તાજેતરમાં જ BTP-AIMIM એ જોડાણ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝપલાવવાની જાહેરાતથી ગુજરાતમાં ખલબલી મચાવી હતી
ઝઘડિયામાં રેલી સ્વરૂપે BTP ના આગેવાનો-કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનની ઐસી તૈસી કરી BJP માં કરી એન્ટ્રી
સાંસદ મનસુખ વસાવા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ-નર્મદા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા-ઘનશ્યામ પટેલે આપ્યો આવકાર
તહેવારો અને સામાજિક પ્રસંગોમાં કોરોનાની લોકો પર અમલવારી, રાજકીય પક્ષોને કોઈ બંધન નહિ, 700 થી 800 લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના ઉડાવ્યા ધજાગરા
ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત 35 જેટલા વિવિધ ગામોના સરપંચ અને ડે. સરપંચો અને 500 થી વધુ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
WatchGujarat. નવા વર્ષે BTP-AIMIM ના ગઠબંધનને લઈ ગુજરાતના રાજકારણમાં છોટુ વસાવાની ઓવેસી સાથેની એન્ટ્રીથી ખલબલી મચી ગઇ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે ભાજપે ઝઘડિયા છોટુ વસાવના ગઢમાં ગાબડું પાડી રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
ઝઘડિયા BTP ધારાસભ્ય અને સુપ્રીમો છોટુ વસાવાનું ગઢ ગણાય છે. જેમાં આજે BJP એ ગાબડું પાડતા રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે નવા સમીકરણો અને નવા-જુનીના એંધાણ શરૂ થઈ ગયા છે. BJP માં જોડાવા 35 ગામના સરપંચ, ડે. સરપંચ, આગેવાનો અને 500 જેટલા કાર્યકરોએ આ તબક્કે શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, વિશાળ બાઇક અને કાર રેલી કાઢી વાજતે ગાજતે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઈડલાઈનની હવા કાઢી BJP નો કેસ ધારણ કર્યો હતો.
https://youtu.be/m6nO1I24T74
સામાન્ય લોકો અને પ્રજાને તહેવારો અને પ્રસંગોમાં કોરોના ગાઈડલાઈન અને આદેશો નું કડક અમલ કરાવનાર તંત્ર અને પોલીસ આ રાજકીય મેળાવડા અને કોવિડ ના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરશે કે નહીં તેની પણ ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય પક્ષોને છૂટછાટ અને પ્રજાને જ તમામ પાબંદીઓ ને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
વર્ષોથી વિકાસથી વંચિત આદિવાસી વિસ્તારમાં હવે BJP ના વિકાસનો ભગવો લહેરાવાની તૈયારીના ભાગ રૂપે BTP ની સમર્થનની ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રિતેશ વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયા એપીએમસી ચેરમેન દીપકભાઈ પટેલ તેમજ 35 થી વધુ ગામોના સરપંચ અને ડેપ્યુટી સરપંચોએ આજ રોજ સાંસદ MP મનસુખ વસાવા, માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, મંત્રી નિશાંત મોદી, તેમજ ઝઘડિયા ભાજપાના તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીયેડા, મહામંત્રી રવજી વસાવા, ઝઘડિયા ભાજપાના મહામંત્રી દિનેશ વસાવા સહિતના હોદ્દેદારોએ કેસરિયો ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો.
ભરૂચ BJP જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે આદિવાસી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી ભાજપાની રાષ્ટ્ર ભક્તિની વિચારધારાને પહોંચાડવાનું કાર્ય કરશું અને નવા ભાજપમાં જોડાનાર હોદ્દેદારો અને કાર્યકરોની સાથે જોડાઈને આદિવાસી પંથકમાં વિકાસને વેગ આપીશું.
MP સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાનો વિકાસ થાય અને જે લોકો ભાજપમાં જોડાયા છે તેને કોઈ ધાકધમકી આપે તેણે સમજી લેવું જોઈએ કે ભાજપાનું પીઠબળ તેમની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સૌનો સાથ અને સૌનો વિકાસ કરવા માંગે છે.
માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં કિસાન સન્માન નિધિમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા થયા છે. ખેડૂતોની આવક બમણી કરવામાં મોદી સાહેબે જે આહવાન કર્યું હતું તે કરી ને બતાવ્યું છે. આ વિસ્તારમાં કામો વિકાસના કરવામાં હવે જે અડચણો નડતી હતી એ આવનાર 5 થી 10 વર્ષમાં વિકાસને કોઈ અટકાવી શકે નહીં.
