લેન્ડલુઝર્સ અને વાલીઓને પોતાના સંતાનોને કૌશલ્ય લક્ષી અને યોગ્યતા મુજબ શિક્ષણ આપવા MP ની ટકોર
મનસુખ વસાવાની વાત લોકોને ગમતી નથી પણ તમે લેન્ડલુઝર્સ તરીકે કંપનીમાં નોકરી માટે લાયકાત તો ધરાવતા હોવા જોઈએ
રેતી-માટીનું બેફામ વહન કરતા ભુમાફિયાઓને પણ આડે હાથ લઈ તંત્ર અને સરકારની કામગીરી વખાણી
WatchGujarat. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે સાંસદ મનસુખ વસાવા ફરી તેમની આખા બોલી વાણી સાથે જાહેરમંચ પરથી વરસી પડ્યા હતા. ભરૂચ-નર્મદા જિલ્લામાં 2 મેડિકલ કોલેજ અને લેન્ડલુઝર્સને પ્રવેશ તથા નોકરી ને લઈ કહ્યું હતું કે, MP કે MLA ની ભલામણથી એડમિશન-નોકરી ન મળે તે માટે મેરીટ-લાયકાત હોવી જોઈએ.
ભરૂચના અમલેશ્વર ગામે 66 KV નવા નિર્માણ પામનાર સબસ્ટેશનના ભૂમિપૂજનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા મંચ પરથી ફરી વરસી પડ્યા હતા અને લોકો તેમજ વાલીઓને ટકોર કરી હતી કે, મારા જેવા સાંસદ કે ધારાસભ્યની ભલામણથી એડમિશન કે નોકરી ન મળે, લાયકાત અને મેરીટ હોવું જોઈએ.
શરૂઆતમાં MP એ વિવિધ યોજનાઓ વિકાસકામો ને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. સાથે જ ભરૂચ જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભુમાફિયાઓ પર બોલાવાતી તવાઈને પણ આવકારી હતી. રેતી-માટી ખોદકામ કરતા 5 % લોકોના લાભ ને લઈ 95 ટકા લોકો નારાજ ન થવા જોઈએ, તેમ કહી દરેક કામગીરી કાયદેસર અને નીતિ નિયમો મુજબ જ થવી જોઈએ તેના પર ભાર મુક્યો હતો.
કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સ હેઠળ દૂર દૂર ખરશીની પણ તેમણે સરાહના કરી કહ્યું હતું કે આવું કાયમ રહેવું જોઈએ. જેથી કરી નજીક નજીક ખુરશી હોય તો ઘર્ષણ થાય, દૂર દૂર જ સારી કહી રાજકીય કટાક્ષ પણ કર્યો હતો.
ભરૂચમાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે, રાજપીપળામાં શરૂ થવાની છે જેનો ઉલ્લેખ કરી MP એ કહ્યું હતું કે, મનસુખ વસાવાની વાત લોકોને ગમતી નથી. મનસુખભાઇ (MP) કે દુષ્યંતભાઈ (MLA) ની ભલામણ થી એડમિશન ન મળે , મેરીટ લાવવું પડે. તેમ કહી ચિઠ્ઠીઓ લખતા પ્રવેશ માટે ફોનો કરતા લોકોને ટકોર કરી હતી. જેઓની જમીન પ્રોજેક્ટો-ઉધોગોમાં જાય છે તેઓને સારું એવું વળતર પણ મળે છે. જોકે જે તે પ્રોજેકટ કે કંપનીમાં લેન્ડલુઝર્સ તરીકે લાયકાત તો હોવી જોઈએ. નોકરી-મેડિકલ કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે આવતા લોકોને તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી લાયકાત ધરાવતા બનાવવા કહ્યું હતું.
લેન્ડલુઝર્સ અને વાલીઓને પોતાના સંતાનોને કૌશલ્ય લક્ષી અને યોગ્યતા મુજબ શિક્ષણ આપવા MP ની ટકોર
મનસુખ વસાવાની વાત લોકોને ગમતી નથી પણ તમે લેન્ડલુઝર્સ તરીકે કંપનીમાં નોકરી માટે લાયકાત તો ધરાવતા હોવા જોઈએ
રેતી-માટીનું બેફામ વહન કરતા ભુમાફિયાઓને પણ આડે હાથ લઈ તંત્ર અને સરકારની કામગીરી વખાણી
WatchGujarat. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે સાંસદ મનસુખ વસાવા ફરી તેમની આખા બોલી વાણી સાથે જાહેરમંચ પરથી વરસી પડ્યા હતા. ભરૂચ-નર્મદા જિલ્લામાં 2 મેડિકલ કોલેજ અને લેન્ડલુઝર્સને પ્રવેશ તથા નોકરી ને લઈ કહ્યું હતું કે, MP કે MLA ની ભલામણથી એડમિશન-નોકરી ન મળે તે માટે મેરીટ-લાયકાત હોવી જોઈએ.
ભરૂચના અમલેશ્વર ગામે 66 KV નવા નિર્માણ પામનાર સબસ્ટેશનના ભૂમિપૂજનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા મંચ પરથી ફરી વરસી પડ્યા હતા અને લોકો તેમજ વાલીઓને ટકોર કરી હતી કે, મારા જેવા સાંસદ કે ધારાસભ્યની ભલામણથી એડમિશન કે નોકરી ન મળે, લાયકાત અને મેરીટ હોવું જોઈએ.
શરૂઆતમાં MP એ વિવિધ યોજનાઓ વિકાસકામો ને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. સાથે જ ભરૂચ જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભુમાફિયાઓ પર બોલાવાતી તવાઈને પણ આવકારી હતી. રેતી-માટી ખોદકામ કરતા 5 % લોકોના લાભ ને લઈ 95 ટકા લોકો નારાજ ન થવા જોઈએ, તેમ કહી દરેક કામગીરી કાયદેસર અને નીતિ નિયમો મુજબ જ થવી જોઈએ તેના પર ભાર મુક્યો હતો.
કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સ હેઠળ દૂર દૂર ખરશીની પણ તેમણે સરાહના કરી કહ્યું હતું કે આવું કાયમ રહેવું જોઈએ. જેથી કરી નજીક નજીક ખુરશી હોય તો ઘર્ષણ થાય, દૂર દૂર જ સારી કહી રાજકીય કટાક્ષ પણ કર્યો હતો.
ભરૂચમાં મેડિકલ કોલેજ શરૂ થઈ ગઈ છે, રાજપીપળામાં શરૂ થવાની છે જેનો ઉલ્લેખ કરી MP એ કહ્યું હતું કે, મનસુખ વસાવાની વાત લોકોને ગમતી નથી. મનસુખભાઇ (MP) કે દુષ્યંતભાઈ (MLA) ની ભલામણ થી એડમિશન ન મળે , મેરીટ લાવવું પડે. તેમ કહી ચિઠ્ઠીઓ લખતા પ્રવેશ માટે ફોનો કરતા લોકોને ટકોર કરી હતી. જેઓની જમીન પ્રોજેક્ટો-ઉધોગોમાં જાય છે તેઓને સારું એવું વળતર પણ મળે છે. જોકે જે તે પ્રોજેકટ કે કંપનીમાં લેન્ડલુઝર્સ તરીકે લાયકાત તો હોવી જોઈએ. નોકરી-મેડિકલ કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે આવતા લોકોને તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી લાયકાત ધરાવતા બનાવવા કહ્યું હતું.