હંમેશા દર્દીઓને દવા આપનાર ફ્રન્ટલાઈનર કોરોના વોરિયર્સ તબીબો-આરોગ્ય કર્મીઓ કોરોનાની રસી માટે બન્યા દર્દીઓ
ભરૂચમાં 3 કેન્દ્રો પર વેકસીનેશનનો આરંભ, 300 હેલ્થ કર્મીઓને આવરી લેવાયા, કોઈ આડ અસર નહિ
જિલ્લાને 12,480 વેકસીનેશન ડોઝની પ્રથમ ચરણમાં ફાળવણી
WatchGujarat. ભરૂચની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનેશન મહાઅભિયાનનો MLA દુષ્યંત પટેલના શુભારંભ કરાયો હતો. પ્રથમ કોરોનાની વેકસીન 40 વર્ષથી આરોગ્ય સેવા આપતા તબીબે લીધી હતી. વેક્સિન લેનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સએ વેકસીન સલામત અને આડ અસર વિનાની હોવાના પ્રતિભાવો આપી અન્યને પણ વેકસીનેશન માટે તૈયાર થવા હાકલ કરી હતી.
કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ થતાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલે દિપ પ્રજવલન કરી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર આ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કારાવ્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, આઈ.એમ.એ. પ્રેસીડન્ટ ડૉ. દુષ્યંત વરીયા, સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. MLA દુષ્યંતપટેલે જણાવ્યું હતું કે, દેશના નાગરિકો જેની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતાં જેનો આજે અંત આવ્યો છે.
કોરોના સામે રક્ષણ આપતી રસી ગુજરાતના આંગણે આવી પહોંચતા અને આજે ફ્રન્ટલાઈન ડૉક્ટર, નર્સ, વર્ગ-4 ના કર્મચારી રસી આપવાનો કાર્યક્રમનો પ્રારંભ થતાં દેશના નાગરિકોમાં નવી આશા અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં 12480 વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થયેલ છે. જિલ્લામાં 3 સ્થળો માતર-100 , વાગરા-100 અને ભરૂચ સિવિલમાં-100 એમ મળીને કુલ 300 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મુકાશે.
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પુને ધ્વારા તૈયાર કરાયેલી કોવિશિલ્ડ રસી લીધા પછી 28 દિવસના અંતરાલ બાદ આજ રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. બીજો ડોઝ લીધા બાદ 14 દિવસ પછી આ રોગ સામે રક્ષણ મેળવવા આપણું શરીર તૈયાર થાય છે. PM મોદી ધ્વારા રસીકરણ કાર્યક્રમના કરાવાયેલાં શુભારંભનું જીવંત પ્રાસરણ સૌએ નિહાળ્યું હતું. રસીકરણમાં જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ બી.બી.પંડ્યા, નાયબ કલેક્ટર પ્રજાપતિ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વેકસીન લેનાર જિલ્લાના પ્રથમ નાગરિક બન્યા ડૉ. ગૌત્તમ પટેલ
ભરૂચ શહેરમાં 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર અને IMA ના સીનીયર એડવાઈઝર ગૌત્તમ પટેલ એ ભરૂચમાં સૌ પ્રથમ નાગરિક તરીકે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મે વેક્સિન લીધી છે અને તેનાથી મને કોઈ તકલીફ થઈ નથી. સૌ કોઈ નાગરિકોને વેક્સિન લેવા માટેની અપીલ કરૂં છું અને વેક્સિન લેવાથી રોગ પ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી પાવર) વધે છે અને વેક્સિન લેવી ખુબ જ મહત્વની અને જરૂરી છે.
કોરોના સામે રક્ષણ મેળવવા મેં રસી લીધી, દરેક લોકો પણ મુકાવે : IMA પ્રમુખ
ભરૂચ આઈ.એમ.એ. પ્રમુખ ડૉ. દુષ્યંતભાઈ વરીયાએ પણ કોવિડ રસી લીધી હતી. સિવિલમાં રસી લીધા બાદ તેમણે કહ્યું હતું કે, આજે ખુબ આનંદની વાત છે કે કોરોનાની રસીકરણનો પ્રારંભ થયેલ છે. કોરોના સામે રક્ષણ મેળવવા દરેક નાગરિકોને રસી લેવા હું આગ્રહભરી અપીલ કરૂં છું.
વેકસીનનો લઈ કોઈ ગભરાવવાની જરૂર નથી
ડૉ. વનરાજ મહિડા ઈન્ડિયન મેડીકલ એસોસિએસનમાં પ્રતિનિધિત્વ કરે છે, તેમણે વેકસીનેશન બાદ કહ્યું કે, વેક્સિનનો આજે પ્રથમ દિવસ છે. મે વેક્સિન લીધી છે. મને તેની કોઈ આડઅસર થઈ નથી. વડાપ્રધાનની છેલ્લા ઘણાં સમયની મહેનત રંગ લાવી છે. વેક્સિન લેવા માટે કોઈએ ગભરાવવાની જરૂર નથી અને સૌ કોઈને પોતાની અનૂકુળતા પ્રમાણે વેક્સિન લેવા માટેની અપીલ કરૂં છું.
કોરોના મહામારી સામે વેકસીન લેવા દરેક મહિલા આગળ આવે
ડૉ. ભાવના શેઠ છેલ્લા 39 વર્ષથી ગાયનોક્લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. આજે વેક્સિન મુકાવનાર ડૉ. ભાવના શેઠે ખાસ કરી મહિલાઓને કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન દરેક નાગરિક માટે લાભદાયક છે. કોરોના જેવી મહામારીથી બચવા દરેક એ વેક્સિન લેવા હું અનુરોધ કરું છું.
