જિલ્લાના આદિવાસીઓએ ઉમટી પડી માંગ પુરી ન થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી
ઈકો સેન્સિટિવ ઝોનના નામે પ્રવાસન વિકાસ અને કેવડિયાના 17 ગામોને વિસ્થાપિત કરવા સામે વધતો વિરોધ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલું આંદોલન નર્મદા જિલ્લાના પરિણામો પર વિપરીત અસર કરવાની વકી
WatchGujarat ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે કેવડિયા ખાતે ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરણા પર ઉતરી પડ્યા છે.
SOUના નિર્માણ બાદ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળની રચના કરી હતી. જે બાદ સરકારે શુલપાણેશ્વર અભિયારણ વિસ્તારના નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા હતા. ખેડૂતોના 7/12 ના ઉતારામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની બીજા હકની કાચી એન્ટ્રી પડાતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. હાલ સરકારે કાચી એન્ટ્રીઓ પાડવાની ના પાડી છે અને જે એન્ટ્રીઓ પડી ગઈ છે એ રદ કરવાનો હુકમ કર્યો છે.
સરકારની સ્પષ્ટતા વચ્ચે હવે ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરણા પર ઉતરી પડ્યા છે.
ઇકો સેન્સિટિવ ઝોનની એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે ભાજપ આદિવાસીઓને સમજ આપી રહી છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલો આ વિરોધ ચૂંટણીના પરિણામો પર અસર કરશે એવું લાગી રહ્યું છે.
ઈકો સેન્સિટિવ ઝોન-SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના કન્વીનર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોન કાયદો અને રેવન્યુ રેકોર્ડમાં ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ પણ રદ કરવામાં આવે. ઈકો સેન્સિટિવ ઝોનના નામે પ્રવાસન વિકસાવવાની બાબતનો તથા કેવડિયાના 17 ગામોને વિસ્થાપિત કરાઈ રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ.
જો સરકારનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે વાતચીત કરવા આવશે તો અમે તૈયાર છે પણ જો અમારી માંગો પુરી નહિ થાય તો દેશભર માંથી આદિવાસીઓ અને આદીવાસી સંગઠનના આગેવાનો કેવડીયામાં આવશે અને અમારી લડતમાં સાથ આપશે.જ્યાં સુધી અમારી માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા બંધ નહિ થાય.
સમિતિના સહ કન્વીનર બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે, સરકારે કહ્યુ છે કે ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરવાનું સૂચન આપ્યું છે પણ આ કાયદો તો કેન્દ્ર સરકારે પાસ કર્યો છે. આ એન્ટ્રી રદ કરવા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલા હુકમની નકલ તથા ગુજરાત સરકારે નર્મદા કલેકટરને આપેલા હુકમની નકલ તથા નર્મદા કલેકટરે નાંદોદ, સાગબારા, ગરુડેશ્વર અને ડેડીયાપાડા મામલતદારોને એન્ટ્રી રદ કરવા કાયદેસરના હુકમની નકલ જો અમને નહિ આપે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું.
જિલ્લાના આદિવાસીઓએ ઉમટી પડી માંગ પુરી ન થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી
ઈકો સેન્સિટિવ ઝોનના નામે પ્રવાસન વિકાસ અને કેવડિયાના 17 ગામોને વિસ્થાપિત કરવા સામે વધતો વિરોધ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલું આંદોલન નર્મદા જિલ્લાના પરિણામો પર વિપરીત અસર કરવાની વકી
WatchGujarat ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે કેવડિયા ખાતે ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરણા પર ઉતરી પડ્યા છે.
SOUના નિર્માણ બાદ સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળની રચના કરી હતી. જે બાદ સરકારે શુલપાણેશ્વર અભિયારણ વિસ્તારના નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા હતા. ખેડૂતોના 7/12 ના ઉતારામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની બીજા હકની કાચી એન્ટ્રી પડાતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. હાલ સરકારે કાચી એન્ટ્રીઓ પાડવાની ના પાડી છે અને જે એન્ટ્રીઓ પડી ગઈ છે એ રદ કરવાનો હુકમ કર્યો છે.
સરકારની સ્પષ્ટતા વચ્ચે હવે ઈકો સેન્સેટિવ ઝોન અને SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ રદ કરવાની માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો સેન્સિટિવ ઝોન તથા SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરણા પર ઉતરી પડ્યા છે.
ઇકો સેન્સિટિવ ઝોનની એક તરફ સરકારે કાચી એન્ટ્રીઓ રદ કરી છે ભાજપ આદિવાસીઓને સમજ આપી રહી છે તો બીજી બાજુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા શરૂ થયેલો આ વિરોધ ચૂંટણીના પરિણામો પર અસર કરશે એવું લાગી રહ્યું છે.
ઈકો સેન્સિટિવ ઝોન-SOU વિસ્તાર વિકાસ પ્રવાસન સત્તા મંડળ હટાવો સમિતિના કન્વીનર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોન કાયદો અને રેવન્યુ રેકોર્ડમાં ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ પણ રદ કરવામાં આવે. ઈકો સેન્સિટિવ ઝોનના નામે પ્રવાસન વિકસાવવાની બાબતનો તથા કેવડિયાના 17 ગામોને વિસ્થાપિત કરાઈ રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ.
જો સરકારનું પ્રતિનિધિ મંડળ અમારી સાથે વાતચીત કરવા આવશે તો અમે તૈયાર છે પણ જો અમારી માંગો પુરી નહિ થાય તો દેશભર માંથી આદિવાસીઓ અને આદીવાસી સંગઠનના આગેવાનો કેવડીયામાં આવશે અને અમારી લડતમાં સાથ આપશે.જ્યાં સુધી અમારી માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા બંધ નહિ થાય.
સમિતિના સહ કન્વીનર બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે, સરકારે કહ્યુ છે કે ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રી રદ કરવાનું સૂચન આપ્યું છે પણ આ કાયદો તો કેન્દ્ર સરકારે પાસ કર્યો છે. આ એન્ટ્રી રદ કરવા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપેલા હુકમની નકલ તથા ગુજરાત સરકારે નર્મદા કલેકટરને આપેલા હુકમની નકલ તથા નર્મદા કલેકટરે નાંદોદ, સાગબારા, ગરુડેશ્વર અને ડેડીયાપાડા મામલતદારોને એન્ટ્રી રદ કરવા કાયદેસરના હુકમની નકલ જો અમને નહિ આપે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું.