કાગદીવાડમાં લોખંડના ફટકા વડે માથામાં વારથી પત્નીને લોહીલુહાણ મળી આવી
ઘરના ઉપરના માળે પતિની પણ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે હત્યા અને આપઘાતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી
પતિના શરીર પર પણ ઇજાના નિશાનો, FSL અને PM બાદ આ ચકચારી હત્યા અને આત્મહત્યાની વધુ વિગતો બહાર આવી શકે છે
WatchGujarat. અંકલેશ્વરના કાગદીવાડમાં હત્યા અને આત્મહત્યાનો અરેરાટી ફેલાવનાર કિસ્સો બહાર આવ્યો છે. પત્નીને માથાના ભાગે લોખંડના ફટકાથી વાર કરી મોત ને ઘાટ ઉતાર્યા બાદ ઘરના પેહલા માળે ગળેફાંસો ખાઈ લીધેલી હાલતમાં પતિની લાશ મળી આવી હતી. હત્યા અને આત્મહયાના આ ચકચારી કિસ્સામાં 4 બાળકો નિરાધાર થઈ ગયા છે.
અંકલેશ્વરમાં પહેલા લોખંડના પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી પછી લોહીથી લથબથ પત્નીના મૃતદેહ પાસે પતિએ ગળાફાંસો ખાધો હતો. હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે. શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયકંપાવી દે તેવી ઘટના બની છે. કાગદીવાડ વિસ્તારમાં એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પતિએ પહેલા લોખંડના પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પત્નીના લોહીથી લથબથ મૃતદેહ પાસે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા હબીબુલ રહેમાન કાગજીનું આજ વિસ્તારમાં જ રહેતી શાહીન સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનમાં 4 સંતાનો થયા હતા. ગતરોજ બંને પતિ-પત્ની પોતાના ઘરે હતા. તે દરમિયાન રવિવારે સવારે શાહીન હબીબુલ કાગજીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગે સ્થાનિકોએ મૃતક મહિલાના ભાઈ ગુલામ મહંમદને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલાના ઘરના ઉપરના માળે તેઓના પતિ હબીબુલ રહેમાન કાગજીનો શરીરે ઇજા પહોંચેલી હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શહેર પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેનો ગુનો નોંધી હાલ તો તપાસ હાથ ધરી છે. પત્નીની હત્યા બાદ પતિનું આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે.
પત્નીની લોહીથી લથબથ હાલતમાં ઘરના નીચેના ભાગે અને પત્નીની શરીરે ઇજાઓ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં ઉપરના માળે મળી આવેલી લાશમાં પોલિસે હત્યા-આત્મહત્યાના આ પ્રકરણમાં FSL ની મદદ લેવા સાથે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. FSL અને PM રિપોર્ટ તેમજ પાડોશીઓ, સગાસંબંધીઓ અને સંતાનોના નિવેદનો બાદ આ હત્યા અને આપઘાત પ્રકરણનું કારણ તેમજ હકીકત બહાર આવી શકે તેમ છે. હાલ તો માતા-પિતાના મૃત્યુ થી 4 સંતાનો નિરાધાર થઈ ગયા છે.
કાગદીવાડમાં લોખંડના ફટકા વડે માથામાં વારથી પત્નીને લોહીલુહાણ મળી આવી
ઘરના ઉપરના માળે પતિની પણ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે હત્યા અને આપઘાતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી
પતિના શરીર પર પણ ઇજાના નિશાનો, FSL અને PM બાદ આ ચકચારી હત્યા અને આત્મહત્યાની વધુ વિગતો બહાર આવી શકે છે
WatchGujarat. અંકલેશ્વરના કાગદીવાડમાં હત્યા અને આત્મહત્યાનો અરેરાટી ફેલાવનાર કિસ્સો બહાર આવ્યો છે. પત્નીને માથાના ભાગે લોખંડના ફટકાથી વાર કરી મોત ને ઘાટ ઉતાર્યા બાદ ઘરના પેહલા માળે ગળેફાંસો ખાઈ લીધેલી હાલતમાં પતિની લાશ મળી આવી હતી. હત્યા અને આત્મહયાના આ ચકચારી કિસ્સામાં 4 બાળકો નિરાધાર થઈ ગયા છે.
અંકલેશ્વરમાં પહેલા લોખંડના પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી પછી લોહીથી લથબથ પત્નીના મૃતદેહ પાસે પતિએ ગળાફાંસો ખાધો હતો. હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે. શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયકંપાવી દે તેવી ઘટના બની છે. કાગદીવાડ વિસ્તારમાં એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પતિએ પહેલા લોખંડના પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પત્નીના લોહીથી લથબથ મૃતદેહ પાસે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા હબીબુલ રહેમાન કાગજીનું આજ વિસ્તારમાં જ રહેતી શાહીન સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનમાં 4 સંતાનો થયા હતા. ગતરોજ બંને પતિ-પત્ની પોતાના ઘરે હતા. તે દરમિયાન રવિવારે સવારે શાહીન હબીબુલ કાગજીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગે સ્થાનિકોએ મૃતક મહિલાના ભાઈ ગુલામ મહંમદને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલાના ઘરના ઉપરના માળે તેઓના પતિ હબીબુલ રહેમાન કાગજીનો શરીરે ઇજા પહોંચેલી હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શહેર પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેનો ગુનો નોંધી હાલ તો તપાસ હાથ ધરી છે. પત્નીની હત્યા બાદ પતિનું આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે.
પત્નીની લોહીથી લથબથ હાલતમાં ઘરના નીચેના ભાગે અને પત્નીની શરીરે ઇજાઓ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં ઉપરના માળે મળી આવેલી લાશમાં પોલિસે હત્યા-આત્મહત્યાના આ પ્રકરણમાં FSL ની મદદ લેવા સાથે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. FSL અને PM રિપોર્ટ તેમજ પાડોશીઓ, સગાસંબંધીઓ અને સંતાનોના નિવેદનો બાદ આ હત્યા અને આપઘાત પ્રકરણનું કારણ તેમજ હકીકત બહાર આવી શકે તેમ છે. હાલ તો માતા-પિતાના મૃત્યુ થી 4 સંતાનો નિરાધાર થઈ ગયા છે.