ભરૂચમાં 3 કેન્દ્રો પર વેકસીનેશનનો આરંભ, 300 હેલ્થ કર્મીઓને આવરી લેવાયા, કોઈ આડ અસર નહિ
જિલ્લાને 12,480 વેકસીનેશન ડોઝની પ્રથમ ચરણમાં ફાળવણી
WatchGujarat. ભરૂચની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનેશન મહાઅભિયાનનો MLA દુષ્યંત પટેલના શુભારંભ કરાયો હતો. પ્રથમ કોરોનાની વેકસીન 40 વર્ષથી આરોગ્ય સેવા આપતા તબીબે લીધી હતી. વેક્સિન લેનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સએ વેકસીન સલામત અને આડ અસર વિનાની હોવાના પ્રતિભાવો આપી અન્યને પણ વેકસીનેશન માટે તૈયાર થવા હાકલ કરી હતી.
કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ થતાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલે દિપ પ્રજવલન કરી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર આ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કારાવ્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, આઈ.એમ.એ. પ્રેસીડન્ટ ડૉ. દુષ્યંત વરીયા, સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. MLA દુષ્યંતપટેલે જણાવ્યું હતું કે, દેશના નાગરિકો જેની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતાં જેનો આજે અંત આવ્યો છે.
કોરોના સામે રક્ષણ આપતી રસી ગુજરાતના આંગણે આવી પહોંચતા અને આજે ફ્રન્ટલાઈન ડૉક્ટર, નર્સ, વર્ગ-4 ના કર્મચારી રસી આપવાનો કાર્યક્રમનો પ્રારંભ થતાં દેશના નાગરિકોમાં નવી આશા અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં 12480 વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થયેલ છે. જિલ્લામાં 3 સ્થળો માતર-100 , વાગરા-100 અને ભરૂચ સિવિલમાં-100 એમ મળીને કુલ 300 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મુકાશે.
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પુને ધ્વારા તૈયાર કરાયેલી કોવિશિલ્ડ રસી લીધા પછી 28 દિવસના અંતરાલ બાદ આજ રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. બીજો ડોઝ લીધા બાદ 14 દિવસ પછી આ રોગ સામે રક્ષણ મેળવવા આપણું શરીર તૈયાર થાય છે. PM મોદી ધ્વારા રસીકરણ કાર્યક્રમના કરાવાયેલાં શુભારંભનું જીવંત પ્રાસરણ સૌએ નિહાળ્યું હતું. રસીકરણમાં જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ બી.બી.પંડ્યા, નાયબ કલેક્ટર પ્રજાપતિ, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વેકસીન લેનાર જિલ્લાના પ્રથમ નાગરિક બન્યા ડૉ. ગૌત્તમ પટેલ
ભરૂચ શહેરમાં 40 વર્ષથી દર્દીઓની સારવાર કરનાર અને IMA ના સીનીયર એડવાઈઝર ગૌત્તમ પટેલ એ ભરૂચમાં સૌ પ્રથમ નાગરિક તરીકે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મે વેક્સિન લીધી છે અને તેનાથી મને કોઈ તકલીફ થઈ નથી. સૌ કોઈ નાગરિકોને વેક્સિન લેવા માટેની અપીલ કરૂં છું અને વેક્સિન લેવાથી રોગ પ્રતિકારક શક્તિ(ઈમ્યુનિટી પાવર) વધે છે અને વેક્સિન લેવી ખુબ જ મહત્વની અને જરૂરી છે.
કોરોના સામે રક્ષણ મેળવવા મેં રસી લીધી, દરેક લોકો પણ મુકાવે : IMA પ્રમુખ
ભરૂચ આઈ.એમ.એ. પ્રમુખ ડૉ. દુષ્યંતભાઈ વરીયાએ પણ કોવિડ રસી લીધી હતી. સિવિલમાં રસી લીધા બાદ તેમણે કહ્યું હતું કે, આજે ખુબ આનંદની વાત છે કે કોરોનાની રસીકરણનો પ્રારંભ થયેલ છે. કોરોના સામે રક્ષણ મેળવવા દરેક નાગરિકોને રસી લેવા હું આગ્રહભરી અપીલ કરૂં છું.
વેકસીનનો લઈ કોઈ ગભરાવવાની જરૂર નથી
ડૉ. વનરાજ મહિડા ઈન્ડિયન મેડીકલ એસોસિએસનમાં પ્રતિનિધિત્વ કરે છે, તેમણે વેકસીનેશન બાદ કહ્યું કે, વેક્સિનનો આજે પ્રથમ દિવસ છે. મે વેક્સિન લીધી છે. મને તેની કોઈ આડઅસર થઈ નથી. વડાપ્રધાનની છેલ્લા ઘણાં સમયની મહેનત રંગ લાવી છે. વેક્સિન લેવા માટે કોઈએ ગભરાવવાની જરૂર નથી અને સૌ કોઈને પોતાની અનૂકુળતા પ્રમાણે વેક્સિન લેવા માટેની અપીલ કરૂં છું.
કોરોના મહામારી સામે વેકસીન લેવા દરેક મહિલા આગળ આવે
ડૉ. ભાવના શેઠ છેલ્લા 39 વર્ષથી ગાયનોક્લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. આજે વેક્સિન મુકાવનાર ડૉ. ભાવના શેઠે ખાસ કરી મહિલાઓને કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન દરેક નાગરિક માટે લાભદાયક છે. કોરોના જેવી મહામારીથી બચવા દરેક એ વેક્સિન લેવા હું અનુરોધ કરું છું.