તાજેતરમાં જ BTP-AIMIM એ જોડાણ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝપલાવવાની જાહેરાતથી ગુજરાતમાં ખલબલી મચાવી હતી
ઝઘડિયામાં રેલી સ્વરૂપે BTP ના આગેવાનો-કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનની ઐસી તૈસી કરી BJP માં કરી એન્ટ્રી
સાંસદ મનસુખ વસાવા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ-નર્મદા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા-ઘનશ્યામ પટેલે આપ્યો આવકાર
તહેવારો અને સામાજિક પ્રસંગોમાં કોરોનાની લોકો પર અમલવારી, રાજકીય પક્ષોને કોઈ બંધન નહિ, 700 થી 800 લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના ઉડાવ્યા ધજાગરા
ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત 35 જેટલા વિવિધ ગામોના સરપંચ અને ડે. સરપંચો અને 500 થી વધુ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
WatchGujarat. નવા વર્ષે BTP-AIMIM ના ગઠબંધનને લઈ ગુજરાતના રાજકારણમાં છોટુ વસાવાની ઓવેસી સાથેની એન્ટ્રીથી ખલબલી મચી ગઇ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે ભાજપે ઝઘડિયા છોટુ વસાવના ગઢમાં ગાબડું પાડી રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
ઝઘડિયા BTP ધારાસભ્ય અને સુપ્રીમો છોટુ વસાવાનું ગઢ ગણાય છે. જેમાં આજે BJP એ ગાબડું પાડતા રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે નવા સમીકરણો અને નવા-જુનીના એંધાણ શરૂ થઈ ગયા છે. BJP માં જોડાવા 35 ગામના સરપંચ, ડે. સરપંચ, આગેવાનો અને 500 જેટલા કાર્યકરોએ આ તબક્કે શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, વિશાળ બાઇક અને કાર રેલી કાઢી વાજતે ગાજતે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઈડલાઈનની હવા કાઢી BJP નો કેસ ધારણ કર્યો હતો.
સામાન્ય લોકો અને પ્રજાને તહેવારો અને પ્રસંગોમાં કોરોના ગાઈડલાઈન અને આદેશો નું કડક અમલ કરાવનાર તંત્ર અને પોલીસ આ રાજકીય મેળાવડા અને કોવિડ ના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરશે કે નહીં તેની પણ ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય પક્ષોને છૂટછાટ અને પ્રજાને જ તમામ પાબંદીઓ ને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
વર્ષોથી વિકાસથી વંચિત આદિવાસી વિસ્તારમાં હવે BJP ના વિકાસનો ભગવો લહેરાવાની તૈયારીના ભાગ રૂપે BTP ની સમર્થનની ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રિતેશ વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયા એપીએમસી ચેરમેન દીપકભાઈ પટેલ તેમજ 35 થી વધુ ગામોના સરપંચ અને ડેપ્યુટી સરપંચોએ આજ રોજ સાંસદ MP મનસુખ વસાવા, માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, મંત્રી નિશાંત મોદી, તેમજ ઝઘડિયા ભાજપાના તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીયેડા, મહામંત્રી રવજી વસાવા, ઝઘડિયા ભાજપાના મહામંત્રી દિનેશ વસાવા સહિતના હોદ્દેદારોએ કેસરિયો ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો.
ભરૂચ BJP જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમે આદિવાસી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી ભાજપાની રાષ્ટ્ર ભક્તિની વિચારધારાને પહોંચાડવાનું કાર્ય કરશું અને નવા ભાજપમાં જોડાનાર હોદ્દેદારો અને કાર્યકરોની સાથે જોડાઈને આદિવાસી પંથકમાં વિકાસને વેગ આપીશું.
MP સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાનો વિકાસ થાય અને જે લોકો ભાજપમાં જોડાયા છે તેને કોઈ ધાકધમકી આપે તેણે સમજી લેવું જોઈએ કે ભાજપાનું પીઠબળ તેમની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સૌનો સાથ અને સૌનો વિકાસ કરવા માંગે છે.
માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં કિસાન સન્માન નિધિમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા થયા છે. ખેડૂતોની આવક બમણી કરવામાં મોદી સાહેબે જે આહવાન કર્યું હતું તે કરી ને બતાવ્યું છે. આ વિસ્તારમાં કામો વિકાસના કરવામાં હવે જે અડચણો નડતી હતી એ આવનાર 5 થી 10 વર્ષમાં વિકાસને કોઈ અટકાવી શકે નહીં.