ગત વર્ષ કરતા શેરડીના ભાવો ટન દીઠ રૂ. 600 ઓછા જાહેર થતા સભાસદો આક્રમક મૂડમાં
વાલિયા ગણેશ સુગરના સંચાલકો ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી
WatchGujarat. દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા હાલમાં જ શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ગણેશ સુગર ફેકટરીના સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. જેની સામે સભાસદોનું એક મોટું જૂથ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ કરી ભાવ ઓછા પાડવાના કારણો પૂછ્યા હતા.
સભાસદોએ આક્રોશ ઠાલવ્યો છે કે, વાલિયાના વટારીયાની ગણેશ સુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં 200 થી 500 રૂપિયા ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. એક સમય એવો હતો કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગર ભાવ જાહેર કરી હતી ત્યારબાદ તેના પછી અન્ય સુગર ફેકટરીઓ ભાવ જાહેર કરતી હતી.
હવે એવું તો શું થયું કે અન્ય સુગરો ભાવ જાહેર કર્યા બાદ ગણેશ સુગર તેનો ભાવ જાહેર કરે છે અને તે પણ અન્ય સુગરો કરતાં 250 ની 500 રૂપિયા ભાવ ઓછા જાહેર કરે છે. પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગરના ભાવ એક થી ત્રણ નંબર માં રહેતા હતા જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગર નો હોય છે.
ખેડૂત સભાસદો એ સંચાલકોને કહ્યું હતું કે, વર્ષ 2019 - 20 અને 2020-21 ના ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ, બગાસ સુગર દ્વારા શું ભાવે વેચવામાં આવ્યા તેની સામે શું ખર્ચો થયો તે પણ જણાવવું પડશે. સુગરના સંચાલકો દ્વારા ખોટા ખર્ચા કરી ખેડૂતોના પૈસા ખાઇ પોતે માલેતુજાર બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ખૂબ અન્યાય થયો છે હવે ચલાવી લેવાય તેમ નથી અને ખેડૂત સભાસદોને મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ સંચાલકોએ આપવા પડશે તેમ આક્રોશપૂર્વક જણાવ્યું હતું. ગણેશ સુગર દેવાના ડુંગર નીચે દબાઈ કોઈપણ ભોગે બચાવવી પડશે, જો ગણેશ સુગરના સંચાલકો ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ગત વર્ષ કરતા શેરડીના ભાવો ટન દીઠ રૂ. 600 ઓછા જાહેર થતા સભાસદો આક્રમક મૂડમાં
વાલિયા ગણેશ સુગરના સંચાલકો ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી
WatchGujarat. દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા હાલમાં જ શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ગણેશ સુગર ફેકટરીના સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. જેની સામે સભાસદોનું એક મોટું જૂથ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ કરી ભાવ ઓછા પાડવાના કારણો પૂછ્યા હતા.
સભાસદોએ આક્રોશ ઠાલવ્યો છે કે, વાલિયાના વટારીયાની ગણેશ સુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં 200 થી 500 રૂપિયા ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. એક સમય એવો હતો કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગર ભાવ જાહેર કરી હતી ત્યારબાદ તેના પછી અન્ય સુગર ફેકટરીઓ ભાવ જાહેર કરતી હતી.
હવે એવું તો શું થયું કે અન્ય સુગરો ભાવ જાહેર કર્યા બાદ ગણેશ સુગર તેનો ભાવ જાહેર કરે છે અને તે પણ અન્ય સુગરો કરતાં 250 ની 500 રૂપિયા ભાવ ઓછા જાહેર કરે છે. પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગરના ભાવ એક થી ત્રણ નંબર માં રહેતા હતા જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગર નો હોય છે.
ખેડૂત સભાસદો એ સંચાલકોને કહ્યું હતું કે, વર્ષ 2019 - 20 અને 2020-21 ના ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ, બગાસ સુગર દ્વારા શું ભાવે વેચવામાં આવ્યા તેની સામે શું ખર્ચો થયો તે પણ જણાવવું પડશે. સુગરના સંચાલકો દ્વારા ખોટા ખર્ચા કરી ખેડૂતોના પૈસા ખાઇ પોતે માલેતુજાર બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ખૂબ અન્યાય થયો છે હવે ચલાવી લેવાય તેમ નથી અને ખેડૂત સભાસદોને મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ સંચાલકોએ આપવા પડશે તેમ આક્રોશપૂર્વક જણાવ્યું હતું. ગણેશ સુગર દેવાના ડુંગર નીચે દબાઈ કોઈપણ ભોગે બચાવવી પડશે, જો ગણેશ સુગરના સંચાલકો ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.