રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પહેલીવાર 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સ કોંફરન્સ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સ આપશે હાજરી
વડાપ્રધાન મોદી ઓનલાઈન સમાપન સમારોહને સંબોધશે
SOU માં ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતની ઉપસ્થિતી
WatchGujarat. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોઈ જાહેર ક્રાયક્રમમાં પહેલીવાર હાજરી આપવાનો રેકોર્ડ બુધવારે કેવડીયામાં સર્જાશે. SOU ખાતે 2 દિવસીય બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દી વર્ષે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25 અને 26 નવેમ્બરે થઈ રહ્યું છે.
કેવડિયા SOU ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બુધવારે 25 નવેમ્બરના સવારે 11 કલાકે કરનાર છે. કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ- રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. બે દિવસીય કોંફરન્સમાં લોકસભાના અધ્યક્ષ, વિવિધ રાજયોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ 2 દિવસય કોન્ફરન્સમાં હાજરી નોંધાવનાર છે. રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત અપાયું છે. અંદાજે 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સ આ કોન્ફરન્સમાં હાજર રહેનાર છે.
સંમેલનમાં તમામ રાજયોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થશે. લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ 26 નવેમ્બરને બંધારણ- સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેવડીયામાં આ વર્ષે પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે. અખિલ ભારતીય પીઠાધીન અધિકારી સંમેલન (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ)ની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1921 થી કરવામાં આવ્યો હતો. સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિશ્રી સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલીકાના અનુભવોનું આદાન પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.
સબળ લોકશાહી માટે વિધાયિકા-કાર્યપાલિકા, ન્યાયપાલિકાના આદર્શોનો સમન્વય સમેલનનો વિષય
સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો એ સંમેલનનો વિષય છે. સાથે જ અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે 3 અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશકત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો - સંસદ - વિધાનસભા - વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે. સંસદ - વિધાનસભા અને વહીવટીતંત્રને પ્રજા પરત્વેની બંધારણીય જવાબદારીને વધુ અસરકારક ઢબે સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે.
બંધારણ દિવસ ગુરુવારે PM કરશે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન
2 દિવસીય સંમેલનનો સમાપન સમારોહ 26 નવેમ્બર ગુરુવારે સંવિધાન દિવસ ના દિવસે થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુલ માધ્યમથી સંબોધન કરશે. તમામ ઉપસ્થિતો વડાપ્રધાનના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના - આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશકત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરાશે જે બાદ સમાપન થશે.
વડાપ્રધાન પણ પ્રથમવખત સંમેલનમાં સામીલ, સપ્તાહ સુધી બંધારણ અને મૂળભૂત ફરજો વિષય પર પ્રદર્શની
કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ 7 દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.
SOU માં ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતની ઉપસ્થિતી
WatchGujarat. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોઈ જાહેર ક્રાયક્રમમાં પહેલીવાર હાજરી આપવાનો રેકોર્ડ બુધવારે કેવડીયામાં સર્જાશે. SOU ખાતે 2 દિવસીય બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સની શતાબ્દી વર્ષે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25 અને 26 નવેમ્બરે થઈ રહ્યું છે.
કેવડિયા SOU ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બુધવારે 25 નવેમ્બરના સવારે 11 કલાકે કરનાર છે. કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ- રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહેશે. બે દિવસીય કોંફરન્સમાં લોકસભાના અધ્યક્ષ, વિવિધ રાજયોની વિધાનસભા, વિધાન પરિષદના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ 2 દિવસય કોન્ફરન્સમાં હાજરી નોંધાવનાર છે. રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સને પણ આમંત્રિત અપાયું છે. અંદાજે 27 વિધાનસભા-વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર્સ આ કોન્ફરન્સમાં હાજર રહેનાર છે.
સંમેલનમાં તમામ રાજયોની વિધાનસભાના સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થશે. લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ 26 નવેમ્બરને બંધારણ- સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેવડીયામાં આ વર્ષે પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે. અખિલ ભારતીય પીઠાધીન અધિકારી સંમેલન (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ)ની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1921 થી કરવામાં આવ્યો હતો. સંમેલનની સૌથી મોટી વિશેષતા અને સફળતા એ છે કે દેશના રાષ્ટ્રપતિશ્રી સૌપ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે સામેલ થઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલીકાના અનુભવોનું આદાન પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.
સબળ લોકશાહી માટે વિધાયિકા-કાર્યપાલિકા, ન્યાયપાલિકાના આદર્શોનો સમન્વય સમેલનનો વિષય
સબળ લોકશાહી માટે વિધાયિકા- કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો એ સંમેલનનો વિષય છે. સાથે જ અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે 3 અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશકત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો - સંસદ - વિધાનસભા - વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે. સંસદ - વિધાનસભા અને વહીવટીતંત્રને પ્રજા પરત્વેની બંધારણીય જવાબદારીને વધુ અસરકારક ઢબે સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર મૂકવામાં આવશે.
બંધારણ દિવસ ગુરુવારે PM કરશે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન
2 દિવસીય સંમેલનનો સમાપન સમારોહ 26 નવેમ્બર ગુરુવારે સંવિધાન દિવસ ના દિવસે થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સમારોહને વર્ચ્યુલ માધ્યમથી સંબોધન કરશે. તમામ ઉપસ્થિતો વડાપ્રધાનના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવના - આમુખનું ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવો તેમજ સંસદ- વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ, સશકત તથા જવાબદારીપૂર્વક વહન કરવાનો સંકલ્પ પણ લેશે. સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરાશે જે બાદ સમાપન થશે.
વડાપ્રધાન પણ પ્રથમવખત સંમેલનમાં સામીલ, સપ્તાહ સુધી બંધારણ અને મૂળભૂત ફરજો વિષય પર પ્રદર્શની
કેવડિયામાં બંધારણ અને મૂળભૂત ફરજોના વિષય પર આધારિત એક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ 7 દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન પણ સૌપ્રથમ વખત આ સંમેલનનો હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે.