જાન્યુઆરીએ પ્રદેશ માં મોકલી અપાશે. જે બાદ ઉમેદવાર પસંદગી ટિકિટનો નિર્ણય લેવાશે.
ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ
કોંગ્રેસ આ ચુટણીમાં પ્રી પોલ કે આફ્ટર પોલ ગઠબંધન નહિ કરે
WatchGujarat. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફૂટલા, દગાખોર, પક્ષપલટુ, ડબલ ઢોલકીઓને ટિકિટ નહિ આપે તેમ ભરૂચમાં કોંગ્રેસની ચૂંટણી લક્ષી બેઠકમાં ઝોન પ્રભારી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાએ કહ્યું હતું.
ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ઝોન પ્રભારી અને પૂર્વે કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવાની અધ્યક્ષતામાં ચુટણીલક્ષી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી અને ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરુચ જિલ્લા કોંગ્રેસની ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. ઝોન પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવા, સહ પ્રભારી માનસિંહ દોડિયા, કશ્મીરા શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભરુચ જિલ્લા પંચાયત, જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 4 નગર પાલિકાની ચુટણીમાં ઉમેદવારોના નામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરી ઉમેદવારોના નામ પ્રભારી સમક્ષ રજૂ કરાશે અને ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ બેઠકમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યૂથ કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણ,પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠકમાં હાજર રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે કે ચૂંટણી પછી કોઈ ગઠબંધન કરશે નહીં. દરેક બેઠક પર ઉમેદવાર ઉભા રાખી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા કબજે કરવા પ્રયત્નો કરશે.
BTP અને AIMIM ગઠબંધનનો કોઈ ફર્ક નહીં પડે તેવો દાવો પણ કરાયો હતો. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બી.ટી.પી.અને એ.આઈ.એમ.આઈ.એમ. દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નારણ રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, આ ગઠબંધનનો કોઈ ફરક નહીં પડે. BJP ને ફાયદો પહોંચાડવા આ ગઠબંધન કરવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ પોતાની વોટબેંક જાળવી રાખશે.
કોંગ્રેસના ચાણક્ય અને ટ્રબલ શૂટર ગણાતા સ્વ. અહેમદ પટેલના નિધન બાદ આ પ્રથમ ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસને તેમની ખોટ વર્તાશે અને આગામી સમયમાં પણ ખોટ સાલશે. જોકે સિનિયર નેતાઓને રાહુલ ગાંધી દ્વારા દિલ્હી થી સીધી સૂચના આપી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, પાલિકાઓ કોંગ્રેસની બનાવવા ઝોનલ વાઇસ સક્રિય કામગીરીની જવાબદારી સોંપાઈ હોવાનું રાજ્યસભાના સાંસદ રાઠવાએ અંતમાં જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લાની 4 નગર પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે કોંગ્રેસના નિરીક્ષકો ઝોનલ પ્રભારી નારણ રાઠવા, માનસિંગ ડોડીયા, રાજેન્દ્રસિંહ, કાશ્મીરા મુન્શી, ડો. પ્યારે લાલ, પંકજ પટેલે ભરૂચ શહેર-તાલુકા કોંગ્રેસ પ્રમુખો સાથે વન બાય વન બેઠક યોજવા સાથે જિલ્લા કોર સમિતિના સભ્યો સાથે ચૂંટણી લક્ષી પરામર્શ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમદેવરોના નામો મેળવવા માં આવ્યા હતા. ઉમેદવારોના નામોનું લિસ્ટ 10 જાન્યુઆરીએ પ્રદેશ માં મોકલી અપાશે. જે બાદ ઉમેદવાર પસંદગી ટિકિટનો નિર્ણય લેવાશે.